‘અનુપમા’ ફેઇમ એક્ટર નિતેશ પાંડેની દુનિયાને અલવિદા, 51 વર્ષની ઉંમરે એટેક આવ્યો

ટીવી ઇન્ડસ્ટ્રીઝમાંથી વધુ એક શોકીંગ ન્યૂઝ સામે આવ્યા છે. બુધવારે સવારે જ એકટ્રેસ વૈભવી ઉપાધ્યાયના માર્ગ અકસ્માત મોતે બધાને ચોંકાવી દીધા હતા. હવે ‘અનુપમા’ સિરિયલથી જાણીતા દિગ્ગજ અભિનેતાએ દુનિયાને અલવિદા કરી દીધી છે. જાણીતા કલાકાર નિતેશ પાંડે હવે આપણી વચ્ચે નથી રહ્યા. માત્ર 51 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મોત થયું. મુંબઇ નજીક આવેલા ઇગતપુરીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

નિતેશ પાંડેની વિદાયને કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ ભીની આંખો સાથે અભિનેતાને અંતિમ વિદાય આપી રહ્યા છે. તેમના માટે માનવું મુશ્કેલ બની રહ્યું છે કે હસતો હસતો ચહેરો આજે તેમની વચ્ચે નથી. તેઓ છેલ્લા 25 વર્ષથી ભારતીય ટેલિવિઝનનો લોકપ્રિય ચહેરો હતા.

‘અનુપમા’ શો ના લીડ એકટર સુંધાશું પાંડેએ નિતેશની મોત પર દુખ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે બંને વચ્ચે સારું બોન્ડીંગ હતું. એમને હજુ નિતેશના મોત પર વિશ્વાસ નથી આવી રહ્યો. સુંધાશુએ કહ્યુ કે નિતેશ સાથે વેબ શોઝ, ફિલ્મો અને  OTT કન્ટેન્ટ પર ખુબ વાતો થતી હતી. થોડા સમય પહેલા જ બંનેની સેટ પર અંતિમ મુલાકાત થઇ હતી.

1990માં થિયેટરથી નિતેશે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.તેઓ અનેક હિંદી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યા હતા. ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં નિતેશે શાહરૂખ ખાનના આસિટન્ટ તરીકેની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ બધાઇ હો, રંગૂન, હંટર, દબંગ-2, બાજી, મેરે યાર કરી શાદી હે, મદારી જેવી ફિલ્મોમાં નિતેશે પાત્ર ભજવ્યા હતા.

ટીવી શોની વાત કરીએ તો તેમણે સાયા, અસ્તિક્વ, એક પ્રેમ કહાની, હમ લડકીયા, ઇન્ડિયાવાલી મા, હીરો, ગાયબ મોડ ઓનમાં પોતાના ઉમદા કામથી બધાની દિલ જીતી લીધા હતા. નિતેશ પોતાના દમદાર અવાજથી પણ જાણીતા હતા. તેમનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ હતું જેનું નામ Dream castle productions હતું અને અહીં તો રેડિયો શો બનાવતા હતા.

ટીવીના પોપ્યુલર શો ‘અનુપમા’માં નિતેશે ધીરડ કપૂરની ભૂમિકા ભજવી હતી.આ શોમાં તેમણે અનુજના મિત્ર તરીકે એન્ટ્રી લીધી હતી. સીરિયલમાં હજુ પણ તેમનો રોલ ચાલુ હતો. પરંતુ કોને ખબર હશે કે તેમનો આ અંતિમ શો કહેવાશે.

નિતેશ પાંડેના લગ્ન 1998માં અશ્વિની કાલસેકરથી થઇ હતી, પરંતુ એ લગ્ન લાંબા ચાલ્યા નહોતો. 2002માં બંનેએ છુટાછેડા લઇ લીધા હતા. એ પછી નિતેશે ટી વી એકટ્રેસ અર્પિતા પાંડે સાથે લગ્ન કરી લીધા હતા. બંનેની મુલાકાત સેટ પર થઇ હતી. નિતેશને એક પુત્ર છે.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.