EDએ એક્ટર પ્રકાશ રાજને મોકલ્યું સમન્સ, 100 કરોડ...

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ત્રિચી સ્થિતિ આભૂષણ ગ્રુપ વિરુદ્ધ પોંજી કૌભાંડ સાથે જોડાયેલા ધનશોધન કેસમાં પૂછપરછ માટે એક્ટર પ્રકાશ રાજને સમન્સ પાઠવવામાં આવ્યા છે. અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, એક્ટર પ્રકાશ રાજને EDએ 100 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ પોંજી સ્કીમ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. હાલમાં જ EDએ ધનશોધન નિવારણ અધિનિયમ (PMLA)ના પ્રાવધાનો હેઠળ 20 નવેમ્બરના રોજ ત્રિચી સ્થિત એક પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સ સાથે જોડાયેલી સંપત્તિઓની તપાસ કરી હતી. આ જ તપાસ બાદ પ્રકાશ રાજને ED દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે.

છાપેમારી બાદ પ્રકાશ રાજને EDનું સમન્સ આવ્યું છે. છાપેમારીમાં વિભિન્ન આપત્તિજનક દસ્તાવેજ, 23.70 લાખ રૂપિયાની બેહિસાબ રોકડ અને 11.60 કિલોગ્રામ વજનના સોનાના આભૂષણ મળી આવ્યા છે. EDના અધિકારીઓ પાસેથી સંકેત મળે છે કે પ્રકાશ રાજને બોલાવવા પ્રણવ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી કથિત નકલી સોનાના રોકાણ યોજનાની વ્યાપક તપાસનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે 58 વર્ષીય એક્ટર આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમને આગામી અઠવાડિયે ચેન્નાઈમાં કેન્દ્રીય એજન્સી સામે રજૂ થવા કહેવામાં આવ્યું છે.

પોંજી સ્કીમ કથિત રીતે પ્રણવ જ્વેલર્સ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આ સ્કીમ કથિત નાણાકીય ગરબડીમાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ ત્રિચીમાં ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ (EOW) દ્વારા નોંધવામાં આવેલી FIRના આધાર પર EDની તપાસના દાયરામાં આવી ગઈ છે. EOW મુજબ, પ્રણવ જ્વેલર્સે આકર્ષક રિટર્નનો વાયદો કરતાં સોનાના રોકાણની યોજનાના બહાને જનતા પાસે 100 કરોડ રૂપિયા જમા કર્યા. જો કે, કંપની પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી, જેથી રોકાણકાર અધ્ધર લટકી ગયા.

પ્રણવ જ્વેલર્સ એવા રોકાણકારોને રકમ પરત કરવામાં નિષ્ફળ રહ્યું છે. EDની તપાસમાં જાણકારી મળી કે પ્રણવ જ્વેલર્સ અને અન્ય જોડાયેલા લોકોએ ભરમાવીને જનતા પાસેથી છેતરપિંડી કરી. તેમણે લોકોને ભરમાવ્યા અને પ્રણવ જ્વેલર્સે પોતાના ઘણા શૉરૂમ રાતોરાત બંધ કરી દીધા હતા. પ્રણવ જ્વેલર્સ ચેન્નાઈ સહિત ઇરોડ, નાગરકોઈલ, મદૂરૈ, કુંબકોણામ અને પુદૂચેરીના શૉરૂમમાં એવી સ્કીમ ચલાવી હતી અને લોકોએ મોટી રકમ રોકાણ કરી હતી, પરં એ લોકો પછી છેતરાયા.

About The Author

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.