EDએ એક્ટર પ્રકાશ રાજને મોકલ્યું સમન્સ, 100 કરોડ...

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ત્રિચી સ્થિતિ આભૂષણ ગ્રુપ વિરુદ્ધ પોંજી કૌભાંડ સાથે જોડાયેલા ધનશોધન કેસમાં પૂછપરછ માટે એક્ટર પ્રકાશ રાજને સમન્સ પાઠવવામાં આવ્યા છે. અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, એક્ટર પ્રકાશ રાજને EDએ 100 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ પોંજી સ્કીમ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. હાલમાં જ EDએ ધનશોધન નિવારણ અધિનિયમ (PMLA)ના પ્રાવધાનો હેઠળ 20 નવેમ્બરના રોજ ત્રિચી સ્થિત એક પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સ સાથે જોડાયેલી સંપત્તિઓની તપાસ કરી હતી. આ જ તપાસ બાદ પ્રકાશ રાજને ED દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે.

છાપેમારી બાદ પ્રકાશ રાજને EDનું સમન્સ આવ્યું છે. છાપેમારીમાં વિભિન્ન આપત્તિજનક દસ્તાવેજ, 23.70 લાખ રૂપિયાની બેહિસાબ રોકડ અને 11.60 કિલોગ્રામ વજનના સોનાના આભૂષણ મળી આવ્યા છે. EDના અધિકારીઓ પાસેથી સંકેત મળે છે કે પ્રકાશ રાજને બોલાવવા પ્રણવ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી કથિત નકલી સોનાના રોકાણ યોજનાની વ્યાપક તપાસનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે 58 વર્ષીય એક્ટર આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમને આગામી અઠવાડિયે ચેન્નાઈમાં કેન્દ્રીય એજન્સી સામે રજૂ થવા કહેવામાં આવ્યું છે.

પોંજી સ્કીમ કથિત રીતે પ્રણવ જ્વેલર્સ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આ સ્કીમ કથિત નાણાકીય ગરબડીમાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ ત્રિચીમાં ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ (EOW) દ્વારા નોંધવામાં આવેલી FIRના આધાર પર EDની તપાસના દાયરામાં આવી ગઈ છે. EOW મુજબ, પ્રણવ જ્વેલર્સે આકર્ષક રિટર્નનો વાયદો કરતાં સોનાના રોકાણની યોજનાના બહાને જનતા પાસે 100 કરોડ રૂપિયા જમા કર્યા. જો કે, કંપની પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી, જેથી રોકાણકાર અધ્ધર લટકી ગયા.

પ્રણવ જ્વેલર્સ એવા રોકાણકારોને રકમ પરત કરવામાં નિષ્ફળ રહ્યું છે. EDની તપાસમાં જાણકારી મળી કે પ્રણવ જ્વેલર્સ અને અન્ય જોડાયેલા લોકોએ ભરમાવીને જનતા પાસેથી છેતરપિંડી કરી. તેમણે લોકોને ભરમાવ્યા અને પ્રણવ જ્વેલર્સે પોતાના ઘણા શૉરૂમ રાતોરાત બંધ કરી દીધા હતા. પ્રણવ જ્વેલર્સ ચેન્નાઈ સહિત ઇરોડ, નાગરકોઈલ, મદૂરૈ, કુંબકોણામ અને પુદૂચેરીના શૉરૂમમાં એવી સ્કીમ ચલાવી હતી અને લોકોએ મોટી રકમ રોકાણ કરી હતી, પરં એ લોકો પછી છેતરાયા.

About The Author

Related Posts

Top News

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.