સલમાનની સિકંદર જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ, નહિતર પસ્તાશો

સલમાન ખાન લાંબા સમયથી ઈદ પર રિલીઝ થતી ફિલ્મોમાં પ્રભુત્વ ધરાવે છે. દર વર્ષે ઈદના અવસર પર, તે પોતાના ચાહકો માટે ઈદી તરીકે પોતાની ફિલ્મ લઈને આવે છે. આ વખતે તેણે પ્રખ્યાત દક્ષિણ દિગ્દર્શક AR મુરુગાદોસ સાથે સહયોગ કર્યો છે. જ્યારે દિગ્દર્શક AR મુરુગાદોસ 2008માં આમિર ખાનની 'ગજની' લઈને આવ્યા, ત્યારે આ ફિલ્મે ધૂમ મચાવી દીધી અને દિગ્દર્શકને હિન્દી દર્શકોમાં ઘણી ઓળખ મળી. અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'હોલિડે'માં પણ તેમના દિગ્દર્શનની પ્રશંસા થઈ હતી, પરંતુ આ વખતે AR મુરુગાદોસ પોતાનો જાદુ જાળવી શક્યા નહીં. તેમણે પોતાની ફિલ્મમાં ઘણા બધા મસાલા ઉમેર્યા છે, પરંતુ તે બધા એક સાથે નિષ્ફળ ગયા છે. આ જ કારણ છે કે સલમાન ખાનનો સ્વેગ, એક્શન, ભાવના બધું જ વ્યર્થ થઇ ગયું છે.

Sikandar-Movie6
indiatoday.in

આ વાર્તા સંજય (સલમાન ખાન)ની છે જે રાજકોટના લોકોના દિલ પર રાજ કરે છે. તેઓ રાજકોટના રાજા છે અને તેમના લોકોના કલ્યાણ માટે બધું જ બલિદાન આપવાની ભાવના ધરાવતા હોવાથી લોકો તેમને દેવદૂત માને છે. તેમને સિકંદર અને રાજા સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે. સાઈશ્રી (રશ્મિકા મંદાના) સંજયની સમર્પિત પત્ની છે, જે હંમેશા સંજયના સુરક્ષાની ચિંતા કરે છે. વાર્તા મંત્રી પ્રધાન (સત્યરાજ)ના પુત્ર અર્જુન પ્રધાનના દુ:સાહસથી શરૂ થાય છે, જ્યાં તે ફ્લાઇટમાં એક મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાર પછી સંજય આવે છે અને મહિલાને બચાવે છે અને અર્જુનને મહિલાના પગે પડીને માફી માંગવા દબાણ કરે છે. આ અપમાનનો બદલો લેવા માટે અર્જુન અને મંત્રી પ્રધાન સંજયની પાછળ પડી જાય છે, પરંતુ જ્યારે આ બદલાની આગમાં સાઈશ્રીની બલી ચડી જાય છે, ત્યારે અર્જુનના જીવનમાં તોફાન આવી જાય છે. સાઈશ્રીના ગયા પછી, સંજયને ખબર પડે છે કે તેની પત્ની ગર્ભવતી હતી. તે ખૂબ જ દુઃખમાં ડૂબી જાય છે, પરંતુ તેને એ વાતનો દિલાસો મળે છે કે તેની પત્નીએ તેના અંગોનું દાન કર્યું છે અને આમ સાઈશ્રી ત્રણ અલગ અલગ લોકોના અંગો દ્વારા જીવતી રહેશે. પંજાબમાં થયેલા વિસ્ફોટમાં સંજયને દોષિત સાબિત કરવા માટે મંત્રી પ્રધાન કાવતરું ઘડે છે. જ્યારે તે પોતાના પુત્ર અર્જુનને ગુમાવે છે, ત્યારે બદલો લેવાની તેની લડાઈ વધુ ભયાનક વળાંક લે છે. હવે મંત્રી પ્રધાનનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે, કોઈ પણ રીતે તે ત્રણ લોકોને શોધીને ખતમ કરી નાખવા જેમને સાઈશ્રીએ પોતાના અંગોનું દાન કર્યું હતું. અહીં રાજકોટથી મુંબઈ આવેલા સંજયના જીવનનું પણ એક જ લક્ષ્ય છે, તે ત્રણ લોકોના જીવ બચાવવાનું જેમના કારણે તેની પત્ની જીવિત છે. શું સંજય તે ત્રણેયના જીવ બચાવી શકશે કે પછી તે મંત્રીના કાવતરાનો શિકાર બનીને જેલના સળિયા પાછળ પહોંચી જાય છે?

Sikandar-Movie
amarujala.com

સલમાન ખાન હોય એટલે હીરો અતિશયોક્તિપૂર્ણ હોય તે સ્વાભાવિક છે, પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે દિગ્દર્શક AR મુરુગાદોસની વાર્તામાં નવીનતાનો અભાવ હોય છે. મુરુગાદોસ પોતાની ફિલ્મના પાત્રોને ઘડવામાં નિષ્ફળ જાય છે. વાર્તામાં ઘણા પાત્રો છે જેમનો યોગ્ય રીતે વિકાસ થયો નથી. નબળી વાર્તા અને ઢીલી પટકથાને કારણે ફિલ્મ પોતાનો પ્રભાવ પાડવામાં નિષ્ફળ જાય છે. સલમાનની ફિલ્મો જે વન-લાઇનર માટે પ્રખ્યાત હોય છે, તેનાથી વિપરીત, આ વખતે ભાઈના તે સંવાદો જોવા મળતા નથી, હા, એક્શન ફિલ્મો માટે જાણીતા AR મુરુગાદોસની એક્શન વિસ્ફોટક છે. એક્શન સિક્વન્સને શાનદાર રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે. સિનેમેટોગ્રાફી શક્તિશાળી છે. ઉપરના એંગલથી લેવામાં આવેલા ભીડના દ્રશ્યો ગ્રેન્જર ઉમેરે છે. દિગ્દર્શકે ભાવનાઓને એક્શન સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ દર્શકો તે પણ ટુકડાઓમાં જોવા મળે છે. ફિલ્મના ઘણા દ્રશ્યો અતાર્કિક લાગે છે. વાર્તામાં સુસંગતતાનો અભાવ છે. ફિલ્મનો રન ટાઈમ 2 કલાક 35 મિનિટ છે, જે લાંબો લાગે છે. સંતોષ નારાયણનું BGM થીમને અનુરૂપ છે. સંગીતની વાત કરીએ તો, પ્રીતમના બે ગીતો 'જોહરા જબી' અને 'બમ બમ બોલે' સારા બન્યા છે.

Sikandar-Movie5
hindustantimes.com

સલમાન ખાન, હંમેશની જેમ, પોતાના સ્વેગ સાથે દેખાય છે. તે એક્શન દ્રશ્યોમાં સારું પ્રદર્શન કરે છે, પરંતુ ભૂમિકાના યોગ્ય વિકાસના અભાવે, તે ભાવનાત્મક દ્રશ્યોમાં જોડાઈ શકતો નથી. જોકે તેના કેટલાક ડાન્સ મૂવ્સ રમુજી લાગે છે. રશ્મિકા મંદાનાને ફિલ્મમાં ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે, પરંતુ તે આ નાના રોલમાં સુંદર અને ફ્રેશ લાગે છે. તાજેતરના ભૂતકાળમાં, તેમની અને સલમાન ખાન વચ્ચે ઉંમરના અંતર વિશે ઘણી ચર્ચા થઈ છે. ફિલ્મમાં, 'ઉંમરમાં ફરક છે, પણ વિચારમાં નહીં' નામના સંવાદ દ્વારા તેને ન્યાયી ઠેરવવામાં આવ્યો છે. અર્જુનના નકારાત્મક પાત્રમાં પ્રતીક બબ્બર નાટકીય લાગે છે. મંત્રી પ્રધાનના પાત્રમાં સત્યરાજ અભિનયનો શિકાર થઇ ગયો છે. સલમાન ખાનના સહયોગીની ભૂમિકામાં શરમન જોશી જેવા મહાન અભિનેતાને વેડફવામાં આવ્યા છે. કાજલ અગ્રવાલ નાના રોલમાં સરેરાશ છે. કિશોર ઇન્સ્પેક્ટર પ્રકાશ તરીકે કુદરતી લાગે છે. બાળ કલાકારે સારું કામ કર્યું છે.

જો તમે એમ કહો કે, આ ફિલ્મ શા માટે જોવી જોઈએ: જો તમે સલમાન ખાનના ચાહક છો, તો તમે આ ફિલ્મ જોઈ શકો છો.

About The Author

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.