ગોવિંદાના વકીલે છૂટાછેડાની અટકળો પર આપી પ્રતિક્રિયા, બોલ્યા- ‘છૂટાછેડાના સમાચારોમાં સત્યતા તો છે, સુનિતાએ..’

બોલિવુડ એક્ટર ગોવિંદા આ સમયે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. એવા સમાચારો છે કે પત્ની સુનિતા સાથે તેના છૂટાછેડા થવાના છે. તાજેતરમાં, જ્યારે ગોવિંદાને આ બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ સવાલ ટાળતા જોવા મળ્યા. હવે એક્ટરના વકીલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. વકીલ તરફથી કહેવામાં આવ્યું છે ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાના સમાચારોમાં સત્યતા તો છે. સુનિતાએ પોતાના તરફથી છૂટાછેડાની અરજી દાખલ કરી છે. પરંતુ તેમણે એવું 6 મહિના અગાઉ કર્યું હતું. પરંતુ હવે બંને વચ્ચે બધું બરાબર છે અને તેઓ હવે સાથે આવી ગયા છે.

ગોવિંદાના વકીલ અને નજીકના મિત્ર લલિત બિંદલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘સુનિતાએ છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં બંને વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. હવે બધું બરાબર છે. નવા વર્ષ પર અમે સાથે જ નેપાળનો પ્રવાસ પણ કર્યો હતો. અમે પશુપતિનાથ મંદિરમાં સાથે પૂજા પણ કરી હતી.

govinda1

શું ગોવિંદા અને સુનિતા અલગ રહે છે?

વકીલે ગોવિંદા અને સુનિતા તરફથી પણ ઘણી બધી વાતો પર પ્રતિક્રિયા આપી. એવા સમાચારો હતા કે ગોવિંદા અને સુનિતા હવે એક જ બંગલામાં રહેતા નથી. તેના જવાબમાં વકીલે કહ્યું કે, બંને સાથે જ રહે છે. જ્યારે ગોવિંદા સાંસદ બન્યા હતા, ત્યારે તેમણે સત્તાવાર યુઝ માટે એક બંગલો લીધો હતો. તેઓ તેમના ફ્લેટની સામે જ છે. તેઓ ત્યાં ઓફિસનું કામ કરે છે અને ક્યારેક-ક્યારેક ત્યાં રાત પણ રોકાય છે. નહીં તો, લગ્ન બાદથી જ આ કપલ સાથે રહે છે.’

અફવાઓ પાછળના કારણો

વકીલને પૂછવામાં આવ્યું કે જ્યારે બધું બરાબર છે તો આ અફવાઓ ક્યાંથી આવી રહી છે? તેના જવાબમાં વકીલે કહ્યું કે, સોશિયલ મીડિયા પર પોડકાસ્ટથી. તેમના નિવેદનોને અધૂરા બતાવવામાં આવી રહ્યા છે. તેનાથી લોકોમાં ભ્રમ ફેલાય રહ્યો છે. જો તેમને કહ્યું કે તેમને આગામી જન્મમાં ગોવિંદા જેવો પતિ નથી જોઈતો, તો તેણે આગળ એવું પણ કહ્યું હતું કે તેમને ગોવિંદા જેવો પુત્ર જોઈએ છે.

વેલેન્ટાઇનવાળા પોતાના નિવેદનમાં, જ્યારે સુનિતાએ કહ્યું કે, તેમણે પોતાની સાથે વેલેન્ટાઇન મનાવ્યો, તો તેનો એમ કહેવાનો અર્થ એ હતો કે તેમણે આ દરમિયાન કામ કર્યું. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ કપલ સાથે હોવા છતા, લોકો તેમની બાબતે માત્ર નેગેટિવ વાતો કરી રહ્યા છે. હું એ વાતનું આશ્વાસન આપવા માગું છું બંનેના ક્યારેય છૂટાછેડા નહીં થાય. કોઈ છૂટાછેડા થવા જઈ રહ્યા નથી.

govinda

ગોવિંદા અને સુનિતા આહુજાની વાત કરીએ તો, બંને કૉલેજના દિવસોથી એક-બીજાને ઓળખતા હતા. બંનેએ લવ મેરેજ કર્યા છે. આ કપલે વર્ષ 1987માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને 2 બાળકો છે. તેમના દીકરાનું નામ યશવર્ધન છે, જે આજકાલ લાઇમલાઇટમાં છે. ગોવિંદા ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને તેમના મોટા ભાઈ કીર્તિ કુમાર પણ એક્ટર-ડિરેક્ટર રહી ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.