ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ સબસીડીની ચૂકવણી માટે સરકારને રજૂઆત

છેલ્લા બે વર્ષમાં ફિલ્મ નિર્માતાઓને ફિલ્મની સબસીડી ન મળતા તેની રજૂઆત માટે આઇએમપીપીએના સેક્રેટરી અતુલ પટેલ, ટ્રેઝર ફિલ્મ મેમ્બર હરસુખ પટેલ, ઇસી મેમ્બર જગદીશભાઈ બારીયા, પ્રોડ્યુસર સંજય શાહ(જેકી), વૈશલ શાહ, ફિલ્મ પ્રોડ્યુસર પ્રજ્ઞેશ મલ્લલી અને ફિલ્મ પ્રોડ્યુસર અને રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફિલ્મ સબસિડી માટે અને પ્રવાસન મંત્રી મુળુ બેરા સાથે ગુજરાત સિનેમેટિક પોલિસીની વિસ્તૃત માહિતી અને મુદ્દાઓ માટે મુલાકાત લીધી હતી.

આઇએમપીપીએ દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતી ફિલ્મ ને પ્રોત્સાહન માટે ગુજરાત સરકાર દ્વારા ફિલ્મ સબસિડી આપવામાં આવે છે. જોકે, કમનસીબે, છેલ્લા દોઢેક વર્ષમાં, કોઈ પણ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને સબસીડી તરીકે એક પણ પૈસા ચૂકવવામાં આવ્યા નથી. અને જ્યારે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઇએમપીપીએ) ના સભ્યો આની રજૂઆત માટે ગાંધીનગરમાં અગાઉ મળ્યા ત્યારે જાણ કરાઇ હતી કે એવી 90 ફિલ્મો છે જેણે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે, અને એ દરેક નિર્માતાઓને સબસિડી જલ્દી ચૂકવવા માં આવશે, આ રજૂઆત બાદ પણ સબસિડી ચૂકવાય નથી અને હવે એ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હોય અને સબસિડી ચૂકવવામાં આવી ન હોય એવી ફિલ્મોની સંખ્યા વધીને 120 થઈ છે. એટલા માટેજ એસોસિએશનના સભ્યો ફરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મળીને આની રજૂઆત કરેલ અને મુખ્યમંત્રી એ ત્વરિત અધિકારીઓ સાથે વાતચીત કરી સબસિડીની પ્રક્રિયા પૂર્ણ કરી નાણાંની ચુકવણી થાય એ માટે જડપી કાર્યવાહી કરવાનું કહેલ છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.