'ગદર-2' બાદ શું 'બોર્ડર-2' પણ આવવાની છે, જાણો સની દેઓલે શું કહ્યું

બોલિવુડમાં હાલમાં દિવસોમાં ગદર મચ્યો છે. સની દેઓલથી લઈને અનિલ શર્મા સહિત અન્ય સ્ટારકાસ્ટ ‘ગદર 2’ની સફળતાનું સેલિબ્રેશન મનાવી રહ્યા છે. 300 કરોડના ક્લબમાં સામેલ થયેલી આ ફિલ્મનું સેલિબ્રેશન ચારેય તરફ જોવા મળી રહ્યું છે. તેના બધા શૉઝ હાઉસફુલ જઈ રહ્યા છે. એટલું જ નહીં, હવે તો આખા દેઓલ પરિવાર બાદ હેમા માલિની પણ પોતાના સાવકા પુત્રની ફિલ્મ જોઈ ચૂક્યા છે અને રીએક્શન આપી ચૂક્યા છે, પરંતુ આ બધા વચ્ચે સની દેઓલની એક પોસ્ટ સામે આવી છે, જેમાં તેઓ કેટલીક અફવાઓ પર ફૂલ સ્ટોપ લગાવતા નજરે પડી રહ્યા છે.

સની દેઓલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ કરી. તેમાં લખ્યું કે, ‘મારી બાબતે કેટલાક એવા સમાચાર આવી રહ્યા છે કે મેં કેટલીક ફિલ્મો સાઇન કરી છે, પરંતુ હું તમને બધાને કહેવા માગું છું કે, હું અત્યારે માત્ર ‘ગદર 2’ પર ધ્યાન લગાવી રહ્યો છું અને તમારા લોકોનો પ્રેમ હાંસલ કરી રહ્યો છું. મેં કોઈ પણ ફિલ્મ સાઇન કરી નથી અને યોગ્ય સમય પર જલદી જ એક ખાસ વસ્તુની જાહેરાત કરીશ. ત્યાં સુધી તમે તારા સિંહ અને ગદર 2 પર એવી જ રીતે પ્રેમ વરસાવતા રહો.’

હવે તમારામાંથી ઘણા લોકો કન્ફ્યૂઝ થઈ રહ્યા હશો કે અહીં સની દેઓલે એવી પોસ્ટ શા માટે કરી? ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સની દેઓલ ફિલ્મ મેકર જે.પી. દત્તા સાથે હાથ મળાવી રહ્યા છે અને જલદી જ ‘બોર્ડર 2’ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે. અહી સુધી કે એમ પણ કહી દેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મની કહાની 1971માં થયેલા ભારત અને પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. તેમાં જૂની સ્ટારકાસ્ટ નજરે નહીં પડે. આ સમાચાર બાદ એક્ટરે રીએક્ટ કર્યું છે.

સની દેઓલની આ પોસ્ટમાં બે પ્રકારની વાતો છે. પહેલી વાત એ કે તેમણે અત્યારે કોઈ ફિલ્મ સાઇન કરી નથી, પરંતુ તેઓ જલદી જ કંઈક સ્પેશિયલ અનાઉન્સ કરવાના છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે એક્ટર ‘બોર્ડર 2’ બાબતે જ કદાચ કંઈક બતાવશે, પરંતુ અત્યારે તેઓ આ બાબતે વાત કરવા માગતા નથી. એટલે પણ કેમ કે જો લોકોનું ધ્યાન ‘ગદર 2’ પરથી હટી ગયું અને એ તરફ જતું રહ્યું તો તેમનું નુકસાન પણ થઈ શકે છે. ખેર હવે સની દેઓલના અનાઉન્સમેન્ટ સુધી એ સસ્પેન્સ બન્યું રહેશે કે તેઓ શું જાહેરાત કરવાના છે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.