સની દેઓલે નેપોટિઝમ પર કહ્યું, જો પિતા પોતાના બાળક માટે નહીં કરે તો કોણ કરશે?

બોલિવૂડમાં દરરોજ નેપોટિઝમની ચર્ચા થાય છે. ઘણા અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓ પર ફિલ્મ ઉદ્યોગમાં ભાઈ ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ઘણા સ્ટાર્સ પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે છે. હાલમાં જ સની દેઓલે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

સની દેઓલ ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેના પિતા ધર્મેન્દ્ર ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર્સમાંના એક છે. બીજી પેઢીમાં, સની દેઓલ પોતે અને તેના ભાઈ-બહેનો પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. દેઓલ પરિવારની ત્રીજી પેઢીએ પણ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો છે.

સની દેઓલના પુત્ર રાજવીરે ગયા અઠવાડિયે ફિલ્મ 'દોનો'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ખૂબ જ ધૂમધામથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જોકે, ફિલ્મને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. હાલમાં જ પોતાના પુત્રની ફિલ્મના પ્રમોશન દરમિયાન સની દેઓલે ભાઈ ભત્રીજાવાદ એટલેકે વંશવાદને લઈને કેટલીક વાતો કહી હતી. આ વિશે વાત કરતાં 'ગદર 2'ના અભિનેતાએ કહ્યું કે, જો એક પિતા પોતાના પુત્ર વિશે નહીં વિચારે તો કોણ વિચારશે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા સની દેઓલે કહ્યું કે, ઘણા સમયથી તે આ શબ્દ નેપોટિઝમનો અર્થ જાણતો ન હતો. તેણે કહ્યું, 'પહેલા હું વિચારતો હતો કે આનો અર્થ શું છે? પછી જ્યારે મને ખબર પડી ત્યારે હું વિચારવા લાગ્યો કે, જો એક પિતા પોતાના બાળક માટે નહીં કરે તો કોણ કરશે? તેણે કહ્યું, એક્ટિંગ હોય કે અન્ય કોઈ ઈન્ડસ્ટ્રી, દરેક પિતા વિચારે છે કે, તેના બાળકનું જીવન કેવી રીતે આરામદાયક બનાવવું.'

આ અંગે સનીએ કેટલીક વધુ વાતો કહી. તેમણે કહ્યું, 'નેપોટિઝમ શબ્દનો ઉપયોગ મોટાભાગે એવા લોકો કરે છે, જેમને જીવનમાં કોઈ કારણસર સફળતા મળી નથી. તેઓ આ શબ્દનો ઉપયોગ તેમની નિરાશા વ્યક્ત કરવા માટે કરે છે, જ્યારે નેપોટિઝમ શબ્દનો કોઈ અર્થ જ નથી.'

 
 
 
View this post on Instagram

A post shared by Sunny Deol (@iamsunnydeol)

પોતાના પરિવાર વિશે વાત કરતાં તેણે કહ્યું, 'મારા પિતા (ધર્મેન્દ્ર)એ પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે હું, બોબી કે અભય જે કંઈ પણ છીએ તે અમારી પોતાની ઓળખ છે. જોકે હું જાણું છું કે પિતા હોવાનો અર્થ શું છે અને તેની પીડા પણ સમજું છું, પરંતુ રાજવીરની સફર તેની પોતાની સફર છે.'

અહીં તમને જણાવી દઈએ કે, સની દેઓલે તેના મોટા પુત્ર કરણ દેઓલને 'પલ પલ દિલ કે પાસ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરાવી હતી અને હવે રાજવીરે ફિલ્મ 'દોનો'થી ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશ બડજાત્યા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જે તેની પ્રથમ ફિલ્મ છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.