આ કારણે લંડન શિફ્ટ થવા માગે છે અનુષ્કા, માધુરી દિક્ષિતના પતિએ કર્યો ખુલાસો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી છેલ્લા કેટલાક દિવસોથી લંડનમાં રહે છે. એટલું જ નહીં, બંને અહીં પર્મનેન્ટલી સેટલ થવાની પ્લાનિંગ પણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હવે તેની પાછળના કારણનો ખુલાસો થઇ ગયો છે કે કેમ અનુષ્કા લંડન શિફ્ટ થવા માગે છે. તેનો ખુલાસો કોઇ બીજાએ નહીં, પરંતુ પણ માધુરી દીક્ષિતના પતિએ કર્યો છે. માધુરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, અનુષ્કા લંડન કેમ શિફ્ટ થવા માગે છે. થોડા મહિના અગાઉ, માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેને, જેઓ એક હેલ્થ એન્ડ વેલનેસ યુટ્યુબ ચેનલ ચલાવે છે, તેમણે યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાનું પોતાના પોડકાસ્ટ પર સ્વાગત કર્યું હતું જ્યારે બંનેએ વિરાટ કોહલી માટે પોતાની શાનદાર દીવાનગી પર ચર્ચા કરી હતી.

madhuri
aajtak.in

 

વાતચીત દરમિયાન ડૉક્ટર નેનેએ અનુષ્કા સાથે પોતાની વાતચીતને યાદ કરતા કહ્યું કે, હું તમને કંઇક બતાવીશ, અને એજ તમે શીખો છો, તેઓ બધા એક વખતમાં પોતાનું પેન્ટ પગમાં પહેરે. અમે એક દિવસ અનુષ્કા સાથે વાતચીત કરી હતી, અને તે ખૂબ જ રસપ્રદ હતી. તેઓ લંડન જવા બાબતે વિચારી રહ્યા હતા કેમ કે તેઓ પોતાની સફળતાનો આનંદ નથી લઇ શકતા. અને અમે તેમની આ મુશ્કેલીની પ્રશંસા કરીએ છીએ, કારણ કે તેઓ જે કંઇ કરે છે તે ધ્યાન આકર્ષિત કરે છે. આપણે લગભગ અલગ-થલગ પડી જઇએ છીએ. પછી ડૉક્ટર નેનેએ પ્રસિદ્ધિ સાથે પોતાના જટિલ સંબંધો બાબતે વાત કરી અને ખુલાસો કર્યો કે અનુષ્કા અને વિરાટ લંડન જતા રહ્યા કેમ કે તેઓ પણ પોતાના બાળકોને બધી ચમક-દમક અને ગ્લેમરથી દૂર ઉછેરવા માગે છે.

ડૉક્ટર નેનેએ કહ્યું કે, 'હું બધા સાથે હળી મળી જાઉં છું, હું બિન્દાસ છું. પરંતુ ત્યાં પણ તે પડકારપૂર્ણ થઇ જાય છે. હંમેશાં સેલ્ફી મોમેન્ટ હોય છે. ખરાબ રીતે નહીં, પરંતુ એક સમય એવો આવે છે જ્યારે તે જોવા જેવો બની જાય છે, જ્યારે તમે ડિનર અથવા લંચ પર હોવ છો અને તમારે તેની બાબતે વિનમ્ર થવું પડે છે. મારી પત્ની માટે આ એક મુદ્દો બની જાય છે, પરંતુ (અનુષ્કા અને વિરાટ) પ્રેમાળ લોકો છે, અને તેઓ પોતાના બાળકોને સામાન્ય રીતે ઉછેરવા માગે છે.

Virat,-Anushka1
news18.com

 

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પહેલી મુલાકાત વર્ષ 2013માં એક ટેલિવિઝન જાહેરાતની શૂટિંગ દરમિયાન થઇ હતી. બંને એકબીજાના પ્રેમ કરવા લાગ્યા, પરંતુ પોતાના સંબંધો છુપાવીને રાખ્યા. વર્ષ 2017માં ઇટાલીમાં બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આ કપલે જાન્યુઆરી 2021માં તેમના પહેલા બાળકના રૂપમાં, એક દીકરીનું સ્વાગત કર્યું અને તેનું નામ વામિકા રાખ્યું. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં તેઓ એક પુત્રના ગૌરવશાળી માતા-પિતા બની ગયા અને તેનું નામ અકાય રાખવામાં આવ્યું. હવે અનુષ્કા પોતાના બાળકોને ગ્લેમર અને ચમક-દમકની દુનિયાથી દૂર એક સામાન્ય જિંદગી આપવા માગે છે. ભારતમાં તેમના બાળકોને હંમેશાં લાઇમલાઇટમાં રાખવામા આવશે, પરંતુ અનુષ્કા આવું ઇચ્છતી નથી, તેના બદલે તે ઇચ્છે છે કે તેના બાળકો બીજા સામાન્ય બાળકોની જેમ પોતાનું બાળપણ જીવે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.