વિવેક અગ્નિહોત્રીએ કહ્યું-જે તમે જોઇ રહ્યા છો તે બોલિવુડ નથી. ખરું બોલિવુડ તો...

ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ હાલમાં જ અનુરાગ કશ્યપના ધ કાશ્મીર ફાઇલને લઇને ઓસ્કરવાળી કમેન્ટ પર રિએક્ટ કર્યું હતું. હવે વિવેકે એક લાંબી નોટ ટ્વીટર પર શેર કરી છે અને બોલિવુડની ઇનસાઇડ સ્ટોરી સામે લાવ્યા છે. વિવેક અનુસાર, બોલિવુડની અંદરની દુનિયા એટલી ડાર્ક છે કે સામાન્ય માણસ તે કેટલું ઉંડુ છે તે માપી નથી શકતો.

વિવેકે લખ્યું કે,’મેં બોલિવુડની દુનિયામાં એટલા વર્ષ વિતાવી લીધા છે કે, હું સારી રીતે સમજી ગયો છું કે, જે તમે જોઇ રહ્યા છો તે બોલિવુડ નથી. ખરું બોલિવુડ તો અંધારી ગલીઓમાં ગુમ થઇ ગયું છે. તેનો અંદરનો ભાગ એટલો કાળો છે કે, એક સામાન્ય માણસ માટે તેને સમજવું અસંભવ છે. આવો તેને સમજીએ. આ અંધારી ગલીઓમાં, તમે તુટેલા સપના જોઇ શકશો. બોલિવુડ જો વાર્તાઓનું મ્યુઝિયમ છે તો ટેલેન્ટનું કબ્રસ્તાન પણ છે. આ નકારવા વિશે નથી. જે કોઇ પણ અહીં આવે છે, તે જાણે છે કે, નકારવું એ આ ડીલનો એક હિસ્સો છે.’

વિવેક આગળ લખે છે કે, ‘આ અપમાન અને શોષણ છે જે કોઇપણ રીતે માનવતાના કોમળ સપના, આશાઓ અને વિશ્વાસને તોડી નાખે છે. વ્યક્તિ ભોજન વગર જીવતો રહી શકે છે પણ, સન્માન, આત્મ મૂલ્ય અને આશા વગર જીવી ન શકે. તેનો માર એટલો જોરથી પડે છે કે, કોઇ લડાઇ કરવાની જગ્યા પર હાર માની લે છે. ભાગ્યશાળી છે ઘરે પાછા જાય છે. જે રહી જાય છે, તે અલગ થઇ જાય છે. જે લોકો થોડી સફળતા મેળવે છે પણ તેમને પણ ખરી સફળતા નથી મળતી.’

વિવેકે તથાકથિત બોલિવુડનું સત્ય કહેતા આગળ લખ્યું કે, ‘તે ડ્રગ્સ, દારુ અને દરેક પ્રકારના જીવનને બરબાદ કરનારા પરિબળો સાથે શામેલ થઇ જાય છે. હવે તેમને પૈસાની જરૂર છે. તેથી, તેમને દરેક રીતે સારી વસ્તુઓ સાથે ઇન્ટ્રોડ્યુસ કરવવામાં આવે છે, જેનાથી પૈસા કમાઇ શકાય. થોડી સફળતા સૌથી ખતરનાક હોય છે. તમે કોઇ વગર કોઇ ઇનકમ અને વગર કોઇ પાવરે શોબિઝમાં છો. તમારે સ્ટારની જેમ દેખાવાનું છે, સ્ટારની જેમ પાર્ટી કરવાની છે, સ્ટારની જેમ પીઆર કરવાનું છે પણ તમે સ્ટાર નથી.’

વિવેક અનુસાર, બોલિવુડની દુનિયામાં ફક્ત અને ફક્ત અસત્ય અને દેખાવો ફેલાયેલો છે. દરેક લોકો પોતાના મતલબથી કામ કરી રહ્યા છે. કોઇને કોઇનાથી મતલબ નથી. વિવેકે તો પોતાના મનની વાત કહી દીધી છે, હવે જોવાનું એ હશે કે ચિઠ્ઠી કઇ રીતે કોના સુધી પહોંચે છે. વિવેકની આ નોટનો શું મતલબ નીકળે છે અને કોનો શું રિપ્લાઇ આવે છે. વિવેકની આ નોટ નવો વિવાદ પણ ઉભો કરી શકે છે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.