યુટ્યુબ પર ગ્લેમ કપલથી જાણીતા આ દંપતિ લગ્નના 5 વર્ષ પછી છુટા પડી ગયા

યુટ્યુબની દુનિયામાં ધૂમ મચાવનાર ગ્લેમ કપલ હવે અલગ થઈ રહ્યું છે. પ્રખ્યાત યુટ્યુબર હિમાંશી ટેકવાણી અને ઋષિ અઠવાણીએ કહ્યું કે તેઓ હવે સાથે નહીં આવે. ગ્લેમ કપલ નામની યુટ્યુબ ચેનલ ચલાવતા હિમાંશી ટેકવાણી અને ઋષિ અઠવાણીએ 5 વર્ષના તેમના લગ્ન જીવનનો અંત લાવી દીધો છે. આ કપલ તેમની યુટ્યુબ ચેનલ પર દરરોજ બ્લોગિંગ કરતા હતા.

છેલ્લા દોઢ મહિનાથી આ ચેનલ પર કોઈ વિડિયો આવતો ન હતો. આવી સ્થિતિમાં ચાહકો અનેક અટકળો લગાવી રહ્યા હતા. હિમાંશીના પતિ ઋષિ અઠવાણીએ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે. જે પછી લોકોને લાગવા લાગ્યું કે આ બંને વચ્ચે કંઈક ગરબડ ચાલી રહી છે.

ઋષિ અઠવાણીએ તેની યુટ્યુબ ચેનલ દ્વારા હિમાંશીથી અલગ થવાની માહિતી આપી હતી. તેણે કહ્યું કે હવે બંને અલગ થઈ ગયા છે. છેલ્લા ઘણા મહિનાઓથી અમારા બંને વચ્ચે ઘણું બધું બરાબર ચાલતું ન હતું. અમારા બંનેના પરિવારજનોએ આ મુદ્દે ઘણી વાતો કરી પરંતુ કોઈ ઉકેલ મળ્યો નહીં. અમે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે ઋષિએ અલગ થવાનું કોઈ નક્કર કારણ જણાવ્યું નથી.

ઋષિએ કહ્યું કે ઘણા મુદ્દાઓ પર બંનેના મત અલગ-અલગ રહેતા હતા,આવી સ્થિતિમાં આ સંબંધને આગળ લઈ જવું મુશ્કેલ બની રહ્યું હતું. ઋષિએ તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી હિમાંશી ટેકવાણી સાથેના તમામ ફોટો ડિલીટ કરી દીધા છે. તો હિમાંશીએ ઋષિ સાથેના માત્ર થોડા ફોટા ડિલીટ કર્યા છે. 

હિમાંશી ટેકવાનીએ પણ વીડિયો શેર કરીને અલગ થવાની વાત કરી છે. લગ્ન પહેલા તેની ચેનલનું નામ 'ધેટ ગ્લેમ ગર્લ' હતું. હવે તેણે ફરી પોતાની ચેનલનું નામ બદલી નાખ્યું છે. તેણે હાલમાં જ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી છે.

ઘણા લોકોના પ્રશ્નોના જવાબમાં હિમાંશીએ કહ્યું કે આ કોઈ મજાક નથી. આટલી જલ્દી સોશિયલ મીડિયા પર આવીને અમારા સંબંધો વિશે કંઇક કહેવું ઘણું મુશ્કેલ હતું. આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. તેની પાછળ ઘણા કારણો છે.

એન્ટરટેઇનમેન્ટ કે ફિલ્મી દુનિયામાં આવું જ બનતું રહે છે, લોકોને એવું લાગે કે તેમની જિંદગી મસ્ત ચાલી રહી છે, પરંતુ ગ્લેમર પાછળ ઘણી વખત અંધારું હોય છે. હિંમાશી અને ઋષિએ લગ્ન જીવનનો અંત લાવવાનું કારણ બતાવ્યું નથી, પરંતુ તેઓ છુટા પડી  ગયા છે  તે હકિકત છે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.