યુટ્યુબ પર ગ્લેમ કપલથી જાણીતા આ દંપતિ લગ્નના 5 વર્ષ પછી છુટા પડી ગયા

યુટ્યુબની દુનિયામાં ધૂમ મચાવનાર ગ્લેમ કપલ હવે અલગ થઈ રહ્યું છે. પ્રખ્યાત યુટ્યુબર હિમાંશી ટેકવાણી અને ઋષિ અઠવાણીએ કહ્યું કે તેઓ હવે સાથે નહીં આવે. ગ્લેમ કપલ નામની યુટ્યુબ ચેનલ ચલાવતા હિમાંશી ટેકવાણી અને ઋષિ અઠવાણીએ 5 વર્ષના તેમના લગ્ન જીવનનો અંત લાવી દીધો છે. આ કપલ તેમની યુટ્યુબ ચેનલ પર દરરોજ બ્લોગિંગ કરતા હતા.

છેલ્લા દોઢ મહિનાથી આ ચેનલ પર કોઈ વિડિયો આવતો ન હતો. આવી સ્થિતિમાં ચાહકો અનેક અટકળો લગાવી રહ્યા હતા. હિમાંશીના પતિ ઋષિ અઠવાણીએ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે. જે પછી લોકોને લાગવા લાગ્યું કે આ બંને વચ્ચે કંઈક ગરબડ ચાલી રહી છે.

ઋષિ અઠવાણીએ તેની યુટ્યુબ ચેનલ દ્વારા હિમાંશીથી અલગ થવાની માહિતી આપી હતી. તેણે કહ્યું કે હવે બંને અલગ થઈ ગયા છે. છેલ્લા ઘણા મહિનાઓથી અમારા બંને વચ્ચે ઘણું બધું બરાબર ચાલતું ન હતું. અમારા બંનેના પરિવારજનોએ આ મુદ્દે ઘણી વાતો કરી પરંતુ કોઈ ઉકેલ મળ્યો નહીં. અમે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે ઋષિએ અલગ થવાનું કોઈ નક્કર કારણ જણાવ્યું નથી.

ઋષિએ કહ્યું કે ઘણા મુદ્દાઓ પર બંનેના મત અલગ-અલગ રહેતા હતા,આવી સ્થિતિમાં આ સંબંધને આગળ લઈ જવું મુશ્કેલ બની રહ્યું હતું. ઋષિએ તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી હિમાંશી ટેકવાણી સાથેના તમામ ફોટો ડિલીટ કરી દીધા છે. તો હિમાંશીએ ઋષિ સાથેના માત્ર થોડા ફોટા ડિલીટ કર્યા છે. 

હિમાંશી ટેકવાનીએ પણ વીડિયો શેર કરીને અલગ થવાની વાત કરી છે. લગ્ન પહેલા તેની ચેનલનું નામ 'ધેટ ગ્લેમ ગર્લ' હતું. હવે તેણે ફરી પોતાની ચેનલનું નામ બદલી નાખ્યું છે. તેણે હાલમાં જ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી છે.

ઘણા લોકોના પ્રશ્નોના જવાબમાં હિમાંશીએ કહ્યું કે આ કોઈ મજાક નથી. આટલી જલ્દી સોશિયલ મીડિયા પર આવીને અમારા સંબંધો વિશે કંઇક કહેવું ઘણું મુશ્કેલ હતું. આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. તેની પાછળ ઘણા કારણો છે.

એન્ટરટેઇનમેન્ટ કે ફિલ્મી દુનિયામાં આવું જ બનતું રહે છે, લોકોને એવું લાગે કે તેમની જિંદગી મસ્ત ચાલી રહી છે, પરંતુ ગ્લેમર પાછળ ઘણી વખત અંધારું હોય છે. હિંમાશી અને ઋષિએ લગ્ન જીવનનો અંત લાવવાનું કારણ બતાવ્યું નથી, પરંતુ તેઓ છુટા પડી  ગયા છે  તે હકિકત છે.

About The Author

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.