ડુંગળી-લસણે ગુજરાતી દંપતીના છૂટાછેડા કરાવ્યા

છૂટાછેડા માટેના ઘણા કારણો હોય છે, ઘર કંકાસ, બંને વચ્ચેના અણબનાવો, મિસ બિહેવિયર, લગ્નેત્તર સંબંધો વગેરે વગેરે.. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ડુંગળી-લસણને કારણે કોઈના છૂટાછેડા થયા હોય? તમે કહેશો? કેવી વાત કરો છોઆવું તો કંઈ હોતું હશે? જી હાં ઘટના હકીકતમાં બની છે અને એ પણ દૂર નહીં આપણાં ગુજરાતમાં.

onion-and-garlic2
indiatv.in

ડુંગળી અને લસણ જેવી સામાન્ય રસોઈની સામગ્રીએ દંપતી વચ્ચે એવો મતભેદ ઊભો કરી દીધો કે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો. આખરે, સોમવારે ગુજરાત હાઈકોર્ટે પત્નીની અપીલ ફગાવતા ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આદેશને માન્ય રાખ્યો. પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી છે. તે ડુંગળી અને લસણ ખાવાથી એકદમ દૂર રહે છે. જોકે, પતિ અને તેના સાસરિયા પક્ષમાં આવા કોઈ ધાર્મિક કે આહાર પ્રતિબંધો નહોતા. વર્ષ 2002માં તેમના લગ્ન થયા ત્યારથી દંપતી વચ્ચે રસોડાના ઉપયોગને લઈને સતત તણાવ રહેતો હતો. મામલો એ હદ સુધી વણસ્યો કે અલગ-અલગ રસોઈની વ્યવસ્થા કરવી પડી.

gujarat-HC
IPL Auction

સમય જતા ઘરેલું ઝઘડો વધવા લાગ્યો અને પત્ની તેમના બાળક સાથે તેના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી. 2013માં પતિએ અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જેમાં પત્ની પર માનસિક ક્રૂરતા અને તેને ત્યજી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટે 8 મે 2024ના રોજ છૂટાછેડાનો આદેશ મંજૂર કર્યો, જેમાં પતિને પત્નીને ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ બંને પક્ષો હાઈકોર્ટ પહોંચ્યા. પતિ ભરણપોષણની રકમને પડકારી રહ્યો હતો અને પત્ની છૂટાછેડાના આદેશને રદ કરવાની માગ કરી રહી છે.

divorce1
nytimes.com

હાઇકોર્ટની સુનાવણી દરમિયાન એક મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે પત્નીએ કોર્ટ જણાવ્યું કે તેને હવે છૂટાછેડા સામે કોઈ આપત્તિ નથી. આનાથી તેનો છૂટાછેડાની અરજી પાછી ખેંચવાનો ઇરાદો સ્પષ્ટ થઇ ગયો. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પત્નીએ સ્પષ્ટ કર્યું છે કે તેને છૂટાછેડા સામે કોઈ આપત્તિ નથી, એટલે છૂટાછેડાના મુદ્દા પર વધુ વિચાર કરવાની જરૂર નથી. કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો, જેમાં લગ્નને કાયદેસર રીતે સમાપ્ત માની લેવામાં આવ્યા. ભરણપોષણ અંગે પતિની અરજી પર વધુ સુનાવણી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.