ડુંગળી-લસણે ગુજરાતી દંપતીના છૂટાછેડા કરાવ્યા

છૂટાછેડા માટેના ઘણા કારણો હોય છે, ઘર કંકાસ, બંને વચ્ચેના અણબનાવો, મિસ બિહેવિયર, લગ્નેત્તર સંબંધો વગેરે વગેરે.. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ડુંગળી-લસણને કારણે કોઈના છૂટાછેડા થયા હોય? તમે કહેશો? કેવી વાત કરો છોઆવું તો કંઈ હોતું હશે? જી હાં ઘટના હકીકતમાં બની છે અને એ પણ દૂર નહીં આપણાં ગુજરાતમાં.

onion-and-garlic2
indiatv.in

ડુંગળી અને લસણ જેવી સામાન્ય રસોઈની સામગ્રીએ દંપતી વચ્ચે એવો મતભેદ ઊભો કરી દીધો કે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો. આખરે, સોમવારે ગુજરાત હાઈકોર્ટે પત્નીની અપીલ ફગાવતા ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આદેશને માન્ય રાખ્યો. પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી છે. તે ડુંગળી અને લસણ ખાવાથી એકદમ દૂર રહે છે. જોકે, પતિ અને તેના સાસરિયા પક્ષમાં આવા કોઈ ધાર્મિક કે આહાર પ્રતિબંધો નહોતા. વર્ષ 2002માં તેમના લગ્ન થયા ત્યારથી દંપતી વચ્ચે રસોડાના ઉપયોગને લઈને સતત તણાવ રહેતો હતો. મામલો એ હદ સુધી વણસ્યો કે અલગ-અલગ રસોઈની વ્યવસ્થા કરવી પડી.

gujarat-HC
IPL Auction

સમય જતા ઘરેલું ઝઘડો વધવા લાગ્યો અને પત્ની તેમના બાળક સાથે તેના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી. 2013માં પતિએ અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જેમાં પત્ની પર માનસિક ક્રૂરતા અને તેને ત્યજી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટે 8 મે 2024ના રોજ છૂટાછેડાનો આદેશ મંજૂર કર્યો, જેમાં પતિને પત્નીને ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ બંને પક્ષો હાઈકોર્ટ પહોંચ્યા. પતિ ભરણપોષણની રકમને પડકારી રહ્યો હતો અને પત્ની છૂટાછેડાના આદેશને રદ કરવાની માગ કરી રહી છે.

divorce1
nytimes.com

હાઇકોર્ટની સુનાવણી દરમિયાન એક મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે પત્નીએ કોર્ટ જણાવ્યું કે તેને હવે છૂટાછેડા સામે કોઈ આપત્તિ નથી. આનાથી તેનો છૂટાછેડાની અરજી પાછી ખેંચવાનો ઇરાદો સ્પષ્ટ થઇ ગયો. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પત્નીએ સ્પષ્ટ કર્યું છે કે તેને છૂટાછેડા સામે કોઈ આપત્તિ નથી, એટલે છૂટાછેડાના મુદ્દા પર વધુ વિચાર કરવાની જરૂર નથી. કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો, જેમાં લગ્નને કાયદેસર રીતે સમાપ્ત માની લેવામાં આવ્યા. ભરણપોષણ અંગે પતિની અરજી પર વધુ સુનાવણી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દેશમાં સમાન નાગરિક...
National 
‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટના 22 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આ મામલે વધુ બે...
Gujarat 
એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે વિશ્વભરમાં ચિંતા ઉભી કરી છે....
National 
LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.