ડુંગળી-લસણે ગુજરાતી દંપતીના છૂટાછેડા કરાવ્યા

છૂટાછેડા માટેના ઘણા કારણો હોય છે, ઘર કંકાસ, બંને વચ્ચેના અણબનાવો, મિસ બિહેવિયર, લગ્નેત્તર સંબંધો વગેરે વગેરે.. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ડુંગળી-લસણને કારણે કોઈના છૂટાછેડા થયા હોય? તમે કહેશો? કેવી વાત કરો છોઆવું તો કંઈ હોતું હશે? જી હાં ઘટના હકીકતમાં બની છે અને એ પણ દૂર નહીં આપણાં ગુજરાતમાં.

onion-and-garlic2
indiatv.in

ડુંગળી અને લસણ જેવી સામાન્ય રસોઈની સામગ્રીએ દંપતી વચ્ચે એવો મતભેદ ઊભો કરી દીધો કે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો. આખરે, સોમવારે ગુજરાત હાઈકોર્ટે પત્નીની અપીલ ફગાવતા ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આદેશને માન્ય રાખ્યો. પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી છે. તે ડુંગળી અને લસણ ખાવાથી એકદમ દૂર રહે છે. જોકે, પતિ અને તેના સાસરિયા પક્ષમાં આવા કોઈ ધાર્મિક કે આહાર પ્રતિબંધો નહોતા. વર્ષ 2002માં તેમના લગ્ન થયા ત્યારથી દંપતી વચ્ચે રસોડાના ઉપયોગને લઈને સતત તણાવ રહેતો હતો. મામલો એ હદ સુધી વણસ્યો કે અલગ-અલગ રસોઈની વ્યવસ્થા કરવી પડી.

gujarat-HC
IPL Auction

સમય જતા ઘરેલું ઝઘડો વધવા લાગ્યો અને પત્ની તેમના બાળક સાથે તેના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી. 2013માં પતિએ અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જેમાં પત્ની પર માનસિક ક્રૂરતા અને તેને ત્યજી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટે 8 મે 2024ના રોજ છૂટાછેડાનો આદેશ મંજૂર કર્યો, જેમાં પતિને પત્નીને ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ બંને પક્ષો હાઈકોર્ટ પહોંચ્યા. પતિ ભરણપોષણની રકમને પડકારી રહ્યો હતો અને પત્ની છૂટાછેડાના આદેશને રદ કરવાની માગ કરી રહી છે.

divorce1
nytimes.com

હાઇકોર્ટની સુનાવણી દરમિયાન એક મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે પત્નીએ કોર્ટ જણાવ્યું કે તેને હવે છૂટાછેડા સામે કોઈ આપત્તિ નથી. આનાથી તેનો છૂટાછેડાની અરજી પાછી ખેંચવાનો ઇરાદો સ્પષ્ટ થઇ ગયો. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પત્નીએ સ્પષ્ટ કર્યું છે કે તેને છૂટાછેડા સામે કોઈ આપત્તિ નથી, એટલે છૂટાછેડાના મુદ્દા પર વધુ વિચાર કરવાની જરૂર નથી. કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો, જેમાં લગ્નને કાયદેસર રીતે સમાપ્ત માની લેવામાં આવ્યા. ભરણપોષણ અંગે પતિની અરજી પર વધુ સુનાવણી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

તિરુપતી બાલાજી મંદિરમાં સેવા સાડીનું મોટું કૌભાંડ, સુરતનુ કનેકશન છે

આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતી બાલાજી મંદિરમાં લાડુમાં ખરાબ ઘીના કૌભાંડ પછી હવે બીજું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. તિરુપતી સેવા સાડીમં...
National 
તિરુપતી બાલાજી મંદિરમાં સેવા સાડીનું મોટું કૌભાંડ, સુરતનુ કનેકશન છે

ઓલિમ્પિકમાં હાર,હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત, વિનેશ ફોગાટ ફરી રિંગમાં ઉતરશે

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયા હતા. તેમનું ઓછામાં ઓછું સિલ્વર મેડલ ફિક્સ થઈ ગયું હતું....
Sports 
ઓલિમ્પિકમાં હાર,હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત, વિનેશ ફોગાટ ફરી રિંગમાં ઉતરશે

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.