- Governance
- ગુજરાતમાં અન્ન માટે હેલ્પલાઇન, ફરિયાદ કરી શકો છો...
ગુજરાતમાં અન્ન માટે હેલ્પલાઇન, ફરિયાદ કરી શકો છો...
ગુજરાતમાં રાષ્ટ્રીય અન્ન સલામતીના કાયદાના અમલ પછી સરકારે રાજ્ય અન્ન આયોગની રચના કરી છે. આ આયોગ દ્વારા વાજબી ભાવની દુકાનો, આંગણવાડી, મધ્યાહન ભોજન સહિતના અન્ન અંગે કોઈ ફરિયાદ ઊભી થાય તો તેના નિવારણ માટેની કાર્યવાહી શરૂ કરી છે.
અન્ન આયોગે એક હેલ્પલાઇન સર્વિસ શરૂ કરી છે. જે કોઈ અન્ન અંગે ફરિયાદ કરશે તો જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ રહે છે. આયોગને આ માધ્મયથી અનાજ ઓછું મળવાની, ભેળસેળ, રેશનકાર્ડના પ્રશ્નો, મધ્યાહ્ન ભોજનમાં ગેરરીતિ કે હલકું અનાજ આપવા અંગેની તમામ ફરિયાદો આ હેલ્પલાઇનમાં નોંઘાવી શકાશે.
સરકારમાં એવો સિરસ્તો છે કે રેશનકાર્ડ ધારક લાભાર્થી ફરિયાદ અંગે જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી તરીકે નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરી શકે છે. રૂબરૂ, ટપાલ, ઈમેઈલથી પણ ફરિયાદ કરી શકે છે પરંતુ લાભાર્થી જો અધિકારીઓના નિર્ણયથી નારાજ થયા હોય તો રાજ્યકક્ષાએ રાજ્ય અન્ન આયોગને અપીલ કરી શકશે અને આ અપીલ પ્રમાણે ન્યાય આપવામાં આવશે.
ગાંધીનગરમાં સીધી અપીલ કે ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1800-233-5500 ઉપર સંપર્ક કરી શકાશે. જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ અધિકારી કલેકટર અને રાજ્ય કક્ષાએ અધ્યક્ષ ગુજરાત રાજ્ય અન્ન આયોગ, અન્નભવન ખાતે ફરિયાદ કરી શકશે. આ માટે ઈ-મેઈલ આઈડી પર કરી શકાશે.
ગુજરાતમાં અન્ન સલામતી કાયદામાં 3.82 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે. અંત્યોદય કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યાજબીભાવની દુકાનો પરથી અનાજનો જથ્થો આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં 258.78 લાખ શહેરી વિસ્તારમાં 124.06 લાખ મળીને 382 લાખને લાભ મળે છે.
જો કે અવારનવાર આ અનાજના જથ્થાની ફાળવણીને લઈને ફરિયાદો ઉપસ્થિત થતી પરંતુ તેના નિવારણ માટે વૈધાનિક ઢબે નેટવર્ક હતું નહીં જેને લઈને અન્ન સલામતી આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગની કામગીરીના ભાગરૂપે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

