IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો

ભારતીય માહિતી પ્રોદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે. સંસ્થા બી.ટેક. (ગણિત અને કમ્પ્યુટિંગ) તથા એમ.ટેક. (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ)માં ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ વિશેષતા સાથે નવા અભ્યાસક્રમો શરૂ કરશે.

નવા અભ્યાસક્રમોની શરૂઆત અંગે IIIT સુરતના નિયામક ડૉ. રાજીવ શૌરીએ જણાવ્યું હતું કે, "બી.ટેક. ગણિત અને કમ્પ્યુટિંગ તથા એમ.ટેક. ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ અભ્યાસક્રમોની શરૂઆત, ભવિષ્યની ટેક્નોલોજીકલ માંગને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત શૈક્ષણિક અભ્યાસક્રમો વિકસાવવાની IIIT સુરતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને મજબૂત સિદ્ધાંત આધાર અને વ્યવહારુ કૌશલ્ય પ્રદાન કરવા માટે રચવામાં આવ્યા છે, જે ભારતના ટેક્નોલોજીકલ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે."

IIIT સુરતના બોર્ડ ઓફ ગવર્નર્સ (BoG)ના સભ્ય આશા દવેએ જણાવ્યું હતું કે, "IIIT સુરતે નવીન શૈક્ષણિક અભ્યાસક્રમો અને મજબૂત રાષ્ટ્રીય તથા વૈશ્વિક સહયોગો દ્વારા ઉદ્યોગ અને સમાજની ઉભરતી જરૂરિયાતોને સતત પ્રતિસાદ આપ્યો છે. આ નવા અભ્યાસક્રમોની શરૂઆતથી અદ્યતન કમ્પ્યુટિંગ, સંરક્ષણ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને અવકાશ પ્રણાલીઓ જેવા રાષ્ટ્રીય વ્યૂહાત્મક ક્ષેત્રો માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી માનવશક્તિ તૈયાર કરવામાં સંસ્થાનું યોગદાન વધુ મજબૂત બનશે. આ સ્થાનિક ઉદ્યોગ અને નવીનતા ઇકોસિસ્ટમ માટે પણ વિશાળ તકો ઉભી કરશે."

37

આ નવા અભ્યાસક્રમો સાથે IIIT સુરતના B.Tech. અભ્યાસક્રમોની કુલ સંખ્યા પાંચ થશે, જેમાં Computer Science and Engineering (CSE), Computer Science and Engineering (Artificial Intelligence & Machine Learning), Computer Science and Engineering (Cyber Security), Electronics and Communication Engineering (ECE) તથા Mathematics & Computing નો સમાવેશ થાય છે. સંસ્થા ત્રણ M.Tech. અભ્યાસક્રમો પણ શરૂ કરશે, જેમાં Computer Science and Engineering (Data Science & AI-ML), Electronics and Communication Engineering (VLSI) તથા Electronics and Communication Engineering (Defence & Space Electronics) નો સમાવેશ થાય છે.

આ નવા સોપાનનો ટેકો આપવા માટે IIIT સુરતે પોતાની શૈક્ષણિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. બી.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 280 થી વધારીને 384 બેઠકો કરવામાં આવી છે, જ્યારે એમ.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 40 થી વધારીને 60 બેઠકો કરવામાં આવી છે. સંસ્થા તેના પીએચ.ડી. કાર્યક્રમો અને આંતરવિષયક સંશોધનના પ્રારંભ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા, સાયબર સિક્યોરિટી, VLSI ડિઝાઇન, રોબોટિક્સ, કમ્યુનિકેશન સિસ્ટમ્સ અને સ્પેસ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે.

IIIT સુરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી ઉદ્યોગો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથેના મજબૂત સહયોગો દ્વારા ટેક્નોલોજીકલ શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે.

સંસ્થાએ Advanced Micro Devices (AMD), USA; MediaTek, Taiwan; Bosch; ISRO Space Applications Centre (SAC); તેમજ ભારત અને વિદેશના અનેક સ્ટાર્ટઅપ્સ સાથે સમજૂતી કરારો (MoU) કર્યા છે. ઉપરાંત, સંસ્થાએ IIT Gandhinagar, IIIT Bangalore, IITMO University (Russia), Singapore Management University (Singapore), University of Siena (Italy) અને Deakin University, (Australia) જેવી અગ્રણી સંસ્થાઓ સાથે શૈક્ષણિક સહયોગ સ્થાપ્યો છે.

35 નિયમિત ફેકલ્ટી સભ્યો અને 13 Professors of Practice તથા Adjunct Faculty સાથે સંસ્થાએ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન 45 કરતાં વધુ સંશોધન પેપરો પ્રકાશિત કર્યા છે અને 2 પેટન્ટ પ્રાપ્ત કર્યા છે. સંસ્થાએ ઉદ્યોગસાહસિકતા માટે પણ સશક્ત માહોલ ઊભો કર્યો છે, જેના પરિણામે તેની સ્થાપના પછીથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા પાંચ સ્ટાર્ટઅપ્સ ઇન્ક્યુબેટ કરવામાં આવ્યા છે.

IIIT સુરતે પ્લેસમેન્ટ ક્ષેત્રમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાનો સર્વોચ્ચ વાર્ષિક પગાર પેકેજ ₹54.89 લાખ (LPA) અને સરેરાશ વાર્ષિક પગાર પેકેજ ₹14.85 લાખ (LPA) રહ્યો હતો, જે ગુણવત્તાસભર શિક્ષણ, સંશોધન, નવીનતા અને ઉદ્યોગ-તૈયાર માનવશક્તિ નિર્માણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ નવા અભ્યાસક્રમોની શરૂઆત ભવિષ્ય માટે પ્રતિભાઓને તૈયાર કરી અને ભારતની ટેક્નોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપવાના IIIT સુરતના ધ્યેય તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.

About The Author

Related Posts

Top News

રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ IPL 2025 મેગા ઓક્શનમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને રૂ. 27 કરોડમાં ખરીદ્યો હતો, ...
Sports 
રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

તમારી પાસે 17 લાખ રૂપિયાની મહિન્દ્રા થાર છે. તમારી પાસે વાર્ષિક 42 હજાર રૂપિયાનો વીમો પણ છે. તમારી કારનો અકસ્માત...
Tech and Auto 
થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

છેલ્લા 7 દાયકામાં 17 મુખ્ય અલ નિનો ઘટનાઓમાંથી, ભારતમાં ઓછામાં ઓછા 5માં સામાન્ય અથવા વધુ વરસાદ પડ્યો. 1980...
Science 
અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો

ભારતીય માહિતી પ્રોદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો...
Gujarat 
IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.