થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

તમારી પાસે 17 લાખ રૂપિયાની મહિન્દ્રા થાર છે. તમારી પાસે વાર્ષિક 42 હજાર રૂપિયાનો વીમો પણ છે. તમારી કારનો અકસ્માત થઇ જાય છે અને તમે તમારી વીમા કંપનીને ફોન કરો છો. એક સર્વેયર આવે છે અને કારના ફોટા લે છે અને ત્યાંથી નીકળી જાય છે. 7 દિવસ પછી, તમને વીમા કંપની તરફથી ખબર પડે છે કે તમારો દાવો નકારવામાં આવ્યો છે. હવે, તમારે ખિસ્સામાંથી કારને થયેલા 3.8 લાખ રૂપિયાના નુકસાનની ચૂકવણી કરવી પડશે. આ વાંચીને, તમને લાગશે કે આ ફરી પાછો ગ્રાહક ફોરમને લાગતો કેસ છે. ના, સાહેબ, પણ આ છે બેદરકારીભર્યો ક્લાસિક કેસ.

Insurance Claim
carandbike.com

કાર વીમા દાવા નકારવાનો આ કિસ્સો પંજાબનો છે, જ્યાં હરપ્રીત સિંહે તેની મહિન્દ્રા થાર પર કંપની દ્વારા લગાવાયેલી હેડલાઇટ પર કાળો રંગ કરાવ્યો હતો. તેણે નવી LED DRL લાઇટ્સ પણ લગાવી હતી, હૂડ પર સ્નોર્કલ્સ લગાવી અને કાર પર મેટ ઓલિવ પર ફિલ્મ લગાવી. અકસ્માતનો દાવો મળતાં, કંપનીએ જણાવ્યું હતું કે, 'વાહનની વિગતો વીમા પૉલિસીમાં આપેલી વિગતો સાથે મેળ ખાતી નથી. પૉલિસી આપતી વખતે કરવામાં આવેલા ફેરફારો જાહેર કરવામાં આવ્યા ન હતા.'

Modified Thar
facebook.com

વીમા કાયદાની કલમ 64VB મુજબ, મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરવામાં નિષ્ફળ જવાથી પૉલિસી અમાન્ય થઈ જશે. આનો અર્થ એ છે કે, વાહનમાં કોઈપણ ફેરફાર જે ફેક્ટરી ફિટમેન્ટથી અલગ હોય, જો વીમા કંપનીને જાહેર કરવામાં ન આવે, તો ગ્રાહકને નુકસાન સહન કરવું પડશે. આવા કિસ્સામાં, કોર્ટ પણ તમારી અપીલ સાંભળશે નહીં.

અમે આ કેસનો ઉલ્લેખ કર્યો છે, એનું કારણ એ છે કે, ભારતમાં મોટાભાગના વાહન માલિકો જાણતા નથી કે વાહનમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવાથી વીમાનો દાવો નકારી શકાય છે. પછી ભલે તે મોટા વ્હીલ્સ ઇન્સ્ટોલ કરવાનું હોય કે બોડી પર રંગીન ફિલ્મ લગાવવાનું હોય. ફેરફારો કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ વીમા કંપનીને તેની જાણ હોવી જોઈએ.

Insurance Claim
carandbike.com

વીમા કંપની તમારા વાહનની વિગતો તેની સિસ્ટમમાં દાખલ કરશે અને તે મુજબ નવું વીમા પ્રીમિયમ નક્કી કરશે. જો તમે આ નહીં કરો, તો ફેરફારો તમને હસાવવાને બદલે રડાવશે. તેથી, તમારા વાહનમાં નવી LED લાઇટ લગાવતા પહેલા અથવા તેનો રંગ બદલતા પહેલા, બધી જરૂરી પરવાનગીઓ લો અને તમારી વીમા કંપનીને પણ જાણ કરો.

About The Author

Related Posts

Top News

રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ IPL 2025 મેગા ઓક્શનમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને રૂ. 27 કરોડમાં ખરીદ્યો હતો, ...
Sports 
રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

તમારી પાસે 17 લાખ રૂપિયાની મહિન્દ્રા થાર છે. તમારી પાસે વાર્ષિક 42 હજાર રૂપિયાનો વીમો પણ છે. તમારી કારનો અકસ્માત...
Tech and Auto 
થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

છેલ્લા 7 દાયકામાં 17 મુખ્ય અલ નિનો ઘટનાઓમાંથી, ભારતમાં ઓછામાં ઓછા 5માં સામાન્ય અથવા વધુ વરસાદ પડ્યો. 1980...
Science 
અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો

ભારતીય માહિતી પ્રોદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો...
Gujarat 
IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.