ગુજરાત હાઈકોર્ટઃ રાજ્યમાં કલેક્ટર અને પોલીસ કમિશ્નર પોતાને ભગવાન સમજે છે, તેઓ...

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓફિસરોના વર્તન પર કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવા માટે બહાર પાડેલા હેલ્પલાઇન નંબરના પ્રચારની રીત પર અસંતોષ વ્યક્ત કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે સુનાવણી સમયે કહ્યું કે, જિલ્લાધિકારી(કલેક્ટર) અને પોલીસ કમિશ્નર(સીપી) જેવા અધિકારીઓ ભગવાનની જેમ વ્યવહાર કરે છે. તેઓ સામાન્ય નાગરિકોની પહોંચથી બહાર છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ પી મયીની બેંચે સરકારને આદેશ આપ્યો કે તેમની સરકાર દ્વારા સ્થાપિત ફરિયાદ કક્ષ અને હેલ્પલાઇન નંબર વિશે તેઓ નાગરિકોને સ્પષ્ટ રીતે જાણ કરે.

ચીફ જસ્ટિસે કહ્યું, આ હકીકત છે

કોર્ટ એક ઘટનાની ખબર પર આધારિત PIL પર સુનાવણી કરી રહી હતી. જ્યાં ટ્રાફિક પોલીસોએ અમદાવાદ શહેરમાં મોડી રાતે મુસાફરી કરી રહેલા એક કપલ પાસેથી કથિતપણે પૈસા વસૂલ કર્યા હતા. ચીફ જસ્ટિસ અગ્રવાલે કહ્યું કે, શું તમે આશા રાખો છો કે એક સામાન્ય નાગરિક તમારી ઓફિસની સામે ઊભો રહેશે? તેમને ફરિયાદ કક્ષમાં આવવાની પરવાનગી કોણ આપશે? તમારા કલેક્ટર અને કમિશ્નર ભગવાનની જેમ, રાજાની જેમ વ્યવહાર કરે છે. અમને કશું પણ કહેવા માટે ઉશ્કેરો નહીં. આ જમીની હકીકત છે.

ગુજરાત હાઈકોર્ટે પહેલા અમદાવાદ પોલીસ અધીક્ષકને દોષી પોલીસકર્મીઓ કે અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા નાગરિકો માટે એક હેલ્પલાઇન નંબર અને ફરિયાદ કક્ષ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે, કોઇપણ વ્યક્તિને ખબર હોવી જોઇએ કે ગ્રીવેંસ સેલથી કઇ રીતે સંપર્ક કરવાનો છે અને કોને સંપર્ક કરવાનો છે. ઓગસ્ટમાં બહાર આવેલી એક રિપોર્ટ અનુસાર, બે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે અને એક ટ્રાફિક બ્રિગેડના જવાને એક કપલ જે વિદેશમાં વેકેશન માણ્યા પછી પોતાના એક વર્ષના દીકરા સાથે અમદાવાદ એરપોર્ટથી કેબ કરીને પોતાના ઘરે જઇ રહ્યા હતા, ત્યારે તેમને મોડી રાતે નિયમોનું ઉલ્લંઘન કરી બહાર ફરવા પર તેમને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી હતી.

ટ્રાફિક કોન્સ્ટેબલોમાંથી એકે કથિત પણે તેમને છોડવા માટે 2 લાખ રૂપિયાની માગ કરી, પણ અંતે 60 હજાર રૂપિયાએ માન્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે પોલીસકર્મી કથિતપણે પતિને ATMમાં લઇ ગયા અને રોકડ કાઢવા મજબૂર કર્યા, જ્યારે તેનો સાથી મહિલા અને બાળક સાથે કેબમાં બેસી રહ્યો. હાઈકોર્ટે આ ખબરને સંજ્ઞાનમાં લીધી અને આ મુદ્દા પર જનહિત અરજી શરૂ કરી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.