આણંદ કલેક્ટર ઓફિસમા સ્પાય કેમેરો કોણે લગાવ્યો?એ.કલેક્ટર કેતકી વ્યાસને SP ઓફિસે..

લગભગ દશેક દિવસ પહેલા એક આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે આણંદના કલેકટર ડી. એસ. ગઢવીને સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા અને 3 મહિલા અધિકારીઓની એક તપાસ સમિતિની રચના કરી હતી. હવે આ મામલામાં ગુજરાત  ATS પોતે ફરિયાદી બન્યું છે અને કલેકટરની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડનાર એક મહિલા એડિશનલ કલેકટર સહિત 3 લોકોને SP ઓફિસે લઇ જવામાં આવ્યા છે. જાણવા મળેલી વિગત મુજબ મહિલા એડિશનલ કલેકટર સહિત ત્રણેય જણાએ પોતાનો ગુનો કબુલી લીધો છે કે તેમણે જ કલેકટર ડી. એસ. ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા મુકેલા અને જેને કારણે ગઢવીનો એક મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો વાયરલ થયો હતો.

જાણવા મળેલી વિગત મુજબ આણંદ કલેકટર કચેરીમાં સ્પાય કેમેરા લગાવવાના મુદ્દે એડિશનલ કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય એક કર્મચારીની અટકાયત કરવામાં આવી છે. કલેકટર ગઢવીને ફસાવવાનો રીતસરનો કારસો રચવામાં આવ્યું હોવાની વાત ATS તપાસમાં સામે આવ્યું છે.ચોંકાવનારી વાત એ છે કે આ ટોળકીએ કલેકટરને ફસાવવા તેમની ઓફિસમાં યુવતીઓને મોકલી હતી. આ પહેલાં પણ બે યુવતીઓને કલેકટર ગઢવીને ચેમ્બરમાં મોકલવામાં આવી હતી.

અંતે ત્રિપુટીનો કારસો સફળ થયો હતો અને કલેકટર એક મહિલા સાથે મોજમસ્તી કરતા કેમેરામાં કેદ થઇ ગયા હતા.

સરકારી કચેરીઓમાં કેટલું ગંદુ રાજકારણ ચાલે છે તે આ ઘટના પરથી ખબર પડે છે. નિવૃતિને આરે આવીને ઉભેલા કલેકટર ડી. એસ ગઢવીને સંકજામાં લેવા માટે તેમની ચેમ્બરમાં મહિલા અધિકારી સહિતના લોકોએ સ્પાય કેમરા ગોઠવી દીધા હતા અને તેમાં કલેકટર ગઢવી આબાદ ફસાઇ ગયા હતા.

 આણંદના કલેકટર ડી. એસ. ગઢવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને સરકાર સુધી આ વાત પહોંચી હતી. સરકારે પુરતી તપાસ કર્યા પછી ડી. એસ. ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા અને આણંદના નવા કલેકટર તરીકે મિલિન્દ બાપનાની નિમણુંક કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે આણંદ કલેકટરની ઘટનાની તપાસ માટે 3 મહિલા અધિકારીઓને જવાબદારી સોંપી હતી. જેમાં જેમાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યા સામેલ હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.