નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની આશ્રમશાળાના 11 બાળકો અચાનક ધુણવા લાગ્યા

નર્મદાના ડેડિયાપાડા તાલુકાની મોસ્કુટ આશ્રમશાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં અચાનક 11 બાળકો ધુણવા લાગતા શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોની સ્થિતિ જોઈ શિક્ષકો અને સ્ટાફમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે ડેડિયાપાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ તપાસ અને તબીબી મૂલ્યાંકન માટે બાળકોને ત્યારબાદ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ZEE 24 કલાકના અહેવાલ મુજબ, મોસ્કુટ આશ્રમશાળામાં આ ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી. ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકોને પહેલાં દેડિયાપાડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ તપાસ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરાઈ હતી, પરંતુ બાળકોમાં ઝાડા-ઉલ્ટી કે પેટમાં દુ:ખાવા જેવાં કોઈ લક્ષણો ન હોવાથી આ વર્તન પાછળ માનસિક કારણો જવાબદાર હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. આજે આ ઘટનાનો ખુલાસો થતા જ શાળાના શિક્ષકો વચ્ચેનો આંતરિક વિખવાદ પણ ચર્ચામાં આવ્યો છે, જેને કારણે બાળકોના અભ્યાસ પર વિપરીત અસર ન પડે તે અંગે ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

moskut-ashramshala
zeenews.india.com

શરૂઆતના તબક્કે હોસ્પિટલ સ્ટાફ અને ડૉક્ટરો દ્વારા ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ મેડિકલ તપાસ દરમિયાન બાળકોમાં ઝાડા, ઉલ્ટી કે પેટમાં દુ:ખાવા જેવા ફૂડ પોઈઝનિંગના કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. જેથી તબીબોના મતે બાળકો ધુણવા લાગ્યા તે પાછળ શારીરિક બીમારી કરતાં કોઈ માનસિક કારણ કે મનોવૈજ્ઞાનિક અસર હોવાની શક્યતા વધુ સેવાઈ રહી છે.

નિર્ભય ન્યૂઝના અહેવાલ મુજબ, શિક્ષકો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, એક બાળક બાદ બીજું અને ત્યારબાદ ત્રીજું બાળક પણ ધુણવા લાગ્યું હતું. આમ, અંદાજે 11 જેટલા બાળકો એક પછી એક ધુણવા લાગતા શાળાના શિક્ષકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. મુખ્ય શિક્ષક દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરી બાળકોને સારવાર માટે દેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને સારવાર માટે બાળકોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

moskut-ashramshala1
x.com/nirbhaynews1

બાળકોમાં એક પછી એક સમાન પ્રકારના લક્ષણો જોવા મળતા ઘટનાની પાછળ માનસિક અથવા સામૂહિક માનસિક અસર જેવી શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે ચોક્કસ કારણ અંગે સત્તાવાર તબીબી નિષ્કર્ષ સામે આવ્યો નથી. તેથી માત્ર પ્રાથમિક આશંકાઓના આધારે કારણ નક્કી કરવું યોગ્ય નહીં બને.

આ સમગ્ર બનાવમાં એક બીજો ચોંકાવનારો વળાંક પણ સામે આવ્યો છે. શાળાના શિક્ષકો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિખવાદ અને વાતાવરણ પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ વિચિત્ર ઘટના ગત 9 તારીખે બની હતી, પરંતુ તેની વિગતો અને ખુલાસા આજે સામે આવ્યા છે, જે સંચાલનની કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આશ્રમશાળાના શિક્ષક કલ્પનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, એક છોકરી પાણી પીવા માટે ગઈ. ત્યાંથી ધીરે ધીરે ચાલતી આવતી હતી, અચાનક જ એને પવન છૂટવા લાગ્યો, તો અમે એને રૂમમાં લઈ ગયા અને પગ પણ માલિશ કર્યાં. જે બાદ એક આઠમા ધોરણના વિદ્યાર્થીને હનુમાન દાદાનો પવન છૂટ્યો. જેથી એને પણ પેટી રૂમમાં લઈ ગયા હતા અને એને વ્યવસ્થિત સુવાડ્યો. જે બાદ હાજર રહેલા અમે ત્રણથી ચાર શિક્ષકો ત્યાં આવ્યા હતા પાણી અને સરબત પીવડાવી એની સેવાચાકરી સારી રીતે કરી.

કલ્પનાબેન વસાવાએ વધુમાં જણાવ્યું કે, અમારા ગામમાં મરણ પ્રસંગ હતો. માતાજી આવે એટલે થોડો અવાજ મોટો હતો, જેથી બૂમ પાડતા ગામમાંથી માણસો પણ આવ્યા. જે બાદ અમે વાલીઓને જાણકારી આપી હતી. પણ એ લોકો બહાર મજૂરી અર્થે ગયા હતા. જેથી તેઓના સગા-વહાલાને અમે જાણ કરી હતી. જેઓ સ્થળ પર આવી ગયા હતા. ગામના સરપંચ અને વડીલોએ ખૂબ સહકાર આપ્યો અને એમ્બ્યુલન્સમાં લઈને અમે PHC પર ગયા. ત્યાં એક એમ્બ્યુલન્સમાં અમે છોકરીઓને બેસાડી, જ્યારે બીજી એમ્બ્યુલન્સમાં છોકરો હતો જે આઠમા ધોરણનો હતો જેને થોડો વધારે પડતો પવન હતો. રાત્રે મેડિકલ ઓફિસર આવ્યા હતા અને અમારા જવાબ લીધા. તેમજ સવારે તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાયું છે. ડોક્ટરે કહ્યું હતું કે, તમામ બાળકોના કાઉન્ટિંગ સારા છે અને તમામ રિપોર્ટ પણ એમના સારા છે. કોઈ ફૂડ પોઈઝનિંગ છે નહીં. આ ખાલી એક અફવા હતી.

લોકોએ ઉપજાવી કાઢી હતી કે, આ તંત્રને વેરવિખેર કરી નાખીએ, આ મંડળને અમે બદનામ કરીએ, એ રીતની એક અફવા લોકોએ ફેલાવી હતી. વાલીઓ બાળકોને સારી રીતે અહીંયા આવવા દે અને સારી રીતે ભણે એવી મારી વિનંતી છે. અમે સારામાં સારી ઓર્ગેનિક શાકભાજી ખેતીમાં પકવીને ખવડાવીએ છીએ. આજે અઠવાડિયાથી બાળકો અહીંયા સારી કન્ડિશનમાં ભણે છે. મનોચિકિત્સક આવ્યા હતા અને મનોચિકિત્સકને પણ અમારા બાળકોનો જવાબ સંતોષકારક લાગ્યો. મનોચિકિત્સક સારો રિપોર્ટ આપીને ગયા છે. ગાંધીનગર સુધી અમારા તમામ રિપોર્ટો પહોંચ્યા છે.

આશ્રમશાળામાં બનેલી આ ઘટના અને શિક્ષકોના અંદરોઅંદરના વિવાદને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. શિક્ષકો વચ્ચેના આંતરિક કલેશ અને અશાંત વાતાવરણની સીધી અસર નિર્દોષ બાળકોના અભ્યાસ અને માનસિક સ્વાસ્થ્ય પર ન પડે તેવી માંગ સાથે ગ્રામજનો આ બાબતે યોગ્ય તપાસ થાય તેમ ઈચ્છી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

રાજકોટમાં મટકીફોડ કાર્યક્રમમાં 15 લાખ રૂપિયાની પેટીસ ખાઈ જવાઈ’ કોંગ્રેસ નેતાનો સનસનીખેજ આરોપ

રાજકોટ મહાનગરપાલિકાનો વધુ એક વિવાદ સપાટી પર આવ્યો છે. અગાઉ જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનના ખર્ચમાં મોટો ગોટાળો...
Gujarat 
રાજકોટમાં મટકીફોડ કાર્યક્રમમાં 15 લાખ રૂપિયાની પેટીસ ખાઈ જવાઈ’  કોંગ્રેસ નેતાનો સનસનીખેજ આરોપ

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની આશ્રમશાળાના 11 બાળકો અચાનક ધુણવા લાગ્યા

નર્મદાના ડેડિયાપાડા તાલુકાની મોસ્કુટ આશ્રમશાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં અચાનક 11 બાળકો ધુણવા લાગતા શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ...
Gujarat 
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની આશ્રમશાળાના 11 બાળકો અચાનક ધુણવા લાગ્યા

કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું તો તેની ધરપકડ થઈ જતા મમતા બેનર્જીએ કહ્યું- શું તમે આ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છો છો કે લોકશાહી?

નંદીગ્રામથી કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધરપકડ હત્યાના એક જૂના કેસ સાથે...
Politics 
કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું તો તેની ધરપકડ થઈ જતા મમતા બેનર્જીએ કહ્યું- શું તમે આ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છો છો કે લોકશાહી?

ફાર્મા કંપનીના MDએ કહ્યું 'અમે UPIથી પેમેન્ટ લેવાનું ઓછું કરી નાખીશું...'; MDRથી 1.20 કરોડનું અમને નુકસાન થશે!

UPI સંબંધિત નવા ચાર્જ કેટલાક વ્યવસાયો માટે ચિંતાનું કારણ બન્યા છે. આનાથી ખાસ કરીને ઓછા માર્જિન ધરાવતા વ્યવસાયો પ્રભાવિત થશે...
Business 
ફાર્મા કંપનીના MDએ કહ્યું 'અમે UPIથી પેમેન્ટ લેવાનું ઓછું કરી નાખીશું...'; MDRથી 1.20 કરોડનું અમને નુકસાન થશે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.