કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું તો તેની ધરપકડ થઈ જતા મમતા બેનર્જીએ કહ્યું- શું તમે આ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છો છો કે લોકશાહી?

નંદીગ્રામથી કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધરપકડ હત્યાના એક જૂના કેસ સાથે સંકળાયેલી છે. તેમને આજે બપોરે પૂર્વ મેદિનીપુર જિલ્લાની હલ્દિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 2007માં મમતા બેનર્જીને નેતૃત્વમાં નંદીગ્રામમાં થયેલા જમીન સંપાદન વિરોધી પ્રદર્શન દરમિયાન એક હત્યાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય કોંગ્રેસના મહાસચિવ સુભાશિષ ભટ્ટાચાર્યની પણ ધરપકડ કરવામાં આવી છે; તેઓ નંદીગ્રામ પેટાચૂંટણી માટે કોંગ્રેસના પ્રચારમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા.

Milan-Pradhan
rediff.com

થોડા કલાકો પહેલા જ મમતા બેનર્જીએ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે મિલન પ્રધાનને મજબૂત ઉમેદવાર ગણાવ્યા હતા અને તેમને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી દ્વારા કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા મીતા ચક્રવર્તીએ કહ્યું કે, આજે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મિલન પ્રધાનને સમર્થન આપ્યું છે. અને માત્ર થોડા કલાકોમાં જ તેમની ધરપકડ કરવામાં આવી. જો તમે ડરાવવા-ધમકાવવાની યુક્તિઓ અપનાવો છો અને વિપક્ષને અવકાશ આપતા નથી, તો શું તમે આ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છો છો કે લોકશાહી?... જો તમને લાગતું હોય કે આવી ધમકીઓથી કોંગ્રેસ કે વિપક્ષને રોકી શકો છે, તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો.

Milan-Pradhan1
indiatoday.in

ગઇકાલે જ મમતા બેનર્જીની પાર્ટી TMCના ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ 'નબન્ના' ખાતે સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું, જેના કારણે નંદીગ્રામ પેટાચૂંટણીની બેઠક માટે બેનર્જી જૂથ પાસે કોઈ ઉમેદવાર રહ્યો નહોતો. મમતા જૂથે શરૂઆતમાં સંચિતા પ્રધાન ડે પર વિશ્વાસ મૂક્યો હતો અને તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમના નામ પાછું ખેંચ્યા બાદ, મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

નંદીગ્રામ પેટાચૂંટણી ક્યારે છે?

નંદીગ્રામ પેટાચૂંટણી માટે મતદાન 6 ઓક્ટોબરે યોજાવાનું છે. ચૂંટણી પહેલાં, ચૂંટણી પંચે 'ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ' નામ અને તેના 'ફૂલ અને ઘાસ' (flowers and grass) ચૂંટણી ચિહ્નને ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી નામ અને ચિહ્ન અંગે TMCમાં ચાલી રહેલા વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું હતું.

About The Author

Related Posts

Top News

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની આશ્રમશાળાના 11 બાળકો અચાનક ધુણવા લાગ્યા

નર્મદાના ડેડિયાપાડા તાલુકાની મોસ્કુટ આશ્રમશાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં અચાનક 11 બાળકો ધુણવા લાગતા શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ...
Gujarat 
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની આશ્રમશાળાના 11 બાળકો અચાનક ધુણવા લાગ્યા

કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું તો તેની ધરપકડ થઈ જતા મમતા બેનર્જીએ કહ્યું- શું તમે આ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છો છો કે લોકશાહી?

નંદીગ્રામથી કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધરપકડ હત્યાના એક જૂના કેસ સાથે...
Politics 
કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું તો તેની ધરપકડ થઈ જતા મમતા બેનર્જીએ કહ્યું- શું તમે આ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છો છો કે લોકશાહી?

ફાર્મા કંપનીના MDએ કહ્યું 'અમે UPIથી પેમેન્ટ લેવાનું ઓછું કરી નાખીશું...'; MDRથી 1.20 કરોડનું અમને નુકસાન થશે!

UPI સંબંધિત નવા ચાર્જ કેટલાક વ્યવસાયો માટે ચિંતાનું કારણ બન્યા છે. આનાથી ખાસ કરીને ઓછા માર્જિન ધરાવતા વ્યવસાયો પ્રભાવિત થશે...
Business 
ફાર્મા કંપનીના MDએ કહ્યું 'અમે UPIથી પેમેન્ટ લેવાનું ઓછું કરી નાખીશું...'; MDRથી 1.20 કરોડનું અમને નુકસાન થશે!

ચૂંટણી પંચ મમતા બેનર્જીની પાછળ કેમ પડી ગયું છે? બચેલી કસર ભાજપ પૂરી કરી રહ્યું છે

પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણીએ મોટો રાજકીય વળાંક લીધો છે. મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તેમનું ગ્રુપ નંદીગ્રામમાં કોંગ્રેસના...
National 
ચૂંટણી પંચ મમતા બેનર્જીની પાછળ કેમ પડી ગયું છે? બચેલી કસર ભાજપ પૂરી કરી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.