ઈલેક્શન કમિશને મમતા બેનર્જીની પાર્ટીનું નામ-ચિન્હ ફ્રીઝ કરી દેતા રાહુલ બગડ્યા, કહ્યું- મત ચોરી, સરકાર ચોરી અને હવે પક્ષ ચોરી

તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચૂંટણી ચિહ્ન અંગેના વિવાદ વચ્ચે, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા શિવસેના સાથે, પછી NCP અને હવે તૃણમૂલ કોંગ્રેસ સાથે એક સમાન પેટર્ન જોવા મળી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી પક્ષને તોડવામાં આવે છે અને ત્યારબાદ પક્ષનું ચૂંટણી ચિહ્ન છીનવી લેવામાં આવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જો આખો પક્ષ જ ચોરી થઇ શકે છે, તો કરોડો ભારતીયોના મત પણ ચોરી થાય તેમાં કોઈ નવાઈ નથી. તેમણે આને મતની ચોરી અને પક્ષ ચોરી સાથે જોડતા તેમણે ચૂંટણી પ્રણાલીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, મત ચોરી’, ‘સરકારની ચોરી અને હવે પક્ષ ચોરીએ લોકશાહીના પતનના પ્રતિક બની ગયા છે.

પોતાના નિવેદનમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની બંધારણીય જવાબદારીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે જનતાના જનાદેશનું રક્ષણ કરવું એ ચૂંટણી પંચની ફરજ છે. જોકે, તેમણે આક્ષેપ કર્યો હતો કે પંચ તેનાથી વિપરીત એવી તાકતોને મદદ કરી રહ્યું છે જે લોકોના નિર્ણયને બદલવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે TMCના નામ અને ચિહ્ન અંગેના તેના વચગાળાના આદેશમાં બંને જૂથોને સાથે સમાન સ્થિતિ રાખવાની વાત કહી છે.

રાહુલ ગાંધીએ આ વિવાદને માત્ર મમતા બેનર્જી સાથે જોડાયેલો મામલો માનવાનો ઇનકાર કર્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ લડાઇ દરેક રાજકીય પક્ષ અને દરેક મતદારની છે. ખાસ કરીને તેમના માટે જેઓ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છે છે. તેમના નિવેદન દ્વારા તેમણે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષતાનો મુદ્દો ઉઠાવ્યો.

વાસ્તવમાં, ચૂંટણી પંચે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામ તેમજ ફૂલ અને ઘાસ (Flowers and Grass) ચૂંટણી ચિહ્નના ઉપયોગ પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પંચે બંને જૂથોને વૈકલ્પિક નામ અને ચૂંટણી ચિહ્નો માટેના વિકલ્પો રજૂ કરવા કહ્યું છે.

ચૂંટણી પંચના આદેશ બાદ મમતા બેનર્જી જૂથે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જીએ ગુરુવારે રાત્રે 11:36 વાગ્યે ચૂંટણી પંચને પોતાનો જવાબ મોકલ્યો હતો, જેમાં તેમણે કમિશનના વચગાળાના આદેશ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. મમતા જૂથે આ આદેશ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

rahul gandhi
facebook.com/rahulgandhi

પંચે બંને જૂથો પાસેથી કામચલાઉ નામ અને ચૂંટણી ચિહ્નો માટેના વિકલ્પો માંગ્યા હતા અને તે માટે શુક્રવારે સવારે 11:00 વાગ્યાની સમયમર્યાદા નક્કી કરી હતી. પોતાનો વિરોધ નોંધાવવાની સાથે, મમતા જૂથે વૈકલ્પિક નામો અને ચિહ્નો પણ સૂચવ્યા છે. કમિશન હવે આ વિકલ્પો અંગે આગળની કાર્યવાહી કરશે.

TMCના નામ અને ચિહ્ન અંગેનો વિવાદ પક્ષના આંતરિક મતભેદો સાથે જોડાયેલો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બંને પક્ષો અસલી તૃણમૂલ કોંગ્રેસ હોવાનો દાવો કરી રહ્યા છે; આ કારણે, ચૂંટણી પંચ પર પક્ષના નામ અને ચિહ્ન અંગે નિર્ણય લેવાનો સવાલ છે. અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી, બંને જૂથોને અલગ-અલગ નામ અને ચિહ્નો સાથે પેટા-ચૂંટણી લડવા કહેવામાં આવ્યું છે.

rahul gandhi
facebook.com/rahulgandhi

આ ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના નિવેદનમાં તેમણે શિવસેના અને NCPનો પણ ઉલ્લેખ કર્યો. તેમનું કહેવું છે કે, આ મામલાઓમાં પક્ષમાં ભાગલા પડ્યા બાદ ચૂંટણી ચિહ્નોને લઈને વિવાદો થયા હતા. હવે તેમણે TMCની સ્થિતિને આ જ પેટર્ન સાથે જોડી છે, જોકે આ રાહુલ ગાંધીના રાજકીય આક્ષેપો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે TMC વિવાદમાં બંને પક્ષોના વિરોધાભાસી દાવાઓ વચ્ચે વચગાળાની વ્યવસ્થા જરૂરી હતી, જેથી આગામી પેટા-ચૂંટણીઓ માટે બંને જૂથોને અલગ ઓળખ આપી શકાય.

About The Author

Related Posts

Top News

ઈલેક્શન કમિશને મમતા બેનર્જીની પાર્ટીનું નામ-ચિન્હ ફ્રીઝ કરી દેતા રાહુલ બગડ્યા, કહ્યું- મત ચોરી, સરકાર ચોરી અને હવે પક્ષ ચોરી

તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચૂંટણી ચિહ્ન અંગેના વિવાદ વચ્ચે, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે...
Politics 
ઈલેક્શન કમિશને મમતા બેનર્જીની પાર્ટીનું નામ-ચિન્હ ફ્રીઝ કરી દેતા રાહુલ બગડ્યા, કહ્યું- મત ચોરી, સરકાર ચોરી અને હવે પક્ષ ચોરી

રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો માલિકોએ ભરવો પડશે ભારે દંડ; સરકારે નવા નિયમો અમલમાં મૂક્યા

દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને હાઈ-સ્પીડ એક્સપ્રેસવે પર મુસાફરી કરતા વાહનચાલકોને ઘણીવાર એક મોટી સમસ્યાથી ઝઝૂમવું પડે છે. તેજ ગતિએ દોડતા...
રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો માલિકોએ ભરવો પડશે ભારે દંડ; સરકારે નવા નિયમો અમલમાં મૂક્યા

પૂર્વ VHP પ્રમુખ અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષનો લોગો જાહેર

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમના જીવન, કાર્યો અને સાંસ્કૃતિક યોગદાનને યાદ કરવા...
National 
પૂર્વ VHP પ્રમુખ અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષનો લોગો જાહેર

પાન, જે 5-10 રૂપિયામાં વેચાતા, તેનાથી ખેડૂતના દીકરાએ 50 કરોડ રૂપિયાની કમાણી કંઈ રીતે કરી?

જ્યારે પણ આપણને પાન વિશે ખ્યાલ આવે છે, ત્યારે આપણે ઘણીવાર શેરીના ખૂણા પર અથવા મહોલ્લાના નાકે એક નાનો...
National 
પાન, જે 5-10 રૂપિયામાં વેચાતા, તેનાથી ખેડૂતના દીકરાએ 50 કરોડ રૂપિયાની કમાણી કંઈ રીતે કરી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.