'માછલીની મિજબાની'ના મામલે અજય રાયે મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ

અયોધ્યામાં માછલી ખાવાના આરોપો અંગે શરૂ થયેલો વિવાદ હવે કોર્ટમાં પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો છે. અજય રાય મંગળવારે લખનૌ સિવિલ કોર્ટમાં પહોંચ્યાં હતા અને આ મામલે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

કોંગ્રેસના જણાવ્યા મુજબ, અજય રાય અયોધ્યામાં માછલી ખાવાના આરોપોથી નારાજ છે. તેમનું કહેવું છે કે તેમના પર માછલી ખાવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે, જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આને લઇને, તેમણે કાયદાકીય માર્ગ અપનાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

આ મામલો અયોધ્યામાં અજય રાય માટે કથિત રીતે આયોજિત 'માછલીની મિજબાની' અંગેના આરોપો સાથે સંબંધિત છે. આ મુદ્દાને લઇને અગાઉ રાજકીય નિવેદનબાજી પણ થઇ હતકી. પરંતુ હવે અઝય રાય દ્વારા કોર્ટમાં જવાના પગલા બાદ હવે તે કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો છે. આ કેસ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અથવા ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાલમાં જવાબની રાહ જોવાઈ રહી છે.

15

શું છે અયોધ્યા માછલી મિજબાની વિવાદ?

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના સ્વાગત માટે આયોજિત અયોધ્યામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન માછલી મિજબાની અંગે વિવાદ ઉભો થયો હતો. ભાજપે આ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી અને અજય રાય પર નિશાન સાધ્યું હતું. ભાજપે પવિત્ર શ્રાવણ મહિનામાં માછલીનો તહેવાર યોજવા પર સવાલ ઉઠાવ્યા અને તેને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું. જવાબમાં, અજય રાયે આરોપોને ફગાવતા ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વળતો પ્રહાર કર્યો.

અજય રાયે એક પડકાર ફેંકતા કહ્યું હતું કે જો માછલી ખાતા તેમનો એક પણ ફોટો સામે આવી જાય, તો તેઓ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે જો ભાજપ આવો ફોટોગ્રાફ રજૂ નહીં કરી શકે તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજીનામું આપી દેવું જોઈએ.

14

તે સમયે પરિસ્થિતિ સ્પષ્ટ કરતા અજય રાયે જણાવ્યું હતું કે તેઓ નિષાદ સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. માછલી પકડવી અને ખાવી એ નિષાદ સમુદાયની પરંપરાનો એક ભાગ છે અને તેમને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા એટલે માટે હાજર રહ્યા હતા.

અજય રાયે કહ્યું હતું, નિષાદરાજે ભગવાન રામને મદદ કરી. જો સમુદાય મને આમંત્રણ આપશે તો હું જઈશ. તેમણે પોતાને બાબા વિશ્વનાથના ભક્ત ગણાવતા તેમણે માછલી ખાવાના આરોપોને નકારી કાઢ્યા. વિવાદ દરમિયાન, અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખુલ્લો પડકાર આપતા કહ્યું હતું કે, માછલી ખાતા દર્શાવતો કોઈપણ ફોટો જાહેર કરવામાં આવે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જો આવી કોઈ તસવીર સામે આવશે, તો તેઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડી દેશે.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

પાકિસ્તાને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના ગ્રુપ ફોટોમાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિના ફોટાને કાપી નાખ્યો, જેથી...
National 
પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પાછા ફરવાની રાહ જોઈ રહેલા ચાહકોને થોડી વધુ રાહ જોવી પડી શકે છે. હાર્દિક...
Sports 
હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ

ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ઓરેકલ ફરી એક વખત મોટી છટણી કરવાની તૈયારી કરી રહી છે, જેની અસર ભારત સહિત વિશ્વભરના કર્મચારીઓ પર જોવા...
Business 
ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 02-09-2026 દિવસ: બુધવાર મેષ: સમય સારો છે, લાંબા સમયનું રોકાણ કરી શકો છો, કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓને તમે પહોંચી વળશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.