નીતિન નવીનની નવી ટીમ જાહેર, મોટા ફેરફાર: સ્મૃતિ ઈરાનીની વાપસી, ગુજરાતમાં પણ બદલાવ, જાણો કોને કંઈ જવાબદારી મળી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નવીન દ્વારા સોમવારે, 17 ઓગસ્ટના રોજ પાર્ટીની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ મોટા સંગઠનાત્મક ફેરબદલમાં કેટલાક અગ્રણી નેતાઓને તેમના હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને રામ માધવની પાર્ટીના કેન્દ્રીય માળખામાં મહત્વની જવાબદારીઓ સાથે વાપસી થઈ છે. પક્ષના નિવેદન અનુસાર, આ તમામ નિયુક્તિઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે.

photo_2026-08-17_16-00-06

ગુજરાતની વાત કરીએ તો જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને નેશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે, જ્યારે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. વર્ષા દોશીને નેશનલ વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા છે.

પાર્ટીના 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુધરા રાજે સિંધિયા, બૈજયંત જય પાંડા, રેખા વર્મા અને તારિક મન્સૂરને તેમના હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે.

03

પૂર્વ રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી રામ માધવને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવીને સંગઠનમાં મોટો હોદ્દો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત, ડી. પુરેન્દેશ્વરી, વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, ભારતી પ્રવીણ પવાર, મનપ્રીત સિંહ બાદલ, લાલ સિંહ આર્યા, એમ. નાગરાજા અને મધુચંદ્રા કરને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કુલ 13 ઉપાધ્યક્ષોમાંથી 5 મહિલાઓ છે.

આઠ રાષ્ટ્રીય જનરલ સેક્રેટરીઓની યાદીમાં સ્મૃતિ ઈરાની એકમાત્ર મહિલા નેતા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ ઈરાનીને મળેલી આ પહેલી મોટી સંગઠનાત્મક જવાબદારી છે.

ઈરાની ઉપરાંત વિનોદ તાવડે અને સુનીલ બંસલને આ હોદ્દા પર યથાવત રખાયા છે, જ્યારે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવ, સતીશ પૂનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી અને સંજય ભાટિયાને નવા રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

સંગઠન અને અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ

  • સંગઠન મહામંત્રી: બી.એલ. સંતોષ રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી  તરીકે પોતાની જવાબદારી ચાલુ રાખશે. શિવપ્રકાશ અને સૌદાન સિંહને રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી (જોઈન્ટ જનરલ સેક્રેટરી - ઓર્ગેનાઈઝેશન) નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • નાણાકીય વિગતો: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ભાજપના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે રાજેશ મંગલને રાષ્ટ્રીય સહ-કોષાધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે.

0302

  • સચિવ અને મીડિયા: કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રોહન ગુપ્તાને પ્રમોશન આપીને ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. અનિલ એન્ટનીને રાષ્ટ્રીય સચિવ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. અનિલ બલૂની પણ રાષ્ટ્રીય મીડિયા સંબંધિત પોતાની મુખ્ય ભૂમિકામાં યથાવત રહેશે.
  • સંગઠનાત્મક અને સોશિયલ મીડિયા વિભાગ: સંબિત પાત્રાને ઉત્તર-પૂર્વ (North-East) ઝોનના કોઓર્ડિનેટર અને તરુણ ચુગને સેન્ટ્રલ ઓફિસ ઇન-ચાર્જ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત દીપક મ્હસ્કેને ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર બનાવવામાં આવ્યા છે.

 

About The Author

Related Posts

Top News

નીતિન નવીનની નવી ટીમ જાહેર, મોટા ફેરફાર: સ્મૃતિ ઈરાનીની વાપસી, ગુજરાતમાં પણ બદલાવ, જાણો કોને કંઈ જવાબદારી મળી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નવીન દ્વારા સોમવારે, 17 ઓગસ્ટના રોજ પાર્ટીની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ...
Politics 
નીતિન નવીનની નવી ટીમ જાહેર, મોટા ફેરફાર: સ્મૃતિ ઈરાનીની વાપસી, ગુજરાતમાં પણ બદલાવ, જાણો કોને કંઈ જવાબદારી મળી

ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ માટે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

ગુજરાતમાં ચોમાસાની ઋતુ પૂરજોશમાં ખીલી ઉઠી છે. રાજ્યમાં એકસાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 7 દિવસ સુધી વિવિધ...
Gujarat 
ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ માટે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

કામદારો દિવાલ તોડતા હતા, અંદરથી સોનાના સિક્કા પડવા લાગ્યા, મળ્યો 100 કરોડનો ખજાનો

બેલ્જિયમના પૂર્વ ફ્લેન્ડર્સમાં એક જૂના ઘરમાં નવીનીકરણ ચાલી રહ્યું હતું. કામદારોને નવી ગટરની પાઈપો નાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ઘરના...
World 
કામદારો દિવાલ તોડતા હતા, અંદરથી સોનાના સિક્કા પડવા લાગ્યા, મળ્યો 100 કરોડનો ખજાનો

બે પરીક્ષાઓ, ફરી ઘમાસાણ... UGC-NET રદ્દ; બોમ્બે હાઈકોર્ટની પરીક્ષામાં ગેરરીતિ; દિપકેની પણ એન્ટ્રી

દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરાવનાર રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) સવાલો અને વિવાદમાં ફસાયેલી છે. NEET પેપર લીક કૌભાંડને કારણે પહેલેથી...
National 
બે પરીક્ષાઓ, ફરી ઘમાસાણ... UGC-NET રદ્દ; બોમ્બે હાઈકોર્ટની પરીક્ષામાં ગેરરીતિ; દિપકેની પણ એન્ટ્રી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.