શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

દેશે 15 ઑગસ્ટે પોતાની સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ ઉજવી. વંદે માતરમમાં છ અંતરા છે, પરંતુ ફક્ત બે જ અંતરા ગવાય છે. જોકે, 2026માં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા પ્રોટોકોલમાં બધા છ શ્લોકો ગાવાની વાત કહેવામાં આવી છે. શનિવારે પણ કોંગ્રેસ મુખ્યાલયમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો, અને આ પ્રસંગે વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. પરંતુ, આ અંગે કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

sonia-gandhi.jpg-2

ભાજપ પ્રવક્તા આર.પી. સિંહે પ્રશ્નો ઉઠાવ્યા છે, જેમાં સોનિયા ગાંધી પર વંદે માતરમ રોકવાનો નિર્દેશ આપવાનો આરોપ લગાવ્યો છે. X પર પોસ્ટ કરતા ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર સવાલ ઉઠાવ્યા છે, આરોપ લગાવ્યો છે કે જ્યારે વંદે માતરમ ગાવામાં આવી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધી એટલા નારાજ થઈ ગયા હતા કે તેમણે પાર્ટીના કાર્યકરોને તેને રોકવાનું કહ્યું. આર.પી. સિંહે સોનિયા ગાંધીને પૂછ્યું કે વંદે માતરમ પ્રત્યે આટલી નફરત કેમ છે?

જોકે, કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વંદે માતરમ ગાતી વખતે કોઈ વિક્ષેપ પડ્યો નહોતો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વંદે માતરમને લઇને કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે, વંદે માતરમને લઇ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક ઓક્ટોબર 1937માં યોજાઈ હતી. ગાંધીજી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબુલ કલામ આઝાદ, ચક્રવર્તી રાજગોપાલાચારી અને પંડિત જવાહરલાલ નહેરુ બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની સલાહ પર તેમણે, એવું નક્કી કર્યું હતું કે કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમ ગાવામાં આવેશે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શરૂઆતની પંક્તિઓનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી, અને ત્યારથી, અમારા કાર્યકરો અને બાકીના બધા કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમ ગાતા આવ્યા છે. આ અંગે કોઈ વિવાદ નથી.

કોંગ્રેસના નેતા પવન ખેરાએ પણ સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસ મુખ્યાલયમાં 'વંદે માતરમ' ગાતી વખતે કોઈ વિક્ષેપ પડ્યો નહોતો. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે પણ આ મામલે સ્પષ્ટતા જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે 'વંદે માતરમ' અંગે કોઈ વિવાદ નથી.

sonia-gandhi

ભાજપ નેતા અમિત માલવિયાએ પણ આ ઘટના અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 'વંદે માતરમ'ના શરૂઆતના છંદ ગાયા પછી, સોનિયા ગાંધીએ ગીત બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ પણ તેને બંધ કરવા માટે સંકેત આપ્યો.

About The Author

Related Posts

Top News

શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

દેશે 15 ઑગસ્ટે પોતાની સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ ઉજવી. ‘વંદે માતરમ’માં છ અંતરા છે, પરંતુ ફક્ત...
Politics 
શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

તેલંગાણાના એક નાના ગામમાં જન્મેલી જ્યોતિ રેડ્ડી 4 બહેનોમાં સૌથી નાની હતી. તેના પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે...
Business 
જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી... તમે કદાચ આ કહેવત સાંભળી હશે, પરંતુ જ્યારે તે સાચી સાબિત થાય છે ત્યારે...
World 
81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

'પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

કોઈનો જીવ બચાવવા માટે પોતાના અંગોનું દાન કરવું એ એક મોટો નિર્ણય હોય છે. અમેરિકાની ડેબી સ્ટીવન્સ નામની એક મહિલા...
World 
'પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.