બાંકીપુર તો ફક્ત એક ઝલક છે, પ્રશાંત કિશોરનો આ પ્લાન છે, BJP-JDU-RJDમાં ખળભળાટ!

આ જીત મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે ભાજપ સામે સીધી હરીફાઈ હતી, અને તે પણ ભાજપના પોતાના ગઢમાં. 'સ્કૂલ બેગ' પોતાના ખભા પર લટકાવીને પ્રશાંત કિશોરે બાંકીપુરમાં ભાજપનો ગઢ ધ્વસ્ત કરી દીધો છે. ભાજપ 35 વર્ષથી બાંકીપુરમાં એકતરફી રાજ કરી રહી હતી. આ જીત સાથે, પ્રશાંત કિશોર લોકશાહીની પાઠશાળામાં પ્રવેશી ચૂક્યા છે.

આમ તો બિહારમાં 243 ધારાસભ્યો છે, તેમાંથી એક પ્રશાંત કિશોર છે. પરંતુ, આ જીત જન-સૂરાજ પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ હતી, અને તેનાથી પણ વધુ ખુદ પ્રશાંત કિશોર માટે જરૂરી હતી. કારણ કે જન-સૂરાજ પાર્ટી ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક મેળવી શકી નહોતી. કારમી હાર મળી હતી, પ્રશાંત કિશોર સવાલોના ઘેરામાં હતા. કારણ કે, તેઓ લાંબા સમયથી મુખ્ય રાજકીય પક્ષોને જીતનું ફોર્મ્યુલા પૂરું પાડવા માટે જાણીતા હતા, છતા બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની બધી વ્યૂહરચના નિષ્ફળ જતી દેખાઈ હતી.

બિહારમાં જન-સૂરાજ પાર્ટીની શાનદાર હાર બાદ પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, "સંઘર્ષ ચાલુ રહેશે. અમે બિહાર છોડીને જવાના નથી; અમે બમણી મહેનત કરીશું. પછી બાંકીપુરમાં તક આવી, બેઠક હાઇ-પ્રોફાઇલ હતી. પ્રશાંત કિશોરને સમજી ગયા, આ તક છે, જેનો લાભ ઉઠાવવાની છે; જો અહીં ભાજપ હારે છે, તો સમગ્ર રાજ્યમાં સંદેશ જશે. પછી તેમણે બાંકીપુરની ગલી-ગલ ફરી વળ્યા, વરસાદ હોય કે કાદવ, આગળ વધતા રહ્યા અને દરેક મતદાર સુધી પહોંચવાની વ્યૂહરચના ઘડી. તેમની ચૂંટણી રેલીઓમાં ભીડ ઉમટી રહી હતી. મતદાનના દિવસે મતદાન ઓછું હોવા છતાં એકંદર મતદાન ટકાવારી ઘટી ગઈ હતી પરંતુ લોકોએ પ્રશાંત કિશોરની જીત સુનિશ્ચિત કરવાનું નક્કી કર્યું હતું તેઓ મતદાન મથકો પર પહોંચ્યા અને તેમને સફળતાનો તાજ પહેરાવ્યો.

પરંતુ હવે પ્રશ્ન એ રહે છે કે, શું પ્રશાંત કિશોર આ જીત પછી ફક્ત ધારાસભ્ય રહેશે, કે પછી નવા પ્લાન સાથે બિહારમાં ખળભળાટ મચાવવા ઉતરી જશે? અલબત્ત, રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા હજુ ઘણો સમય બાકી છે.

નોંધનીય છે કે ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પ્રશાંત કિશોર બિહારના લગભગ દરેક જિલ્લા, બ્લોક અને પંચાયતમાં પહોંચ્યા હતા. તે પણ પગપાળા જ. લોકો તેમને ભૂલ્યા નથી. આ પદયાત્રા દરમિયાન, તેમણે બિહારના સામાજિક અને રાજકીય પરિદૃશ્યની ઊંડી સમજ મેળવી. લોકો હજુ પણ તેમના વિશે વાત કરે છે; ભલે તેઓએ તેમને મત ન આપ્યા હોય, જ્યારે પણ બિહારના સામાન્ય લોકોમાં "નવા પ્રકારના રાજકારણ" વિશે ચર્ચા થાય છે, ત્યારે પ્રશાંત કિશોર તેના કેન્દ્રમાં હોય છે.

prashant-kishor1
hindustantimes.com

પ્રશાંત કિશોરનું આગામી પગલું શું હોઈ શકે છે?

વિધાનસભા ચૂંટણીઓને બાજુ પર રાખીને, જન-સૂરાજ પાર્ટીનું પ્રારંભિક લક્ષ્ય બાંકીપુરમાં ચૂંટણી જીતવાનું હતું. જે પાર્ટી હાંસલ કરી ચૂકી છે. હવે, પ્રશાંત કિશોર વિધાનસભામાં પહોંચશે અને તેઓ તેમની ક્ષમતાઓ દર્શાવશે અને તેમના વિચારો દ્વારા બિહારના લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરશે. તેઓ જાણે છે કે જનતાની નજર તેમના પર રહેશે. તેઓ સરકારને સીધા જ પ્રશ્ન કરશે. એવા પ્રશ્ન પૂછશે, જેની બાબતે તેઓ સતત કહેતા રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, પ્રશાંત કિશોર વિધાનસભામાં એક અલગ શૈલી દર્શાવશે; ખોટા વચનો પર આધાર રાખવાને બદલે, તેઓ ડેટા અને તથ્યોનો ઉપયોગ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

આમ તો RJD હાલમાં વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ પ્રશાંત કિશોરની નવી રણનીતિ હશે કે વિપક્ષની ભૂમિકામાં RJD કરતા વધુ ચર્ચા જન-સૂરાજ પાર્ટીની થાય. પ્રશાંત કિશોર સતત બિહારના રાજકીય માળખામાં પરિવર્તન લાવવાની વાત કરે છે. જાતિ આધારિત રાજકારણ લાંબા સમયથી રાજ્ય પર પ્રભુત્વ ધરાવે છે; RJD યાદવ અને મુસ્લિમ મતદારો પર પ્રભુત્વ ધરાવે છે, જ્યારે BJP અને JD(U) તેમના સમર્થન આધારમાં ઉચ્ચ જાતિ, OBC અને EBC મતદારોને ગણે છે. આ પેટર્ન મતદાનના વલણોમાં પ્રતિબિંબિત થાય છે. જો કે, PKનું પ્રાથમિક ધ્યાન યુવાનો અને સમાજના તે વર્ગો પર રહેશે જે રાજકીય રીતે ઓછું પ્રતિનિધિત્વ અનુભવે છે. તેઓ વારંવાર ભારપૂર્વક કહે છે કે હાલના પક્ષો જાતિ આધારિત રાજકારણ કરે છે, જ્યારે તેઓ શિક્ષણ અને રોજગારની રાજનીતિને આગળ વધારવા માટે મેદાનમાં ઉતર્યા છે.

એ સાચું છે કે બિહારની રાજનીતિ લગભગ ત્રણ દાયકાથી લાલુ વિરુદ્ધ નીતિશ રહી છે; PKની આગામી યોજના બિહારના લોકોને શિક્ષણ, રોજગાર, સ્થળાંતર અને કૃષિ ઉદ્યોગ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન કરવા માટે મજબૂર કરવાની છે. સૌ પ્રથમ, તેમનો હેતુ બિહારમાં વિકલ્પોનો અભાવ છે તે ખ્યાલને દૂર કરવાનો છે.

પ્રશાંત કિશોરે મુસ્લિમ સમુદાયને સતત કહ્યું છે કે RJDએ તેમને વાસ્તવિક રાજકીય ભાગીદારી આપ્યા વિના, ભાજપના ડરનો ઉપયોગ કરીને ફક્ત મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે. જો 'જન સૂરાજ' મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મજબૂત બને છે, તો તે RJDના મુખ્ય મત શેરને ઘટાડી શકે છે. 'નોકરીઓ' પર કેન્દ્રિત તેજસ્વી યાદવના નેરેટિવનો સામનો કરવા માટે, પ્રશાંત કિશોર પાસે સ્થળાંતર અને બિહારમાં જ રોજગારના સર્જનને સંબોધિત કરતું એક નક્કર વિઝન છે, જે શિક્ષિત યુવાનોને આકર્ષે છે.

prashant-kishor2
indiatoday.in

JDUની મુખ્ય મત બેંકમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે નીતિશ કુમારના 'સુશાસન'ને ટેકો આપ્યો છે અને લાલુ યુગના વિકલ્પની તરફેણ કરી છે. જો કે, નીતિશ કુમાર હવે મુખ્યમંત્રી નથી. જનતામાં તેમની લોકપ્રિયતા અત્યારે પણ છે, જેને પ્રશાંત કિશોર ભાવનાત્મક રીતે લાભ લેવાનો પ્રયાસ કરશે અને તેઓ આ મતદારોને પોતાના પક્ષમાં લાવવા માટે કોઈ કસર છોડશે નહીં.

ભાજપ લગભગ 35 વર્ષથી બાંકીપુર (પટણા) બેઠક જીતી રહી છે; આ શહેરી મતવિસ્તારમાં શિક્ષિત અને ઉચ્ચ જાતિના લોકોના વધુ મતદાર છે. PKએ આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે, જેનાથી સમગ્ર રાજ્યમાં સંદેશો ગયો છે. ભાજપ માટે પડકાર વધુ વધશે, કારણ કે પાર્ટીએ પરંપરાગત રીતે ઉચ્ચ જાતિના મતદારો પર મજબૂત પકડ રાખી છે, અને પ્રશાંત કિશોરે હવે તે આધારમાં સેંધમારીની શરૂઆત કરી દીધી છે.

તેમની પદયાત્રા દરમિયાન, પ્રશાંત કિશોરે લાખો કાર્યકરો અને સમર્થકોનો સમાવેશ કરીને એક મજબૂત ડેટાબેઝ અને નેટવર્ક બનાવ્યું છે. તેઓ હવે આ નેટવર્કને કાયમી રાજકીય અને સામાજિક સંગઠનમાં પરિવર્તિત કરવાનો ઇરાદો ધરાવે છે. એક એવું સંગઠન જે ફક્ત ચૂંટણી દરમિયાન સક્રિય નહીં થાય પરંતુ સમગ્ર પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લોકોના મુદ્દાઓ પર આંદોલન કરશે. તેઓ પરંપરાગત રાજકારણીઓને બદલે ડૉક્ટરો, શિક્ષકો, ભૂતપૂર્વ અધિકારીઓ અને સામાજિક કાર્યકરોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો પ્રયોગ કરી રહ્યા છે, જેને એક સક્ષમ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે પ્રશાંત કિશોર પોતાના અધિકારમાં એક અગ્રણી રાજકીય રણનીતિકાર છે; તેમણે 2014માં નરેન્દ્ર મોદી, 2015માં નીતિશ-લાલુ મહાગઠબંધન અને 2021માં મમતા બેનર્જી અને એમ.કે. સ્ટાલિન માટે વ્યૂહરચના ઘડી હતી. તેમને વિવિધ રાજકીય પક્ષોની સંબંધિત શક્તિઓ અને નબળાઈઓની ઊંડી સમજ છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.