પહેલા મમતા બેનર્જીને છોડ્યા, હવે ભાજપથી બનાવી દૂરી... બંગાળના 3 બળવાખોર સાંસદોની શું મજબૂરી છે?

વિધાનસભા ચૂંટણી પછી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ટ્વીસ્ટ અને ટર્ન હજુ પણ બંધ થયા નથી. હવે, મુર્શિદાબાદના ત્રણ સાંસદો અબુ તાહિર ખાન, ખલીલુર રહેમાન અને યુસુફ પઠાણે ખળભળાટ મચાવી રાખ્યો છે. શરૂઆતમાં, ત્રણેય મમતા બેનર્જીની TMCથી અલગ થઈને 'નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા' (NCPI)માં જોડાયા. હવે, તેમણે શાસક ભાજપની આગેવાની હેઠળના કેન્દ્રીય ગઠબંધન સાથે ઔપચારિક રીતે ન જોડવાનો નિર્ણય લીધો છે, જેની પાછળ ઊંડી વ્યૂહાત્મક વિચારસરણી છે.

કેન્દ્રીય ગઠબંધનમાં જોડાવાને બદલે, ત્રણેયે ગણતરીપૂર્વક અલગતાનું વલણ અપનાવ્યું છે. તેઓ નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય NDA સંસદીય બેઠકોથી દૂર રહે છે, જ્યારે રાજ્ય અને કેન્દ્રીય નેતૃત્વ સાથે ફક્ત વહીવટી બાબતો પર જ વાતચીત કરે છે. જ્યારે નેતાઓને તેમના ભાવિ રાજકીય માર્ગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જાણીજોઇને મૌન સાધવાની આ વ્યૂહરચના સ્પષ્ટ દેખાઇ આવી હતી.

જાંગીપુરના સાંસદ ખલીલુર રહેમાને જણાવ્યું કે, ‘અમારે ગૃહમંત્રી સાથે બે વિષયો પર ચર્ચા કરવાની હતી; અમે અન્ય કોઈ મુદ્દા પર કશું જ નહીં કહી શકીએ. આ સૂચવે છે કે તેઓ ગઠબંધન બનાવવા કરતા મુદ્દાઓ પર વાતચીતને પ્રાથમિકતા આપી રહ્યા છે. NCPI 3 સાંસદોએ પશ્ચિમ બંગાળમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાના મુદ્દા અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

TMC-MPs1
indianexpress.com

ચર્ચા માત્ર વિકાસ અને મતદાર વિસ્તાર સાથે જોડાયેલા કેસો, જેમ કે મતદાર યાદી સુધારણા અને સ્થાનિક વહીવટ સુધી ચર્ચા મર્યાદિત કરીને, આ સાંસદો વૈચારિક ગોઠવણી અથવા સમાધાનના આરોપોથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય ગઠબંધનમાં સંપૂર્ણપણે સામેલ થવાથી આ ત્રણેય સાંસદોનો ઇનકાર રાજ્યના રાજકીય ભવિષ્ય અંગે વિવિધ સંકેતો આપે છે.

શું મુર્શિદાબાદની ડેમોગ્રાફી છે કારણ?

મુર્શિદાબાદ બંગાળના સૌથી વસ્તી વિષયક સંવેદનશીલ પ્રદેશોમાંનો એક છે. ત્રણેય અહીની જ બેઠકો જાંગીપુર (ખલીલુર રહેમાન), બહેરામપુર (યુસુફ પઠાણ) અને મુર્શિદાબાદ (અબુ તાહેર ખાન)થી સાંસદ છે.

લઘુમતી-પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારના પ્રતિનિધિઓ માટે, ઔપચારિક રીતે ભાજપને અપનાવવાથી પાયાના સ્તરે મતદારોથી સંપૂર્ણપણે દૂર થવાનું જોખમ વધી શકે છે. જોકે, આ ત્રણેય લોકોએ અલગ વલણ અપનાવ્યું છે તે હકીકત 20 સભ્યોના NCPI જૂથ માટે પણ ચિંતાનું કારણ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે આ સાંસદો TMCથી અલગ થઈ ગયા છે, પરંતુ આમા પણ વિભાજન શક્યતા છે.

TMC-MPs
aajtak.in

તો ભાજપ સામે પણ અહીં પડકાર હશે; કારણ કે જ્યાં રાષ્ટ્રીય પક્ષો ઘણીવાર અલગ થયેલા જૂથોને એકીકૃત 'વોટ બેંક'માં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ સાંસદો પક્ષના સામૂહિક નિર્ણયો કરતા તેમના સંબંધિત મતવિસ્તારમાં તેમની સ્થિતિ જાળવવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે મુર્શિદાબાદની ત્રણેય લોકસભા બેઠકોનો રાજકીય સંદેશ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તે સ્પષ્ટ છે કે જે વિસ્તારોમાં સ્થાનિક મુદ્દાઓ અને વસ્તી વિષયક સમીકરણો મુખ્ય ભૂમિકા ભજવે છે, ત્યાં ફક્ત મોટા રાજકીય ગઠબંધન પૂરતા નથી હોતા. આવા પ્રદેશોમાં ચૂંટણી જીતવા માટે એક મજબૂત સ્થાનિક પકડ અને પાયાનું સંગઠન સૌથી મોટી તાકત હશે.

About The Author

Related Posts

Top News

PM મોદીએ IIT દિલ્હીના વિદ્યાર્થીઓને કેમ કહ્યું, 'હું બાબા બાગેશ્વર તો નથી પણ...'

PM નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને તેમની નવી શરૂઆત બદલ અભિનંદન...
National 
PM મોદીએ IIT દિલ્હીના વિદ્યાર્થીઓને કેમ કહ્યું, 'હું બાબા બાગેશ્વર તો નથી પણ...'

Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા

આજે દેશના રાજકીય ફલક પર એક અણધાર્યું પરંતુ પ્રભાવશાળી પરિવર્તન આવી ગયું છે. જે રાજકારણીઓ એક સમયે મંચ પર ભાષણ...
Opinion 
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા

નીતિન ગડકરીની નવી યોજના, વાહનો 'વાત' કરશે, 2028થી V2V સિસ્ટમ ફરજિયાત બની શકે છે

કેન્દ્ર સરકાર દેશમાં માર્ગ સલામતી સુધારવા અને સ્માર્ટ પરિવહન પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરી રહી છે. માર્ગ...
Tech and Auto 
નીતિન ગડકરીની નવી યોજના, વાહનો 'વાત' કરશે, 2028થી V2V સિસ્ટમ ફરજિયાત બની શકે છે

પહેલા મમતા બેનર્જીને છોડ્યા, હવે ભાજપથી બનાવી દૂરી... બંગાળના 3 બળવાખોર સાંસદોની શું મજબૂરી છે?

વિધાનસભા ચૂંટણી પછી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ટ્વીસ્ટ અને ટર્ન હજુ પણ બંધ થયા નથી. હવે, મુર્શિદાબાદના ત્રણ સાંસદો અબુ...
Politics 
પહેલા મમતા બેનર્જીને છોડ્યા, હવે ભાજપથી બનાવી દૂરી... બંગાળના 3 બળવાખોર સાંસદોની શું મજબૂરી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.