તકવાદીઓvsવિચારવાદીઓ: પાટીલને બદનામ કરનારા મોટા માથાને ઉઘાડા પાડવાનો મોટો પડકાર

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સામે એલફેલ આક્ષેપોનો વીડિયો વાયરલ કરનાર મૂળ યુપીનો અને હાલ અમદાવાદનો રહીશ હોવાનું ગણાવતો જિનેન્દ્ર શાહ નામનો વ્યક્તિ પોલીસનાં તાબા હેઠળ છે. સુરત ડીસીબી કથિત ખંડણી કેસની તપાસ કરી રહી છે. માહિતીઓ ગુપ્ત રાખવામાં આવી રહી છે. સમગ્ર કાંડથી હકીકત એ ઉજાગર થઈ રહી છે કે ભાજપમાં તકવાદીઓ અને વિચારવાદીઓ વચ્ચે નવો જંગ મંડાયો છે.

સીઆર પાટીલને બદનામ કરવાના ષડયંત્રની ઈથ થી ઈતિ શોધવા માટે સુરત પોલીસનાં જાંબાઝ અધિકારીઓ તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે. આ કાંડમાં કોસંબા નગરપાલિકાના પદાધિકારી હરદીપસિંહ અટોદરીયાનું નામ પણ ખાસ્સું એવું ચર્ચાસ્પદ બન્યું છે. જિનેન્દ્ર શાહની તપાસનો રેલો ભાજપના જ કેટલાક મોટા નેતા અને અન્ય નેતાઓ સુધી પહોંચ્યો છે. જોકે, સમગ્ર કાંડમાં જેમના નામ સામે શંકાની સોય તાકવામાં આવી તેવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ સ્પષ્ટપણે કહ્યું છે આ કાંડમાં સંડોવાયેલા લોકો સાથે તેમનો કોઈ પણ પ્રકારનો કોઈ સંબંધ નથી. 

ભાજપના નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે હાલ પક્ષમાં તકવાદીઓ અને વિચારવાદીઓ વચ્ચે મોટી ખાઈ પડી ગઈ છે. પાર્ટી સત્તામાં આવે તો સીધી રીતે તકવાદીઓ તકનો ઉપયોગ કરી સત્તાનો સ્વાદ ચાખી લેવામાં માને છે. જ્યારે વિચારવાદીઓ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા હોય છે. પક્ષ સત્તામાં હોય તો પણ અને પક્ષ સત્તામાં ન હોય તો પણ વિચારવાદીઓ કશે પણ છટકતા નથી, તેઓ પક્ષ સાથે કોઈ પણ સ્થિતિ અને સંજોગોમાં અડીખમ ઉભેલા હોય છે.

ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે સત્તાલક્ષી લોકોનું ટોળાનું વર્ચસ્વ જામી જાય તો વિચારલક્ષી લોકો કાં તો નિષ્ક્રીય થઈ જાય છે અથવા તો ઘરે બેસી જાય છે. આનાથી નુકશાન પક્ષને જ થાય છે. સત્તાલક્ષી લોકોની સીધી વાત એ હોય છે કે પક્ષનું જે થવાનું હોય તે થાય, મેં મારું ભોગવી લીધું છે. સત્તા જાય તો એની સાથે આવા સત્તાલક્ષી, સત્તાના લોભિયા પણ બીજા પક્ષમાં જતા રહે છે. હાલ કોંગ્રેસની હાલત આવી જ થઈ ગઈ છે.

જ્યારે વિચારલક્ષી લોકો વણલખેયેલા સિદ્વાંતને વરેલા હોય છે કે મારું કંઈ પણ થાય પક્ષ ટકેલો અને મજબૂત હોવો જોઈએ. હું હોઉં કે ન હોઉં પાર્ટી મજબૂત થવી જોઈએ. જિનેન્દ્ર શાહ જેવા અનેક સત્તાલક્ષી લોકોનો ભાજપના નામે રાફડો ફાટ્યો છે અને આવા લોકો ભાજપનું નામ વટાવી ખાય છે. સીઆર પાટીલ જેવા નેતાઓને પણ તેઓ ગમે તે હદે જઈને બદનામ કરવાનાં મર્યાદા બહારની કાદવ ઉછાળ પ્રવૃત્તિ કરવામાં પણ જરાય છોછ રાખતા નથી.

Khabarchhe.comએ સુરત ડીસીબીના એસીપી ભાવેશભાઈ રોજિયાની સાથે ટેલિફોન પર વાત કરી તો તેમણે કહ્યું કે હાલ તપાસ ચાલી રહી છે.

About The Author

UD Picture

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.