મિત્ર હોય તો આવો, અકસ્માતમાં મિત્રને ગુમાવ્યા બાદ તેની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરે છે ચંદુભાઈ

આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ પાસે વિશ્વાસ મૂકી શકાય તેવું નથી. આજે પોતિકાઓ પણ દગો આપીને સંબંધોની હત્યા કરી નાખે છે. જો કે, એવું જરાય નથી કે હવે માનવતા મરી પરવારી છે કે હવે સંબંધો જેવુ કઈ રહ્યું નથી. આપણે મિત્રતાની અનેક એવી કહાનીઓ સાંભળી છે, જે બધાને ચોંકાવી દે છે. સાચી મિત્રતા સમય, અંતર કે મૃત્યુથી પણ ખતમ થતી નથી. જ્યારે કોઈ મિત્ર પોતાના મિત્રને દિલથી ચાહે છે, ત્યારે તેની યાદો માત્ર સ્મૃતિ બનીને રહેતી નથી, પરંતુ જીવન જીવવાની પ્રેરણા બની જાય છે. આવી જ કહાની છે ચંદુભાઈ મકવાણા અને હકૂભાઈની.

ગુજરાતના જેતપુરના બે મિત્રોની આ અનોખી મિત્રતાની કહાની આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. અહીં ચંદુભાઈએ અકસ્માતમાં પોતાના મિત્ર હકૂભાઈને ગુમાવ્યા બાદ તેની યાદને માત્ર હૃદયમાં જ નહીં, પરંતુ મૂર્તિના સ્વરૂપમાં પણ જીવંત રાખી છે. ચંદુભાઈ દરરોજ સવારે પોતાના મિત્રની મૂર્તિને હાર પહેરાવી, પૂજા કરીને જ તે પોતાના દિવસની શરૂઆત કરે છે.

friendship2
gujarati.news18.com

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ચંદુભાઈએ કહ્યું કે, તેમની અને હકુભાઈની મિત્રતા ભાવનગરમાં થઈ હતી. બંને એક જ મિત્રમંડળ સાથે જોડાયેલા હતા અને વર્ષો સુધી એકબીજાના સુખ-દુઃખમાં સાથી રહ્યા હતા. પરંતુ એક દિવસ હકુભાઈ બગદાણા જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો અને તેમનું દુઃખદ અવસાન થયું. આ ઘટના માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર મિત્રવર્તુળ માટે મોટો આઘાત બની હતી.

મિત્રના નિધન બાદ ચંદુભાઈ લાંબા સમય સુધી આ દુઃખમાંથી બહાર આવી શક્યા નહોતા. બાદમાં તેઓ ભાવનગર છોડીને જેતપુર રહેવા આવ્યા, પરંતુ મિત્રની યાદો સતત તેમની સાથે રહી. એક દિવસ તેમના મનમાં વિચાર આવ્યો કે કેમ પોતાના પ્રિય મિત્રની મૂર્તિ બનાવી તેની યાદને હંમેશા માટે જીવંત રાખવામાં ન આવે. આ વિચારને તેમણે હકીકતમાં બદલ્યો. પોતાના મિત્ર હકુભાઈની મૂર્તિ તૈયાર કરાવી અને તેની સ્થાપના કરી. ત્યારથી આજદિન સુધી ચંદુભાઈ દરરોજ સવારે સૌથી પહેલા પોતાના મિત્રની મૂર્તિ પાસે જાય છે, ફૂલોનો હાર અર્પણ કરે છે, દીવો પ્રગટાવે છે અને પ્રાર્થના કર્યા બાદ જ પોતાના દિવસના અન્ય તમામ કામની શરૂઆત કરે છે. તેમના માટે આ માત્ર એક નિયમ નહીં, પરંતુ મિત્ર પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમની અભિવ્યક્તિ છે.

ચંદુભાઈ જણાવે છે કે શરૂઆતમાં હકુભાઈના નામે 11 સમૂહલગ્ન યોજાયા હતા. ત્યારબાદ 21, પછી 51 સમૂહલગ્ન સફળતાપૂર્વક યોજાયા અને હવે 71 સમૂહલગ્ન યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેઓ કહે છે કે ઉપર બેઠેલા તેમના મિત્રને પણ ગર્વ થવો જોઈએ કે તેમના નામે સમાજ માટે સારાં કાર્યો થઈ રહ્યા છે. ચંદુભાઈ માત્ર મિત્રની યાદ જ જીવંત રાખતા નથી, પરંતુ તેમના નામે સમાજસેવાનું કાર્ય પણ આગળ વધારી રહ્યા છે. જેતપુરમાં હકુ ગ્રુપ નામથી એક સેવાકીય સંસ્થા કાર્યરત છે, જે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે અને ગરીબ દીકરીઓના સમૂહલગ્ન જેવા સામાજિક કાર્યોનું આયોજન કરે છે.

friendship3
gujarati.news18.com

સ્થાનિક રહેવાસી ગિરીશભાઈ દવે પણ ચંદુભાઈની આ લાગણીના સાક્ષી છે. તેઓ કહે છે કે છેલ્લા ઘણા વર્ષોથી દરરોજ સવારે ચંદુભાઈ પોતાના મિત્રની મૂર્તિ પાસે આવીને પૂજા કરે છે, દીવો પ્રગટાવે છે અને હાર ચડાવે છે. ત્યારબાદ જ તેઓ પોતાના રોજિંદા કાર્યો માટે નીકળે છે. તેમના મતે આવી મિત્રતા આજના સમયમાં ખૂબ જ દુર્લભ છે. ચંદુભાઈ અને હકુભાઈની મિત્રતા આજે અનેક લોકો માટે સંબંધોની સાચી વ્યાખ્યા બની ગઈ છે અને સમાજને એ શીખવે છે કે નિઃસ્વાર્થ પ્રેમ અને મિત્રતા હંમેશાં અમર રહે છે.

About The Author

Top News

કંગના રણૌત વિવાદ વચ્ચે શરૂ થયો 'સોરી રિતિક' ટ્રેન્ડ, એક્ટરની પણ આવી પ્રતિક્રિયા

અભિનેતા રિતિક રોશને વાયરલ થઇ રહેલા 'સોરી રિતિક' ટ્રેન્ડ પર પ્રતિક્રિયા આપી છે અને લોકોને કહ્યું કે તેઓ...
Entertainment 
કંગના રણૌત વિવાદ વચ્ચે શરૂ થયો 'સોરી રિતિક' ટ્રેન્ડ, એક્ટરની પણ આવી પ્રતિક્રિયા

અનંત અંબાણી પછી, હાર્દિકે મૂંડન કરાવ્યું; જાણો તિરુમાલામાં વાળનું દાન કેમ કરવામાં આવે છે

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાનું માથું મૂંડાવ્યું છે. પંડ્યાએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી...
Astro and Religion 
અનંત અંબાણી પછી, હાર્દિકે મૂંડન કરાવ્યું; જાણો તિરુમાલામાં વાળનું દાન કેમ કરવામાં આવે છે

આ 10 દેશોમાં થવાની છે મોટી બબાલ, અમેરિકાએ કહ્યું તાત્કાલિક દેશ છોડીને ભાગો

ઈરાન સાથે વધતા યુદ્વ વચ્ચે પોતાને સૌથી તાકતવર દેશ કહેનારા અમેરિકાની પણ હવા ટાઇટ થવા લાગી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
World 
આ 10 દેશોમાં થવાની છે મોટી બબાલ, અમેરિકાએ કહ્યું તાત્કાલિક દેશ છોડીને ભાગો

ન તો તાળું તૂટ્યું, ન એલાર્મ વાગ્યું, જ્વેલરી શો-રૂમમાંથી 10 લાખના દાગીના ગાયબ; ચોર ઉંદર હોવાનું બહાર આવ્યું!

કર્ણાટકના તુમકુરુમાં એક જ્વેલરી શોરૂમમાંથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં  શોરૂમમાંથી જ્વેલરી એક એક કરીને ગાયબ થઈ...
National 
ન તો તાળું તૂટ્યું, ન એલાર્મ વાગ્યું, જ્વેલરી શો-રૂમમાંથી 10 લાખના દાગીના ગાયબ; ચોર ઉંદર હોવાનું બહાર આવ્યું!
Copyright (c) Khabarchhe All Rights Reserved.