કોંગ્રેસે છેલ્લો 'ગઢ' ગુમાવ્યો, BJPએ આ ડેરી પર 'સંપૂર્ણ કબજો' મેળવ્યો

ગુજરાતમાં સત્તા પર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને વધુ એક મોટી જીત મળી છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી, જો ગુજરાતમાં BJPનું કોઈ લક્ષ્ય હોય તો તે પ્રતિષ્ઠિત ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનું એટલે કે અમૂલનું સુકાન હતું. તેને અમૂલ ડેરી તરીકે ઓળખવામાં આવે છે. 1946માં તેની રચના થઈ ત્યારથી, તે પાર્ટીના નિયંત્રણની બહાર હતી. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, આણંદની ચૂંટણીમાં BJPનો વિજય થયો છે. આઝાદી બાદ પહેલીવાર BJP પાર્ટીએ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કબજે કર્યા છે.

પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી વિધાનસભાની ચૂંટણીથી જ પ્રયાસો કરી રહી હતી. થોડા સમય પહેલા જ કોંગ્રેસના પાંચ નેતાઓ BJPમાં જોડાયા હતા. જેમાં સંઘના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા કાંતિ પરમાર સોઢાનો સમાવેશ થાય છે. આ સાથે જ સંઘના પ્રમુખ તરીકે BJPના નેતા વિપુલ પટેલની વરણી કરવામાં આવી છે.

અમૂલ ડેરી સંકુલ ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.ચૂંટણી પૂર્વે આણંદ સર્કિટ હાઉસ ખાતે BJP સમર્થિત તમામ ડિરેકટરો એકઠા થયા હતા. અહીં પ્રદેશ BJP મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, BJP સહકારી સેલના પ્રમુખ બિપીન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ અને BJPના આગેવાનો અને ડિરેક્ટરો વચ્ચે બેઠક યોજાઈ હતી.

નવા ચેરમેન વિપુલ પટેલ આણંદ જિલ્લા APMCના વડા તેમજ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. કાંતિ પરમાર 2017ની વિધાનસભા ચૂંટણીમાં આણંદ શહેરની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ ગયા વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ BJPના હરીફ યોગેન્દ્ર પરમાર સામે હારી ગયા હતા, જેઓ ભૂતપૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પુત્ર છે.

જ્યારે, ભૂતપૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમાર 2002થી ડેરીના ચેરમેન હતા અને 2017માં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી BJPમાં જોડાયા હતા. આણંદ અને ખેડા જિલ્લા કોંગ્રેસનો ગઢ હોવા છતાં અમૂલ બોર્ડમાં હજુ પણ પક્ષનો દબદબો હતો, પરંતુ છેલ્લા પાંચ દિવસમાં ચાર યુનિયન ડિરેક્ટરો BJPમાં જોડાયા અને કોંગ્રેસે તેનો ગઢ ગુમાવ્યો. કોંગ્રેસ સાથે સંકળાયેલા અમૂલના ચાર ડિરેક્ટરો 11 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં પ્રદેશ BJP પ્રમુખ CR પાટીલની હાજરીમાં BJPમાં જોડાયા હતા. જેમાં જોવનસિંહ ચૌહાણ (મોડજ), સીતા ચંદુ પરમાર (તારાપુર), શારદા હરી પટેલ (કપડવંજ) અને ઘેલા માનસિંહ ઝાલા (કાઠાલાલ)નો સમાવેશ થાય છે.

સપ્ટેમ્બર 2020ની ચૂંટણીમાં કોંગ્રેસે 11માંથી 8 બેઠકો જીતી હતી. 13 ફેબ્રુઆરીએ આણંદ સર્કિટ હાઉસ ખાતે BJPની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વિપુલ પટેલને પ્રમુખ તરીકે અને સોઢા પરમારને ઉપપ્રમુખ તરીકે ચૂંટવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

About The Author

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.