કોઈ દેવ સ્થાન ન હોવા છતા પણ લોકો માનતા પૂરી કરવા આ જગ્યા પર ચઢાવે છે પાણી

રાજ્યમાં ઘણા મંદિરો આવેલા છે. અલગ-અલગ મંદિરો પર લોકો તેમની મનોકામના પૂર્ણ થતા માનતા ચઢાવતા હોય છે. ત્યારે આજે ગુજરાતમાં એક એવા સ્થાનની વાત કરવી છે કે આ સ્થાન પર કોઈ દેવી-દેવતા ન હોવા છતાં પણ લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવવા માટે આવે છે. આ સાંભળીને તમને પણ નવાઈ થતી હશે કે લોકો માત્ર પાણી જ શા માટે માનતા રૂપે ચઢાવે છે.

ઘણા મંદિરોમાં તો લોકો માતાજી કે દેવતાને તેમની માનતા પૂરી કરવા માટે ચાંદીનું છત્ર, ચાંદીના દાગીના કેસ પછી અન્ય કિંમત ધાતુ ચઢાવતા હોય છે. જે સ્થળ પર લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવે છે તે સ્થળ મહેસાણા જિલ્લાના મોઢેરાથી ચાણસ્મા તરફ જતા રોડ પર મેસર ગામના પાટિયા નજીક આવેલું છે. આ જગ્યા પર કોઈ મોટું મંદિર બનાવવામાં આવ્યું નથી પણ એક વૃક્ષ નીચે ઇંટોની મદદથી સાવ નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ જગ્યાની આસપાસ પાણીના પાઉચની થેલીઓના પર્વત જેવા ઢગલા જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર મેસર ગામ નજીક એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ચારેય લોકો પાણી માટેની બૂમો પાડી રહ્યા હતા અને અંતે તમામ લોકોના મોત થયા હતા. પાણી વગર ચારેય લોકોના મોત થતા લોકોએ આ જગ્યા પર પાણી ચઢાવવાની શરૂઆત કરી.

મહત્વની વાત છે કે, આ જગ્યા પર કોઈ દેવતા કે દેવીનો વાસ નથી. છતાં પણ કેટલા શ્રદ્ધાળુઓ ચારથી છ ઈંટ મૂકીને દીવો થાય તેવી વ્યસ્થા કરીને દીવો પ્રકટાવીને તેઓ પાણી ચઢાવે છે. ત્યારબાદ લોકોની આસ્થાના કારણે આ સ્થળનું મહત્ત્વ વધ્યું અને આજે પણ લોકો તેમને માનેલા કામ પૂરા થાય તો આ સ્થળ પર પાણી ચઢાવવા માટે આવે છે.

લોકોનું માનવું છે કે, જે લોકો પાણી વગર મૃત્યુપામ્યા હતા તેમના તરસ્યા આત્માને તૃપ્ત કરવા માટે લોકો અહિયાં પાણી ચઢાવે છે. આ ધરતી અતૃપ્ત હોવાથી લોકો પાણી આ જગ્યાને ચઢાવીને ધરતીને પણ પાણીથી તૃપ્ત કરે છે. આ કિસ્સા પરથી એવું કહી શકાય કે, આસ્થા લોકોના મનમાંથી જ ઉત્પન થાય છે. જ્યાં તર્કવિહીની વિચાર હોય છે ત્યાં જ આસ્થાનું સિંચન થાય છે. આ કિસ્સો મહેસાણાના મેસર ગામ નજીકની જગ્યા પર સાચો કહી શકાય. કારણ કે ભલે ત્યાં કોઈ દેવ સ્થાન નથી પણ લોકોએ રાખેલી આસ્થાથી તેમના કામ પૂરા થતા તેઓ માનતા ચઢાવવા માટે એક વૃક્ષ નીચે રહેલા નાના મંદિરની સામે દીવો કરીને પાણીની બોટલો કે પછી પાઉચ ચઢાવે છે. તેનો પૂરાવો આ સ્થાનની આસપાસ ખડકલો થયેલા પાણીના પાઉચ જ દર્શાવે છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.