ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા

દેશના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ તાજેતરમાં ટાટા સ્ટીલ અને ટાટા પાઇપ્સના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધિત કરીને ક્લાયમેટ એક્શનની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે દેશભરના હજારો ટાટાના કર્મચારીઓને સંબોધિત કર્યા હતા.

'સી.એસ.આર એટલે કે કલેક્ટિવ સસ્ટેનેબલ રસ્પોન્સિબિલિટી' નામના તેમના વક્તવ્યમાં વિરલ દેસાઈએ વિશ્વને અસર કરી રહેલા ક્લાયમેટ ચેન્જના ગંભીર પરિણામો અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, 'ટાટા જેવા મહાન ઉદ્યોગ જૂથના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધવાનું મારા માટે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. ક્લાયમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દા પર બોલવું એ મારી જવાબદારી છે.'

વિરલ દેસાઈએ તેમના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જ એ માત્ર એક પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ આપણી ભાવી પેઢી માટે એક મોટો ખતરો છે. આપણે સૌએ મળીને આ સમસ્યાનો સામનો કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ સાથે તેમણે એમ પણ સ્પષ્ટ કરી આપ્યું કે ક્લાયમેટ ચેન્જ એ માત્ર સરકારોની કે એનજીઓઝની કે કોર્પોરેટ્સની જ જવાબદારી નથી. આ જવાબદારી તમામ લોકોની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વિરલ દેસાઈએ ટેડેક્સ જેવા મંચો પર કે દુબઈ જેવા શહેરોમાં ક્લાયમેટ એક્શન અંગેના તેમના વિચારો રજૂ કર્યા છે.

Top News

વિદેશથી પરત આવેલા સાંસદોના પ્રતિનિધિમંડળને PM મોદીએ રાત્રિભોજન માટે આપ્યું આમંત્રણ, જાણો ક્યારે થશે આ મુલાકાત

પીએમ મોદીએ વિદેશથી પરત ફરતા સાંસદોના પ્રતિનિધિમંડળને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે. આ રાત્રિભોજન મંગળવારે સાંજે 7 વાગ્યે યોજાશે. પ્રાપ્ત...
National 
વિદેશથી પરત આવેલા સાંસદોના પ્રતિનિધિમંડળને PM મોદીએ રાત્રિભોજન માટે આપ્યું આમંત્રણ, જાણો ક્યારે થશે આ મુલાકાત

50 વર્ષથી જેમાં આગ ભભૂકી રહી છે તે 'નર્કનો દરવાજો' બંધ થવાની અણી પર! દૂર-દૂરથી લોકો જોવા આવતા

'નર્કનો દરવાજો' તુર્કમેનિસ્તાનના કારાકુમ રણમાં આવેલું છે. તે 39 મીટર પહોળો અને 30 મીટર ઊંડો ખાડો છે, ...
World 
50 વર્ષથી જેમાં આગ ભભૂકી રહી છે તે 'નર્કનો દરવાજો' બંધ થવાની અણી પર! દૂર-દૂરથી લોકો જોવા આવતા

જેલમાંથી બહાર આવી શકે છે ઇમરાન ખાન, 11 જૂને શું થવાનું છે? જાણો આખો મામલો

જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 11 જૂને જામીન મળે તેવી શક્યતા છે. તેમની પાર્ટીના એક...
World 
જેલમાંથી બહાર આવી શકે છે ઇમરાન ખાન, 11 જૂને શું થવાનું છે? જાણો આખો મામલો

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ કોહલી પાસે મળ્યો આ ‘ગુરુમંત્ર’, સાઈ સુદર્શને કર્યો ખુલાસો

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં કેટલાક યુવા અને...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ કોહલી પાસે મળ્યો આ ‘ગુરુમંત્ર’, સાઈ સુદર્શને કર્યો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.