ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા

દેશના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ તાજેતરમાં ટાટા સ્ટીલ અને ટાટા પાઇપ્સના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધિત કરીને ક્લાયમેટ એક્શનની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે દેશભરના હજારો ટાટાના કર્મચારીઓને સંબોધિત કર્યા હતા.

'સી.એસ.આર એટલે કે કલેક્ટિવ સસ્ટેનેબલ રસ્પોન્સિબિલિટી' નામના તેમના વક્તવ્યમાં વિરલ દેસાઈએ વિશ્વને અસર કરી રહેલા ક્લાયમેટ ચેન્જના ગંભીર પરિણામો અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, 'ટાટા જેવા મહાન ઉદ્યોગ જૂથના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધવાનું મારા માટે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. ક્લાયમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દા પર બોલવું એ મારી જવાબદારી છે.'

વિરલ દેસાઈએ તેમના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જ એ માત્ર એક પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ આપણી ભાવી પેઢી માટે એક મોટો ખતરો છે. આપણે સૌએ મળીને આ સમસ્યાનો સામનો કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ સાથે તેમણે એમ પણ સ્પષ્ટ કરી આપ્યું કે ક્લાયમેટ ચેન્જ એ માત્ર સરકારોની કે એનજીઓઝની કે કોર્પોરેટ્સની જ જવાબદારી નથી. આ જવાબદારી તમામ લોકોની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વિરલ દેસાઈએ ટેડેક્સ જેવા મંચો પર કે દુબઈ જેવા શહેરોમાં ક્લાયમેટ એક્શન અંગેના તેમના વિચારો રજૂ કર્યા છે.

Related Posts

Top News

ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બન્યો નવો કેપ્ટન, બૂમરાહનો નંબર ન લાગ્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિએ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે...
Sports 
ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બન્યો નવો કેપ્ટન, બૂમરાહનો નંબર ન લાગ્યો

પૃથ્વીની નજીક આવી રહી છે એક આફત, NASAની ચેતવણી

પૃથ્વી માટે અત્યંત ખતરનાક ગણાતા એસ્ટરોઇડ હંમેશા વૈજ્ઞાનિકો અને અવકાશ પ્રેમીઓ માટે જિજ્ઞાસા અને ચિંતાનો વિષય રહ્યા છે. એસ્ટરોઇડ્સ, ...
Science 
પૃથ્વીની નજીક આવી રહી છે એક આફત, NASAની ચેતવણી

‘આ શશિ થરૂરનું અપમાન’, હાઈકમાન પર કેમ ગુસ્સે થયા કોંગ્રેસ નેતા? જાણો શું છે આખો મામલો

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પાસેથી ઓલ પાર્ટી ડેલિગેશન માટે નેતાઓના નામના...
National  Politics 
‘આ શશિ થરૂરનું અપમાન’, હાઈકમાન પર કેમ ગુસ્સે થયા કોંગ્રેસ નેતા? જાણો શું છે આખો મામલો

બ્રિટનના સૌથી ધનિક મુળ ભારતીય, રાજા કરતા પણ વધારે સંપત્તિ

અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ રાજ કર્યું અને ભારતમાંથી તેઓ મોટી માત્રામાં સંપત્તિ લૂંટી ગયા હતા. ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય કળા...
Business 
બ્રિટનના સૌથી ધનિક મુળ ભારતીય, રાજા કરતા પણ વધારે સંપત્તિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.