ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ કોહલી પાસે મળ્યો આ ‘ગુરુમંત્ર’, સાઈ સુદર્શને કર્યો ખુલાસો

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં કેટલાક યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ પણ સામેલ છે. આવો જ એક ખેલાડી છે સાઈ સુદર્શન, જેણે ઘરેલુ અને IPLમાં પોતાની બેટિંગથી બધાનું દિલ જીત્યું. તેણે આ સીરિઝ અગાઉ અનુભવી ખેલાડી વિરાટ કોહલી સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. કોહલીએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, એટલે તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસ પર નહીં રહે. સુદર્શને જણાવ્યું કે વિરાટ કોહલી સાથેની પોતાની હાલની વાતચીત IPL 2025ની ફાઇનલ બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ હતી. સુદર્શને કહ્યું કે RCBએ ઐતિહાસિક IPL ટાઇટલ જીત્યા બાદ તેણે કોહલીને શુભેચ્છા પાઠવી હતી, જેમાં RCBએ રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી. 23 વર્ષીય સુદર્શને એમ પણ કહ્યું કે કોહલી સાથેની મોટાભાગની વાતચીત દબાવમાં પોતાને સંભાળવા અને રન બનાવવા બાબતે થાય છે.

Sai Sudharsan
crictoday.com

 

સુદર્શને કહ્યું કે, ફાઇનલ બાદ મેં તેને શુભેચ્છા પાઠવી. આ તેના માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી તેની સાથે ઘણી વખત વાતચીત થઈ છે. મને તેની રમત પ્રત્યેની લગન અને ઝનૂન ખૂબ પસંદ છે. મેં તેને એ પણ પૂછ્યું કે જ્યારે તે રન બનાવી રહ્યો નહોતો અને સંઘર્ષ કરી રહ્યો હતો, તો તે પોતાને કેવી રીતે સંભાળતો હતો. એક ક્રિકેટર તરીકે આવા અવસરો ખૂબ શીખવે છે, એટલે મેં તેના પર ચર્ચા કરી. શુભમન ગિલ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટન્સી કરશે.

Sai Sudharsan
thesportstak.com

 

કેપ્ટન તરીકે આ તેની પહેલી રેડ-બૉલ સીરિઝ હશે. સુદર્શન ગિલની કેપ્ટન્સી હેઠળ ગુજરાત ટાઇટન્સ (GT) માટે IPLમાં કેટલીક સીઝન રમી ચૂક્યો છે. IPL 2025માં ઓરેન્જ કેપ જીતનાર સુદર્શને કહ્યું કે તેણે ગિલ પાસેથી આત્મવિશ્વાસ અને રમતની સમજ શીખી છે. સુદર્શને કહ્યું કે, ‘સૌથી મોટી શીખ માનસિકતા, આત્મવિશ્વાસ અને પોતાની ક્ષમતા પર ભરોસો છે. મેં જોયું છે કે જ્યારે તે રન બનાવી રહ્યો ન હોય તો તે પોતાને કેવી રીતે સંભાળે છે. રમત અને જીવનને સમજવું, જેથી તમે સતત સારું પ્રદર્શન કરી શકો. આ ઉપરાંત, મેં કેટલીક ટેક્નિકની બાબતો પણ શીખી છે જે ખૂબ મદદરૂપ છે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.