ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ કોહલી પાસે મળ્યો આ ‘ગુરુમંત્ર’, સાઈ સુદર્શને કર્યો ખુલાસો

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં કેટલાક યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ પણ સામેલ છે. આવો જ એક ખેલાડી છે સાઈ સુદર્શન, જેણે ઘરેલુ અને IPLમાં પોતાની બેટિંગથી બધાનું દિલ જીત્યું. તેણે આ સીરિઝ અગાઉ અનુભવી ખેલાડી વિરાટ કોહલી સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. કોહલીએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, એટલે તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસ પર નહીં રહે. સુદર્શને જણાવ્યું કે વિરાટ કોહલી સાથેની પોતાની હાલની વાતચીત IPL 2025ની ફાઇનલ બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ હતી. સુદર્શને કહ્યું કે RCBએ ઐતિહાસિક IPL ટાઇટલ જીત્યા બાદ તેણે કોહલીને શુભેચ્છા પાઠવી હતી, જેમાં RCBએ રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી. 23 વર્ષીય સુદર્શને એમ પણ કહ્યું કે કોહલી સાથેની મોટાભાગની વાતચીત દબાવમાં પોતાને સંભાળવા અને રન બનાવવા બાબતે થાય છે.

Sai Sudharsan
crictoday.com

 

સુદર્શને કહ્યું કે, ફાઇનલ બાદ મેં તેને શુભેચ્છા પાઠવી. આ તેના માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી તેની સાથે ઘણી વખત વાતચીત થઈ છે. મને તેની રમત પ્રત્યેની લગન અને ઝનૂન ખૂબ પસંદ છે. મેં તેને એ પણ પૂછ્યું કે જ્યારે તે રન બનાવી રહ્યો નહોતો અને સંઘર્ષ કરી રહ્યો હતો, તો તે પોતાને કેવી રીતે સંભાળતો હતો. એક ક્રિકેટર તરીકે આવા અવસરો ખૂબ શીખવે છે, એટલે મેં તેના પર ચર્ચા કરી. શુભમન ગિલ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટન્સી કરશે.

Sai Sudharsan
thesportstak.com

 

કેપ્ટન તરીકે આ તેની પહેલી રેડ-બૉલ સીરિઝ હશે. સુદર્શન ગિલની કેપ્ટન્સી હેઠળ ગુજરાત ટાઇટન્સ (GT) માટે IPLમાં કેટલીક સીઝન રમી ચૂક્યો છે. IPL 2025માં ઓરેન્જ કેપ જીતનાર સુદર્શને કહ્યું કે તેણે ગિલ પાસેથી આત્મવિશ્વાસ અને રમતની સમજ શીખી છે. સુદર્શને કહ્યું કે, ‘સૌથી મોટી શીખ માનસિકતા, આત્મવિશ્વાસ અને પોતાની ક્ષમતા પર ભરોસો છે. મેં જોયું છે કે જ્યારે તે રન બનાવી રહ્યો ન હોય તો તે પોતાને કેવી રીતે સંભાળે છે. રમત અને જીવનને સમજવું, જેથી તમે સતત સારું પ્રદર્શન કરી શકો. આ ઉપરાંત, મેં કેટલીક ટેક્નિકની બાબતો પણ શીખી છે જે ખૂબ મદદરૂપ છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.