ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ કોહલી પાસે મળ્યો આ ‘ગુરુમંત્ર’, સાઈ સુદર્શને કર્યો ખુલાસો

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં કેટલાક યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ પણ સામેલ છે. આવો જ એક ખેલાડી છે સાઈ સુદર્શન, જેણે ઘરેલુ અને IPLમાં પોતાની બેટિંગથી બધાનું દિલ જીત્યું. તેણે આ સીરિઝ અગાઉ અનુભવી ખેલાડી વિરાટ કોહલી સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. કોહલીએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, એટલે તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસ પર નહીં રહે. સુદર્શને જણાવ્યું કે વિરાટ કોહલી સાથેની પોતાની હાલની વાતચીત IPL 2025ની ફાઇનલ બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ હતી. સુદર્શને કહ્યું કે RCBએ ઐતિહાસિક IPL ટાઇટલ જીત્યા બાદ તેણે કોહલીને શુભેચ્છા પાઠવી હતી, જેમાં RCBએ રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી. 23 વર્ષીય સુદર્શને એમ પણ કહ્યું કે કોહલી સાથેની મોટાભાગની વાતચીત દબાવમાં પોતાને સંભાળવા અને રન બનાવવા બાબતે થાય છે.

Sai Sudharsan
crictoday.com

 

સુદર્શને કહ્યું કે, ફાઇનલ બાદ મેં તેને શુભેચ્છા પાઠવી. આ તેના માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી તેની સાથે ઘણી વખત વાતચીત થઈ છે. મને તેની રમત પ્રત્યેની લગન અને ઝનૂન ખૂબ પસંદ છે. મેં તેને એ પણ પૂછ્યું કે જ્યારે તે રન બનાવી રહ્યો નહોતો અને સંઘર્ષ કરી રહ્યો હતો, તો તે પોતાને કેવી રીતે સંભાળતો હતો. એક ક્રિકેટર તરીકે આવા અવસરો ખૂબ શીખવે છે, એટલે મેં તેના પર ચર્ચા કરી. શુભમન ગિલ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટન્સી કરશે.

Sai Sudharsan
thesportstak.com

 

કેપ્ટન તરીકે આ તેની પહેલી રેડ-બૉલ સીરિઝ હશે. સુદર્શન ગિલની કેપ્ટન્સી હેઠળ ગુજરાત ટાઇટન્સ (GT) માટે IPLમાં કેટલીક સીઝન રમી ચૂક્યો છે. IPL 2025માં ઓરેન્જ કેપ જીતનાર સુદર્શને કહ્યું કે તેણે ગિલ પાસેથી આત્મવિશ્વાસ અને રમતની સમજ શીખી છે. સુદર્શને કહ્યું કે, ‘સૌથી મોટી શીખ માનસિકતા, આત્મવિશ્વાસ અને પોતાની ક્ષમતા પર ભરોસો છે. મેં જોયું છે કે જ્યારે તે રન બનાવી રહ્યો ન હોય તો તે પોતાને કેવી રીતે સંભાળે છે. રમત અને જીવનને સમજવું, જેથી તમે સતત સારું પ્રદર્શન કરી શકો. આ ઉપરાંત, મેં કેટલીક ટેક્નિકની બાબતો પણ શીખી છે જે ખૂબ મદદરૂપ છે.

Related Posts

Top News

દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં મોકલો: સુપ્રીમ કોર્ટ

રખડતા કૂતરાંઓનો સમસ્યાનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે, 8 સપ્તાહની અંદર...
National 
દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં મોકલો: સુપ્રીમ કોર્ટ

પાટીદારોની ચીમકી, બિન અનામતના હોદ્દા ભરો નહીં તો આંદોલન કરીશું

ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામ આંદોલન પછી સરકારે પાટીદારોની માંગણી સ્વીકારી તે સમયે આર્થિક રીતે નબળા વર્ગો માટે EWSની જાહેરાત...
Gujarat 
પાટીદારોની ચીમકી, બિન અનામતના હોદ્દા ભરો નહીં તો આંદોલન કરીશું

પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...

સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં 7 ઓગસ્ટના દિવસે એક ખેડુતને માર મારવાની ઘટના પછી સુરતથી પાટીદાર સમાજના લોકો 100થી વધુ કાર લઇને વલ્લભીપુરના...
Gujarat 
પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...

'કૌન બનેગા કરોડપતિ'નું પુનરાગમન: અમિતાભ બચ્ચન 'અકલ સાથે અકડ'ના નવા અંદાજમાં

'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન, કેબીસી 17, ગઈકાલથી શરૂ થઈ છે. આ શો હંમેશની જેમ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન...
Entertainment 
 'કૌન બનેગા કરોડપતિ'નું પુનરાગમન: અમિતાભ બચ્ચન 'અકલ સાથે અકડ'ના નવા અંદાજમાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.