યોગરાજ સિંહની પહેલી પત્ની શબનમ સાથે કેમ થયા હતા છૂટાછેડા? કારણ આવ્યું સામે

ભારતીય ક્રિકેટના દિગ્ગજ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ તેમના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું છે અને તેઓ મરવા માટે તૈયાર છે. તેમને ભોજન માટે પણ બીજા પર નિર્ભર રહેવું પડે છે. યોગરાજ સિંહે બે વાર લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન યુવરાજ સિંહની માતા શબનમ કૌર સાથે થયા હતા. શબનમથી અલગ થયા બાદ તેમણે પંજાબી અભિનેત્રી નીના બુંદેલ સાથે લગ્ન કર્યા હતા. આ જ કારણ છે કે યુવરાજ સિંહ તેમના પિતા સાથે રહેતા નથી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે યોગરાજ સિંહે શબનમ કૌરને છૂટાછેડા કેમ આપ્યા હતા?

Yograj3
news18.com

યોગરાજ સિંહ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. તેમના પહેલા લગ્ન શબનમ સાથે થયા હતા. લગ્ન બાદ યોગરાજ અને શબનમના ઘરે બે પુત્રો યુવરાજ સિંહ અને જોરાવર સિંહનો જન્મ થયો. જોકે, શબનમ ખૂબ જ આધુનિક વિચારોવાળી મહિલા હતી, જે યોગરાજ સિંહને પસંદ નહોતું, જેના કારણે તેમની વચ્ચે વારંવાર મતભેદ થતા હતા. યોગરાજ ખૂબ જ કડક અને ગુસ્સાળું સ્વભાવના હોવાનું કહેવાય છે. ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા, જેના કારણે દંપતીએ એક-બીજાને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો. યુવરાજ 17 વર્ષનો હતો ત્યારે તેઓ અલગ થઇ ગયા હતા.

Yograj2
hindi.news18.com

યોગરાજ સિંહ અને શબનમના છૂટાછેડા બાદ યુવરાજ શરૂઆતમાં તેના પિતા સાથે રહેતો હતો. જોક, થોડા દિવસો બાદ તે તેની માતાના સાથે રહેવા જતો રહ્યો. યોગરાજ સિંહે એક ઇન્ટરવ્યૂમાં તો એમ પણ કહ્યું હતું કે પતિ તરીકે યુવરાજની માતા શબનમ સાથે લગ્ન કરવા એ એક ભૂલ હતી. અમારા વિચાર એકદમ અલગ હતા. હું ખેડૂત છું, જ્યારે તે એક વેપારી પરિવારમાંથી હતી. તે બહાર પોતાનું જીવન શોધવા માગતી હતી. કમનસીબે હું એક જૂના જમાનાનો માણસ છું, જે વિચારે છે કે મહિલાઓની જગ્યા પર ઘર છે.

Yograj
hindi.news18.com

યુવરાજ સિંહની માતા શબનમ સાથે છૂટાછેડા થયા બાદ યોગરાજ સિંહે નીના બુંદેલ સાથે લગ્ન કર્યા. નીના બુંદેલે ઇન્સાફ પંજાબ દા’, ‘જગ્ગા ડાકુ’, અને જટ્ટ જેયોના મોર સહિત ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. લગ્ન બાદ યોગરાજ થોડા સમય માટે તેના પરિવાર સાથે અમેરિકા પણ જતા રહ્યા હતા. અહેવાલો અનુસાર, તેનો પરિવાર હજુ પણ અમેરિકામાં રહે છે, જેના કારણે તેઓ અહીં એકલા રહે છે. યોગરાજ સિંહ અને નીના બુંદેલના પણ બે બાળકો છે: એક પુત્ર વિક્ટર સિંહ અને એક પુત્રી અમરજોત કૌર.

About The Author

Related Posts

Top News

મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

જો તમે સવારથી સાંજ સુધી WhatsApp પર સંદેશા અને વીડિયોઝ મોકલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ...
Tech and Auto 
મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

US અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરી રહ્યા છે, અને ઈરાન પણ બદલો લઈ રહ્યું છે. એકબીજાના...
Tech and Auto 
ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ...
World 
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.