યોગરાજ સિંહની પહેલી પત્ની શબનમ સાથે કેમ થયા હતા છૂટાછેડા? કારણ આવ્યું સામે

ભારતીય ક્રિકેટના દિગ્ગજ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ તેમના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું છે અને તેઓ મરવા માટે તૈયાર છે. તેમને ભોજન માટે પણ બીજા પર નિર્ભર રહેવું પડે છે. યોગરાજ સિંહે બે વાર લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન યુવરાજ સિંહની માતા શબનમ કૌર સાથે થયા હતા. શબનમથી અલગ થયા બાદ તેમણે પંજાબી અભિનેત્રી નીના બુંદેલ સાથે લગ્ન કર્યા હતા. આ જ કારણ છે કે યુવરાજ સિંહ તેમના પિતા સાથે રહેતા નથી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે યોગરાજ સિંહે શબનમ કૌરને છૂટાછેડા કેમ આપ્યા હતા?

Yograj3
news18.com

યોગરાજ સિંહ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. તેમના પહેલા લગ્ન શબનમ સાથે થયા હતા. લગ્ન બાદ યોગરાજ અને શબનમના ઘરે બે પુત્રો યુવરાજ સિંહ અને જોરાવર સિંહનો જન્મ થયો. જોકે, શબનમ ખૂબ જ આધુનિક વિચારોવાળી મહિલા હતી, જે યોગરાજ સિંહને પસંદ નહોતું, જેના કારણે તેમની વચ્ચે વારંવાર મતભેદ થતા હતા. યોગરાજ ખૂબ જ કડક અને ગુસ્સાળું સ્વભાવના હોવાનું કહેવાય છે. ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા, જેના કારણે દંપતીએ એક-બીજાને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો. યુવરાજ 17 વર્ષનો હતો ત્યારે તેઓ અલગ થઇ ગયા હતા.

Yograj2
hindi.news18.com

યોગરાજ સિંહ અને શબનમના છૂટાછેડા બાદ યુવરાજ શરૂઆતમાં તેના પિતા સાથે રહેતો હતો. જોક, થોડા દિવસો બાદ તે તેની માતાના સાથે રહેવા જતો રહ્યો. યોગરાજ સિંહે એક ઇન્ટરવ્યૂમાં તો એમ પણ કહ્યું હતું કે પતિ તરીકે યુવરાજની માતા શબનમ સાથે લગ્ન કરવા એ એક ભૂલ હતી. અમારા વિચાર એકદમ અલગ હતા. હું ખેડૂત છું, જ્યારે તે એક વેપારી પરિવારમાંથી હતી. તે બહાર પોતાનું જીવન શોધવા માગતી હતી. કમનસીબે હું એક જૂના જમાનાનો માણસ છું, જે વિચારે છે કે મહિલાઓની જગ્યા પર ઘર છે.

Yograj
hindi.news18.com

યુવરાજ સિંહની માતા શબનમ સાથે છૂટાછેડા થયા બાદ યોગરાજ સિંહે નીના બુંદેલ સાથે લગ્ન કર્યા. નીના બુંદેલે ઇન્સાફ પંજાબ દા’, ‘જગ્ગા ડાકુ’, અને જટ્ટ જેયોના મોર સહિત ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. લગ્ન બાદ યોગરાજ થોડા સમય માટે તેના પરિવાર સાથે અમેરિકા પણ જતા રહ્યા હતા. અહેવાલો અનુસાર, તેનો પરિવાર હજુ પણ અમેરિકામાં રહે છે, જેના કારણે તેઓ અહીં એકલા રહે છે. યોગરાજ સિંહ અને નીના બુંદેલના પણ બે બાળકો છે: એક પુત્ર વિક્ટર સિંહ અને એક પુત્રી અમરજોત કૌર.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.