2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથીઃ સી.આર.પાટીલ

સુરતને મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જ્યારે પણ રાજનીતિક વાતાવરણ ઊભું થાય તો સુરત મહત્ત્વનું કેન્દ્ર બની જાય છે. ફરી એક વખત વિસાવદરની ચૂંટણીને લઈને સુરતમાં રાજનીતિક ગરમાવો વધી ગયો છે. વિસાવદરના ઉમેદવાર જૂનાગઢ જિલ્લા અને વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવતા ગામોના સુરતમાં રહેતા લોકો કે જેમણે સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે તેમની પાસે વોટ માટે અપીલ કરવા સુરત આવ્યા હતા. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે વિસાદવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓના નામ લીધા વિના આડે હાથ લીધા હતા.

તેમણે કહ્યું કે, જે નેતાઓએ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં લખીને પોતાના જીતના મોટા બણગા ફૂંક્યા હતા, તેઓ નિષ્ફળ રહ્યા છે અને 182 બેઠક ઉપર ઉમેદવારોને ઊભા કર્યા હતા, જેમાંથી 136 બેઠક પર ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ છે. આટલું જ નહીં ચૂંટણી જાહેર ન થઈ તે અગાઉથી જ કેટલીક પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામ જાહેર કરીને વિસાવદરની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રાયસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓ માટે સતત દુષ્પ્રચાર કર્યો.

CR-Patil1
facebook.com/CRPatilMP

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીની જનતાએ તેમને નકારી દીધા છે. ત્યાં લોકોએ તેમને સ્વીકાર્યા નથી. તેઓ હવે ગુજરાતમાં આવીને વિસાવદરની પ્રજાને ગેરમાર્ગે દોરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હીની જનતાએ તેમને ઓળખી લીધા અને તેમને હરાવી દીધા. વર્ષ 2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથી. હવે તમને એક તક મળી છે. આ ભૂલ સુધારવાની છે. આ વખત BJPના એક-એક કાર્યકર્તા લોકો સુધી પહોંચી રહ્યા છે અને મને આશા છે કે, વિસાવદરની BJPને જીત અપાવશે.

વિસાવદરના BJPના ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થઈ તે અગાઉથી મારા ઉપર સતત ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ જો ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે એમાંથી ઘણા બહારથી આવ્યા છે. તેઓ વિસાવદરના પણ નથી. કોઈ સુરતના ઓલપાડથી આવ્યા છે તો કોઈ રાજ્યના અન્ય ખુણામાંથી આવ્યા છે. વિસાવદરમાં BJPનો વનવાસ ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હવે આ વનવાસ પૂરો કરીને રામ રાજ્ય સ્થાપવાનો સમય આવી ગયો છે. વર્ષ 2012થી અત્યાર સુધી BJPની એક બેઠક પર જીત નથી થઈ. ત્યારે હું આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે સુરતમાં રહેતા જૂનાગઢ જિલ્લા અને વિસાવદર મતદાન વિસ્તારના સગા સંબંધીઓ જીત અપાવવા માટે મદદ કરે.

CR-Patil2
facebook.com/CRPatilMP

BJPના નેતા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, સુરતને જેમણે કર્મભૂમિ બનાવી છે એવા વિસાવદર મતદાન વિસ્તારના લોકોને અમે અપીલ કરીએ છીએ કે, અહીંથી દરેક વ્યક્તિ ત્યાં ફોન કરે તેમના સંબંધીઓને BJPને મત આપવા માટે પ્રેરિત કરે. BJPના ઉમેદવાર કિશન પટેલ ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. જૂનાગઢ સહકારી માળખામાં પોતાનું સારું યોગદાન આપી રહ્યા છે અને સારો વહીવટ કરી રહ્યા છે. જે વ્યક્તિઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે તેમણે સાબિત કરવું જોઇએ. માત્ર રાજકીય કિન્નાખોરીમાં આવીને ખોટા આક્ષેપો કરવા એ દુર્ભાગ્યપૂર્ણ છે. ચૂંટણીને ચૂંટણીની રીતે લેવી જોઇએ. માત્ર કોઇ વ્યક્તિને અને લોકોને ખોટા માર્ગે દોરવા માટે પ્રચાર ન કરવો જોઇએ.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.