PMની ડિગ્રીની જાણકારી આપવામાં આવે કે નહીં? ગુજરાત HCએ સુરક્ષિત રાખ્યો નિર્ણય

ગુજરાત હાઇ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં પોતાના નિર્ણયને સુરક્ષિત રાખી લીધો છે. કેસની સુનાવણી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીએ ગુરુવારે હાઇ કોર્ટને કહ્યું કે માહિતી અધિકાર કાયદા (RTI Act)નો ઉપયોગ કોઇની બાલિશ જિજ્ઞાસાને સંતુષ્ટ કરવા માટે નહીં કરી શકાય. તેની સાથે જ યુનિવર્સિટીએ અરજી દાખલ કરીને RTI કાયદા હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલને ઉપલબ્ધ કરાવવાના આદેશને રદ્દ કરવાની માગણી કરી હતી.

કેન્દ્રીય સૂચના આયોગ (CIC)ના 7 વર્ષ જૂના આદેશનું પાલન કરવા માટે RTI અધિનિયમ હેઠળ આપવામાં આવેલા અપવાદોનો સંદર્ભ આપતા યુનિવર્સિટી તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તર્ક આપ્યો કે માત્ર કોઇ સાર્વજનિક પદ પર છે, કોઇ વ્યક્તિ એવી અંગત જાણકારી માગી નહીં શકે, જે તેમની સાર્વજનિક જીવન/ગતિવિધિ સાથે સંબંધિત નથી. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલ આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે જાણકારી પહેલા જ સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે અને યુનિવર્સિટીએ પૂર્વમાં પોતાની વેબસાઇટ પર વિવરણ પણ રજૂ કર્યું હતું.

RTIનો ઉપયોગ વિરોધીઓ વિરુદ્ધ તુચ્છ હુમલા કરવા માટે કરવામાં આવી રહ્યો છે. જો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી ઉપસ્થિત થયેલા વકીલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની જાણકારી સાર્વજનિક રૂપે ઉપલબ્ધ નથી, જેમ સોલિસિટર જનરલ તુષાર મેહતા દાવો કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના વકીલે દલીલોમાં ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાલના રાષ્ટ્રપતિ જો બાઇડનના આવાસોની તપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, કોઇ પણ કાયદાથી ઉપર નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ બીરેન વૈષ્ણવે અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે, જુલાઇ 2016માં ગુજરાત હાઇ કોર્ટે કેન્દ્રીય સૂચના આયોગ (CIC)ના એ આદેશ પર રોક લગાવી દીધી હતી, જેમાં અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. એપ્રિલ 201માં તાત્કાલિક CICએ દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી બંનેને જ નિર્દેશ આપ્યો હતો કે તેઓ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે કેજરીવાલને જાણકારી પ્રદાન કરે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.