બાહુબલી મધુ શ્રીવાસ્તવની ખુલ્લી ચીમકી, 2024મા લઈશ 2022મા ટિકિટ કાપવાનો બદલો

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ સુધી ગુજરાતના બાહુબલી ધારાસભ્યની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ ચીમકી આપી દીધી છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, વર્ષ 2022નો બદલો વર્ષ 2024માં લઇશ. વાઘોડિયા સીટ પરથી 7 વખતના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવે ટિકિટ કાપનારાઓને પાઠ ભણાવવાની ચીમકી આપી હતી. મીડિયાને આપેલા નિવેદનમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ટિકિટ નક્કી હતી, પરંતુ વડોદરા લોકલના સાંસદ (રંજનબેન ભટ્ટ)એ તેમની ટિકિટ કપાવી હતી.

તેમણે આગળ કહ્યું કે, હું વર્ષ 2024માં ખુલ્લેઆમ વિરોધ કરીશ. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ટિકિટ ન મળવા પર મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, ત્યારબાદ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી ભાજપના કબજામાં રહેનારી આ સીટ અપક્ષના ખાતામાં જતી રહી હતી અને મધુ શ્રીવાસ્તવના ચિર પ્રતિદ્વંદ્વી ધર્મેન્દ્ર સિંહ વાઘેલાને જીત મળી હતી.

ભાજપના ઉમેદવાર અને તાત્કાલીન વડોદરા જિલ્લાના અધ્યક્ષ અશ્વિન પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું વર્ષોથી ભાજપમાં છું અને જો ભાજપનો કોઈ કાર્યક્રમ થતો હોય, તો અમે જરૂર શુભેચ્છા પાઠવીએ છીએ, પરંતુ હું નહીં જાઉ, વિધાનસભાની ચૂંટણીમાં મારી ટિકિટ પાક્કી હતી. વડોદરાના સાંસદે મારી ટિકિટ કાપી દીધી. હું વર્ષ 2024માં ખુલ્લેઆમ વિરોધ કરીશ.

મધુ શ્રીવાસ્તવે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું નામ લીધું નથી અને વડોદરાના સાંસદ કહીને પ્રહાર કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે ટિકિટ કાપવાના સમય પર કહ્યું હતું કે, સ્થાનિક ભાજપના નેતાઓએ ટિકિટ કપાવી, પરંતુ ચૂંટણીના 3 મહિના બાદ મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મારી ટિકિટ વડોદરાના સાંસદે કપાવી. તેમણે એમ પણ કહ્યું કે, એટલે વર્ષ 2024ની ચૂંટણીમાં હું ખુલ્લેઆમ વિરોધ કરીશ. વર્ષ 2019માં રંજનબેન ભટ્ટ બીજી વખત સાંસદ બન્યા હતા.

વર્ષ 2014માં વડોદરા લોકસભા સીટ પરથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીત હાંસલ કરી હતી. ત્યારબાદ તેમણે વારાણસીની સીટને નક્કી કરતા વડોદરાની સીટ છોડી દીધી હતી. ત્યારબાદ પેટાચૂંટણીમાં રંજનબેનને ટિકિટ મળી હતી અને તેમણે જીત હાંસલ કરી હતી. ભાજપે વર્ષ 2019માં તેમને ફરી ચાંસ આપવામાં આવ્યો હતો. રંજનબેન પૂર્વમાં શહેરમાં ડેપ્યુટી મેયર અને વડોદરા શહેર અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મધુ શ્રીવાસ્તવના આરોપ પર અત્યાર સુધી વડોદરાના સાંસદનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

About The Author

Related Posts

Top News

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

જો તમે સવારથી સાંજ સુધી WhatsApp પર સંદેશા અને વીડિયોઝ મોકલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ...
Tech and Auto 
મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

US અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરી રહ્યા છે, અને ઈરાન પણ બદલો લઈ રહ્યું છે. એકબીજાના...
Tech and Auto 
ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ...
World 
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.