આવું કેવું? અમદાવાદમાં રોડ પર વાહન પાર્ક કરશો તો, બિલ્ડીંગ સીલ થઇ જશે

અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે કરવામાં આવતા પાર્કિંગને લઈને કડક નિર્ણય લીધો છે. શહેરમાં તમામ મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે. કોમ્પ્લેક્સની બહાર રોડ કે ફૂટપાથ ઉપર ક્યાંય પણ પાર્કિંગ કરવાનું રહેશે નહીં

AMCના એસ્ટેટ વિભાગે ટ્રાફીક પોલીસ સાથે મળીને કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્ય રોડ પરના કોઇ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે બિલ્ડીંગની બહાર રોડ પર વાહનો પાર્ક થશે તો એ જાવાની જવાબાદારી કોર્મશિયલ કોમ્પ્લેકસ અને બિલ્ડીંગના સંચાલકોની રહેશે. જો રોડ પર વાહનો પાર્ક કરેલા મળશે તો AMC બિલ્ડીંગને સીલ કરવા સુધીની કાર્યવાહી કરી શકે છે.

ઉપરાંત કોઇ પણ કોર્મશિયલ કોમ્પ્લેક્સમાં માર્જિનની જગ્યાએ દબાણ હશે જેમ કે કોઇ ખાણી પીણી વાળાને ભાડે આપી હોય તો પાલિકા આ દબાણ દુર કરી દેશે અને માલ સામાન પણ જપ્ત કરી લેશે.

About The Author

Related Posts

Top News

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો...
Opinion 
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન

9.90 લાખનો કોન્ટ્રાક્ટ લઈ 50 હજારની પ્રતિમા મૂકી દીધી, કલેક્ટર-ધારાસભ્ય ઉદ્ઘાટન પણ કરીને જતા રહ્યા

મધ્ય પ્રદેશના ખરગોનમાં આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની તાંત્યા મામા ભીલની પ્રતિમા સ્થાપિત કરવામાં ભ્રષ્ટાચારનો એક મામલો સામે આવ્યો છે....
National 
9.90 લાખનો કોન્ટ્રાક્ટ લઈ 50 હજારની પ્રતિમા મૂકી દીધી, કલેક્ટર-ધારાસભ્ય ઉદ્ઘાટન પણ કરીને જતા રહ્યા

શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવારનું 31મો સ્નેહમિલન સમારોહ

શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા  પરિવાર દ્વારા આયોજિત 31મો સ્નેહમિલન સમારોહ ભવ્ય આયોજન અને ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો....
Gujarat 
શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવારનું 31મો સ્નેહમિલન સમારોહ

પહેલા લગ્ન કરી વહુ બનતી, પછી બધું લઈને ભાગી જતી..., કોણ છે આ શિવન્યા

ઉત્તર પ્રદેશના રામપુર પોલીસે એક લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે, જેની વાર્તા કોઈ ફિલ્મી કહાની જેવી લાગે છે. એક...
National 
પહેલા લગ્ન કરી વહુ બનતી, પછી બધું લઈને ભાગી જતી..., કોણ છે આ શિવન્યા

Opinion

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો, દરગાહો...
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
આજે ગર્વ સાથે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.