લોકસભા ચૂંટણી 2024:ગુજરાતની જે સીટ 35 વર્ષથી BJP પાસે છે,એના પર AAPએ દાવો કર્યો

કોંગ્રેસ સાથે 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધન હેઠળ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી રાજ્યમાં રાજકીય તાપમાન વધવા લાગ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નેતા ચૈતર વસાવા ભરૂચ લોકસભાથી ચૂંટણી લડશે. ભરૂચ લોકસભા બેઠક 1998થી BJP પાસે છે. રાજ્યમાં BJPના સૌથી મોટા આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી એક પણ ચૂંટણી હાર્યા નથી. મનસુખ વસાવા સતત છ વખત ચૂંટણી જીત્યા છે. મનસુખ વસાવા પહેલીવાર નવેમ્બર 1998માં જીત્યા હતા. ત્યારથી તેઓ ભરૂચમાંથી જીતી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી ચૈતર વસાવા ભરૂચમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. જો આમ થાય તો ભરૂચ લોકસભા પરની હરીફાઈ રસપ્રદ બની શકે છે. વિસ્તારની સમસ્યાઓને લઈને ચૈતર વસાવા ઘણા સમયથી મનસુખ વસાવાને ઘેરી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ રહી ચૂકેલા અહેમદ પટેલ એક સમયે આ બેઠક જીતીને કોંગ્રેસ નેતૃત્વની નજરમાં આવ્યા હતા. અહેમદ પટેલ 1977માં ભરૂચ લોકસભામાંથી પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો ન હતો. આવી સ્થિતિમાં સમગ્ર નેતૃત્વની નજર અહેમદ પટેલની આ જીત પર પડી હતી. આ પછી અહેમદ પટેલ સતત બે વખત જીત્યા. તેઓ 1977 થી 1989 સુધી સાંસદ રહ્યા હતા. તેઓ 1989ની ચૂંટણીમાં BJPના ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા હતા. ત્યારથી આ બેઠક BJPના કબ્જામાં છે. 1989થી 2019 સુધી કોંગ્રેસ આ સીટ ફરી ક્યારેય જીતી શકી નથી.

ભરૂચ લોકસભા બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત, જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી એક-એક બેઠક પણ છે. જે બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ધારાસભ્ય છે. ડેડિયાપાડાની બેઠક પણ આ લોકસભામાં છે. વડોદરાની કરજણ બેઠક પણ આ લોકસભાનો એક ભાગ છે. સાતમાંથી છ બેઠકો પર BJPનો કબજો છે. ભરૂચ લોકસભાના આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની બેઠક ઝઘડિયા પણ એમાં આવે છે. 2022ની ચૂંટણીમાં તેઓ પહેલીવાર ચૂંટણી હારી ગયા હતા. આ બેઠક પરથી છોટુ વસાવા સાત વખત જીત્યા હતા. ચૈતર વસાવાએ તેમના રાજકારણની શરૂઆત છોટુ વસાવા સાથે કરી હતી.

છ વખત લોકસભામાં પહોંચેલા મનસુખ વસાવા ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. BJPએ ગુજરાતની ઘણી લોકસભા બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે, પરંતુ મનસુખ વસાવા લાંબા સમયથી ભરૂચ બેઠક પર અડગ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે, તેમણે અહીં પોતાને ખૂબ જ મજબૂત બનાવ્યા છે. આ ઉપરાંત BJPમાંથી ચૂંટણી લડવાને કારણે તેમને છેલ્લી બે ચૂંટણીમાં 50 ટકાથી વધુ વોટ મળ્યા છે. 2014ની ચૂંટણીમાં મનસુખ વસાવાએ INC ઉમેદવાર જયેશ ભાઈ પટેલને 1.53 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. તો 2019ની ચૂંટણીમાં મનસુખ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને 3.34 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. આવી સ્થિતિમાં ચૈતર વસાવા જે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બનીને ઉભરી આવ્યા છે. તેઓ કોંગ્રેસ અને AAPના સંયુક્ત ઉમેદવાર તરીકે તેઓ કેટલો મોટો પડકાર ઉભો કરી શકે છે, તે જોવું રસપ્રદ રહેશે. ચૈતર વસાવા દેડિયાપાડા વિધાનસભાથી 40,282 મતોની સરસાઈથી જીત્યા. ચૈતર વસાવાને 1,03,433 મત મળ્યા હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.