આ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન, અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં ઉનાળાનો અંત આવતાં ચોમાસાની સગોળે તૈયારી થઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે અને 22 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વ્યાપી જશે. 13 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના છે અને 14 થી 19 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય રહી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. 

Rain1
indiatoday.in

ચોમાસું આ વખતે બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગમાંથી ગુજરાતમાં પ્રવેશ કરશે. આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં વધુ ઉકળાટ રહેવાની શક્યતા છે, જે ચોમાસાના આગમનનો સંકેત આપે છે.

Rain
business-standard.com

હવામાન વિભાગે ૯ જૂન પછી વરસાદમાં ઘટાડાની આગાહી કરી

ગુજરાતમાં ઉનાળાની ગરમી બાદ મેઘરાજાની મહેર શરૂ થઇ છે. હવામાન વિભાગે આગામી ૭ દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે 9 જૂન પછી વરસાદનું જોર ઘટશે. ૬ જૂને સૌરાષ્ટ્રના જુનાગઢના વિસાવદર અને અમરેલીના ધારી સહિત રાજકોટના ગોંડલ અને કોટડા સાંગાણી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

આ પહેલાંથી મળી રહેલી આગાહીઓ ખેડૂતો અને નાગરિકો બંને માટે મહત્વપૂર્ણ છે, જેથી તેઓ ચોમાસાની તૈયારીઓ કરી શકે.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.