અમેરિકામાં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતી દંપતીની હત્યા

અમેરિકામાં ભારતીય લોકો પર હુમલા કરવાની ઘટના રોજબરોજ વધતી જઇ રહી છે. અમેરિકામાં અરવલ્લીના વેપારી દંપતીની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાકાંડ 6 ફેબ્રુઆરીનો રોજ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકામાં દંપતી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. વેપારીની હત્યા થતા અરવલ્લીમાં રહેતા તેમના સગાસંબંધી અને પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. અંગત અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે બાબતે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે અને ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. અરવલ્લીના મેઘરજના મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલી દંપતી રજનીકાંત વલ્લભદાસ શેઠ અને તેમના પત્ની નિરીક્ષાબેન શેઠની હત્યા કરી દેવામાં આવી છે. ઘટના બાબતે માહિતી મળતા તેમના પરિવારજનો અમેરિકા જવા માટે રવાના થઇ ગયા છે. મેઘરજમાં તેમના સગાને ઘટના બાબતે જાણીને ભારે આઘાત લાગ્યો છે. ઘટના બાબતે જે જાણકારી મળી રહી છે તે મુજબ, મોટેલ ચલાવતી દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રજનીકાંત શેઠ ગયા મહિને જ તેઓ ભારત આવીને અમેરિકા પાછા ગયા હતા. તેમની સાથે અગાઉ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ બાબતે ઘર્ષણ થયું હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. આવામાં જૂની અદાવતમાં જ દંપતીની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દંપતીની અમેરિકામાં તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક લોકોની પજવણીના કારણે તેમણે મોટેલ વેચી દેવાની ફરજ પડી હતી, પરંતુ એ છતા તેમના પર અદાવત રાખીને રજનીકાંત શેઠ અને તેમના પત્ની નીરિક્ષાબેનની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાના કારણે તેમના વતન મેઘરજમાં શોકની લાગણી છે.

છેલ્લા બે મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે ભારતીય લોકો સાથે આ પ્રકારની ઘટના થઈ છે. ગયા મહિને જ 3 નકાબધારી લોકોએ એક 52 વર્ષીય ભારતીય અમેરિકન વ્યક્તિની તેના ઘર બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે તેની દીકરી અને પત્ની ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઘટના 10 જાન્યુઆરીના રોજ જોર્જિયાના હાર્ટલે બ્રિજ રોડ પ થોરબ્રેડ લેન પર થઈ હતી.

બિબ કાઉન્ટી શેરિફ કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પિનાલ પટેલ અને તેનો પરિવાર કામ પરથી ઘરે પહોંચ્યા, જ્યારે નકાબધારી લોકોએ તેમના પર બંદૂક તાણી દીધી. પટેલે ત્રણેયનો વિરોધ કર્યો અને આ દરમિયાન બદમાશોએ તેમના પરિવાર પર ગોળીઓ ચલાવી. પોલીસ પહોંચવા પર પિનાલે તેની પત્ની રૂપલાબેન પટેલ અને તેની દીકરી ભક્તિ પટેલને પોતાના ઘર નજીક ગોળી લાગવાથી ઇજાગ્રસ્ત જોવા મળ્યા હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.