અમેરિકાના નવા વીઝા નિયમોથી ભારતીયો ટેન્શનમાં

USએ તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે, અને આ નવો નિયમ સીધા લોકોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ સાથે સંબંધિત છે. હવે, H-1B વિઝા ધારકો, તેમજ પહેલાથી કામ કરી રહેલા લોકો અને તેમના પરિવારોએ વિઝા નિરીક્ષણ દરમિયાન તેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર (X) અને લિંક્ડઇન એકાઉન્ટ્સને જાહેર રાખવા પડશે. આનો અર્થ એ છે કે, US અધિકારીઓ તમારી ભૂતકાળની પોસ્ટ્સ, ફોટા, ટિપ્પણીઓ અને તમારા રિઝ્યુમ પણ ચકાસી શકે છે. આનાથી ભારતીય વિઝા અરજદારોમાં ડર ફેલાયો છે, કારણ કે H-1B વિઝા ધારકોમાં ભારતીયો સૌથી વધુ સંખ્યા ધરાવે છે.

US-New-Visa-Rule2
navbharattimes.indiatimes.com

આ નવો નિયમ ખાસ કરીને ભારતીયો માટે ચિંતાજનક બન્યો છે, કારણ કે USમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિઝા (H-1B) ધારકોમાં 70 ટકાથી વધુ અને H-4 EAD ધારકોમાં 90 ટકા સુધી ભારતીયો છે. આનો અર્થ એ છે કે આ નિયમ આપણા લાખો ભાઈ-બહેનોના કારકિર્દી, લોન અને બાળકોના શિક્ષણ પર સીધી અસર કરશે. 15 ડિસેમ્બરથી અમલમાં આવનારા આ નિયમ હેઠળ, ભલે તમે પહેલી વાર વિઝા માટે અરજી કરી રહ્યા હોવ કે રિન્યુ કરી રહ્યા હોવ, તમારે તમારા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાર્વજનિક કરવા પડશે. વિઝા અધિકારીઓ હવે સમય લઈને ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડઇન જેવી સાઇટ્સ પર તમારી જાહેર પોસ્ટ્સની સરળતાથી સમીક્ષા કરશે.

ઇમિગ્રેશન વકીલો કહે છે કે, લોકોમાં ડર પેસી ગયો છે. કલ્પના કરો કે કોઈ રાજકીય મીમને મજાક તરીકે શેર કરી હોય, કોઈ વિષય પર હળવી ટિપ્પણી કરી હોય, અથવા તમારા રિઝ્યુમ પર અમુક નાની વિગતો પણ યોગ્ય રીતે દસ્તાવેજીકૃત કરવામાં નિષ્ફળ ગયા હો, બસ આટલી અમથી વાત પણ તમારા વિઝાને અટકાવવામાં કારણરૂપ બની શકે છે. હવે તો ટેક કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને તેમની સોશિયલ પ્રોફાઇલ્સનું ઑડિટ કરવાની અને બિનજરૂરી સામગ્રીથી દૂર રહેવાની સલાહ આપવાનું શરૂ કર્યું છે.

US-New-Visa-Rule3
aajtak.in

આ નવા નિયમ આવવાથી સામાન્ય રીતે પણ ખુબ મોટો હોબાળો મચી ગયો છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં ભારતીય દૂતાવાસોમાં વિઝા ઇન્ટરવ્યુની તારીખો અચાનક રદ કરવામાં આવી છે. જેમના ઇન્ટરવ્યુ ડિસેમ્બરમાં નક્કી કરવામાં આવ્યા હતા તેમને હવે માર્ચ 2026ની તારીખો આપવામાં આવી છે. કલ્પના કરો, જેઓ નવી નોકરી શરૂ કરવાના હતા, અથવા લગ્ન માટે ઘરે આવવાના હતા અથવા માતાપિતાને મળવા જવાના હતા, તેમના માટે દોઢ વર્ષથી વધુનો આ રાહ જોવાનો સમયગાળો કોઈ આઘાતથી ઓછો નથી.

હવે, તેઓ તેમની નવી નોકરીમાં જોડાઈ શકશે નહીં કે, તેમના પરિવાર પાસે પાછા ફરી શકશે નહીં. ઇમિગ્રેશન વકીલ સ્ટીવન બ્રાઉને પણ આ વાતની પુષ્ટિ કરી. તેમણે સમજાવ્યું કે, 'મિશન ઇન્ડિયા'એ આગામી અઠવાડિયા માટે ઘણી એપોઇન્ટમેન્ટ રદ કરી છે અને સોશિયલ મીડિયા ચકાસણીને કારણે તેમને મુલતવી રાખી છે.

US-New-Visa-Rule
navbharattimes.indiatimes.com

વિઝા અરજદારો માટે આ મુશ્કેલી વચ્ચે, ભારતમાં US એમ્બેસીએ એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. એમ્બેસીએ X પર એક પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'જો તમને એક ઇમેઇલ મળ્યો હોય જેમાં તમને જાણ કરવામાં આવી હોય કે, તમારી ઇન્ટરવ્યૂ તારીખ બદલાઈ ગઈ છે (ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે), તો ભૂલથી પણ, તમારી પાછલી તારીખે એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં પહોંચશો નહીં.' અધિકારીઓએ કડક ચેતવણી આપી છે કે, તેમની અગાઉની નિર્ધારિત તારીખે આવનાર કોઈપણ વ્યક્તિને ગેટ પર પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવશે. આ નિર્દેશ એવા સમયે આવ્યો છે, જ્યારે વિઝા ઇન્ટરવ્યૂ પહેલાથી જ મહિનાઓ સુધીની લાંબી વેઇટિંગમાં ચાલે છે.

US સ્ટેટ ડિપાર્ટમેન્ટે 'રાષ્ટ્રીય સુરક્ષા'નો ઉલ્લેખ કરીને આ કડક નીતિનો બચાવ કર્યો છે. તેઓ કહે છે કે વિઝા સંબંધિત દરેક નિર્ણય અમેરિકન સુરક્ષા સાથે જોડાયેલો છે. આ નવો નિયમ, પહેલા વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ મુલાકાતીઓ માટે બનાવવામાં આવ્યો હતો, જેને હવે H-1B અને H-4 વિઝા ધારકો સુધી લંબાવવામાં આવ્યો છે.

US-New-Visa-Rule5
aajtak.in

વિભાગે સ્પષ્ટતા કરી છે કે, અરજદારોએ તેમની બધી સોશિયલ મીડિયા પ્રોફાઇલ જાહેર રાખવી પડશે જેથી અધિકારીઓ તેમની ચકાસણી કરી શકે. માર્ગદર્શિકામાં, વિભાગ જણાવે છે કે, 'અમેરિકન વિઝા એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.' તેમનો હેતુ સ્પષ્ટ છે, ચકાસણી એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશમાં પ્રવેશનારાઓનો ઇરાદો 'અમેરિકનો અથવા તેમના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડવાનો નથી.' આનો અર્થ એ છે કે, જો સોશિયલ મીડિયા પર કંઈપણ શંકાસ્પદ જોવા મળે છે, તો વિઝા મેળવવાનું મુશ્કેલ બનશે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.