સ્માર્ટ મીટર નાખવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલનો ચુકાદો

ગુજરાતમાં સ્માર્ટ મીટરના સ્થાપનને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલ  દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વીજ લોકપાલે સ્પષ્ટ કર્યું છે કે પ્રવર્તમાન કાયદા અને નિયમો અનુસાર વીજ વિતરણ કંપનીઓ ગ્રાહકોના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકે છે અને આ પ્રક્રિયા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ મેળવવી બિલકુલ જરૂરી નથી. માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરીને ગ્રાહક જૂનું પરંપરાગત મીટર ફરીથી લગાવવાની માંગ કરી શકે નહીં, તેવી માંગણી સંપૂર્ણપણે ગેરકાનૂની છે.

શું છે સમગ્ર મામલો?

આ સીમાચિહ્નરૂપ નિર્ણય મહેન્દ્રકુમાર ડી. પટેલ વિરુદ્ધ MGVCL - લાલબાગ ડિવિઝન, વડોદરાના કેસની સુનાવણી દરમિયાન લેવાયો છે. અરજદાર ગ્રાહકનો આરોપ હતો કે તેમની મંજૂરી લીધા વિના જ ઘરમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યું હતું. આ સ્માર્ટ મીટરના કારણે તેમની બેંકની ઓટો-ડેબિટ સુવિધા ખોરવાઈ ગઈ હતી, અને ત્યારબાદ યોગ્ય ચૂકવણી ન થવાના કારણે તેમનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.

બીજી તરફ MGVCL દ્વારા વીજ લોકપાલ સમક્ષ કાનૂની પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો કે સ્માર્ટ મીટરનું સ્થાપન 'ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003', 'સીઇએ મીટરિંગ રેગ્યુલેશન્સ' , 'ઇલેક્ટ્રિસિટી (રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર્સ) રૂલ્સ' અને 'જીઇઆરસી સપ્લાય કોડ'ના કાયદેસરના દાયરામાં રહીને જ કરવામાં આવ્યું છે. કંપનીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે બેંક ઓટો-ડેબિટની ટેકનિકલ સમસ્યાને અને મીટરના પ્રકારને આપસમાં કોઈ લેવા-દેવા નથી.

Smart meter
thehindu.com

વીજ લોકપાલે તમામ પાસાં તપાસી આપ્યો આ આદેશ

વીજ લોકપાલે ગ્રાહકની અપીલને તદ્દન પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી છે અને 'ગ્રાહક તકરાર નિવારણ ફોરમ' (CGRF) ના અગાઉના નિર્ણયને યથાવત્ રાખતા નીચે મુજબના મહત્વના મુદ્દાઓ સ્પષ્ટ કર્યા છે.

  • પૂર્વ સંમતિ ફરજિયાત નથી: દેશના પ્રવર્તમાન કાનૂની માળખા અને જોગવાઈઓ હેઠળ સ્માર્ટ મીટર સ્થાપિત કરવું સંપૂર્ણપણે કાયદેસર છે. આ માટે વીજ કંપનીઓએ ગ્રાહકની અલગથી કોઈ મંજૂરી કે સંમતિ લેવાની જરૂર રહેતી નથી.
  • પુરાવાનો અભાવ: ગ્રાહક દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ટેક્નિકલ ખામી હોય કે બિલિંગમાં કોઈ ગડબડ થઈ હોય તેવા કોઈ ठोस પુરાવા રજૂ કરી શકાયા નથી.
  • થર્ડ-પાર્ટી ટેસ્ટિંગનો વિકલ્પ ખુલ્લો: જો કોઈ ગ્રાહકને સ્માર્ટ મીટરની ચોકસાઈ કે રીડિંગ બાબતે કોઈ પણ પ્રકારની શંકા હોય, તો તેઓ 'GERC સપ્લાય કોડ' ના નિયમો અનુસાર સરકારી માન્યતા પ્રાપ્ત થર્ડ-પાર્ટી લેબોરેટરીમાં પોતાનું મીટર ટેસ્ટિંગ કરાવી શકે છે. પરંતુ, માત્ર વ્યક્તિગત વિરોધ પ્રદર્શિત કરીને જૂનું વીજ મીટર પાછું લગાવવાની જીદ સ્વીકારી શકાય નહીં.

'અર્ધ-ન્યાયિક' આદેશ એટલે શું?

અત્રે નોંધનીય છે કે GERCના વીજ લોકપાલ દ્વારા આપવામાં આવેલો આ આદેશ એક કાયદેસરનો ક્વૉસી જ્યુડિશિયલ  એટલે કે 'અર્ધ-ન્યાયિક' આદેશ છે.

જ્યારે કોઈ સરકારી સંસ્થા, ટ્રિબ્યુનલ કે વૈધાનિક સત્તાધિકારી (જે સત્તાવાર રીતે પરંપરાગત અદાલત કે હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટ નથી) પાસે કાયદાકીય વિવાદો સાંભળવાની, બંને પક્ષોના પુરાવા તપાસવાની અને ચુકાદો આપવાની અદાલત જેવી જ સત્તા હોય, ત્યારે તેને 'અર્ધ-ન્યાયિક સંસ્થા' કહેવામાં આવે છે.

09

આવી સંસ્થાઓ નિર્ધારિત કાયદાના ચોકઠામાં રહીને સામાન્ય અદાલતોની જેમ જ ન્યાયિક પ્રક્રિયા હાથ ધરે છે અને બંને પક્ષોને સાંભળ્યા બાદ કાનૂની રીતે બંધનકર્તા આદેશો જાહેર કરે છે. GERC વીજ લોકપાલ, ગ્રાહક ફોરમ, અને ટેક્સ ટ્રિબ્યુનલ વગેરે આવી જ અર્ધ-ન્યાયિક સંસ્થાઓના ઉદાહરણો છે, જેમના નિર્ણયોનું પાલન કરવું કાયદાકીય રીતે ફરજિયાત હોય છે.

About The Author

Related Posts

Top News

શું બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરી થઈ રહી હતી? સમિતિ તપાસ કરાવશે

રામ મંદિરમાંથી દાન ચોરાઈ જવાનો મુદ્દો હજુ શાંત થયો નથી. દેશભરમાં આના પર હોબાળો મચી ગયો છે. અયોધ્યામાં લાગેલી આગ...
National 
શું બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરી થઈ રહી હતી? સમિતિ તપાસ કરાવશે

શક્તિશાળી પાસપોર્ટના ઈન્ડેક્સમાં ભારતનું રેટિંગ ઘટ્યું, 125માં સ્થાને પહોંચ્યું

રેસિડેન્સી અને સિટિઝનશિપ એડવાઇઝરી ફર્મ 'ગ્લોબલ સિટિઝન સોલ્યુશન્સ' (GCS) દ્વારા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ (GPI)ની પાંચમી વાર્ષિક...
National 
શક્તિશાળી પાસપોર્ટના ઈન્ડેક્સમાં ભારતનું રેટિંગ ઘટ્યું, 125માં સ્થાને પહોંચ્યું

સ્માર્ટ મીટર નાખવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલનો ચુકાદો

ગુજરાતમાં સ્માર્ટ મીટરના સ્થાપનને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલ   દ્વારા એક...
Gujarat 
સ્માર્ટ મીટર નાખવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલનો ચુકાદો

કેપ્ટન તરીકે 4 મેચમાંથી 3માં હાર... ઐયર થયો હતાશ અને નિરાશ, આ વખતે જાણો કોની પર હારનો દોષ ઢોળ્યો

ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ સામે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં 4 વિકેટથી પરાજય થયો. 4 જુલાઈ, શનિવારના રોજ માન્ચેસ્ટરના...
Sports 
કેપ્ટન તરીકે 4 મેચમાંથી 3માં હાર... ઐયર થયો હતાશ અને નિરાશ, આ વખતે જાણો કોની પર હારનો દોષ ઢોળ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.