ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર ડો. રાજેન્દ્ર એમ પટેલ અને નાયબ મામલતાદર ચંદ્રસિંહ મોરીના બંગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મંગળવારે સવારથી ત્રાટકેલી છે અને મોટા પાયે પોલીસ બંદોબસ્તની સાથે તપાસ કરવામાં આવી રહી છે. કલાસ વન ઓફિસરને ત્યાં દરોડા પડવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે આવી વાતો મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહી છે. EDએ હજુ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ડો. રાજેન્દ્ર પટેલ વર્ષ 2015ની બેચના IAS ઓફિસર છે અને તેમણે બેચરલ ઓફ ડેન્ટલ સર્જરીની ડિગ્રી મેળવેલી છે. ડો. રાજેન્દ્ર પટેલ વડોદરા મહાનગરમાં હતા એ પછી 2023માં તેમની સુરતમા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ટ્રાન્સફર થઇ હતી. ફેબ્રુઆરી 2025માં તેમને સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર બનાવાયા હતા. બેનામી સંપત્તિની ED તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.