રાજ્યમાં આ બે પક્ષીઓ પર હાઇટેક સાધનોથી બાજનજર રખાઇ રહી છે

ગુજરાતમાં કુંડ અને કરકરા નામના પક્ષીઓની પ્રજાતિને સુરક્ષા આપવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. રાજ્યના વન વિભાગ દ્વારા બે કુંજ અને બે કરકરા પક્ષીને લેગ માઉન્ટ પ્રકારના GSM-GPS ટ્રાન્સમીટર લગાવી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં 19 ઇમ્પોર્ટેડ બર્ડ એરિયા આવેલા છે જેમાં કુલ 609 જાતિના પક્ષીઓનો વસવાટ છે. વિશ્વના જોવા મળતી કુંજ પક્ષીની 15 પ્રજાતિઓ પૈકી ત્રણ પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે જેમાંથી કુંજ અને કરકરાની બે પ્રજાતિઓ આઇયુસીએન રેડ લિસ્ટમાં લિસ્ટ કન્સર્ન્ડ અનુસૂચિમાં સામેલ છે, જ્યારે ભારતમાં વન્યપ્રાણી અધિનિયમ ધારા 1972ની અનુસૂચિ-4માં કાયદાકીય સુરક્ષા આપવામાં આવેલી છે.

રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્યામલ ટીકાદર જણાવે છે કે વિશ્વમાં કરકરા પક્ષીની સંખ્યા 2.30 લાખ થી 2.61 લાખ છે જ્યારે કુંજ પક્ષીની સંખ્યા 4.91 લાખ થી 5.03 લાખ જોવા મળી છે. આ પક્ષીઓના સ્થળાંતરની રીત, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, પ્રતિદિનની ગતિવિધિ અને તેમના ભવિષ્યની યોજનાઓ માટે રાજ્ય સરકારે એક એક્શન પ્લાન બનાવી રહી છે જે આ પક્ષીઓને સંરક્ષણ આપશે.

આ પ્લાન વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીર અને ગુજરાત વન વિભાગ બનાવી રહ્યો છે. તાજેતરમાં કુંડ પક્ષીઓના સેટેલાઇટ ટેલીમેટ્રી મારફતે વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ટેગીંગ ટીમ દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ અનુભવી ટ્રેપરોની મદદથી પક્ષીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ ચાર પક્ષીઓનું ટેગીંગ કરીને ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીરના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામના કહેવા પ્રમાણે ટેગીંગના કારણે આ પક્ષીઓની તમામ પ્રકારની માહિતી જેવી કે શિયાળા દરમ્યાનના પ્રજનન સ્થળો, સ્થળાંતર અને વસવાટ સ્થળની પસંદગી મળી રહેશે કે જેનાથી આ પક્ષીઓને સુરક્ષા આપી શકાય.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.