રાજ્યમાં આ બે પક્ષીઓ પર હાઇટેક સાધનોથી બાજનજર રખાઇ રહી છે

ગુજરાતમાં કુંડ અને કરકરા નામના પક્ષીઓની પ્રજાતિને સુરક્ષા આપવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. રાજ્યના વન વિભાગ દ્વારા બે કુંજ અને બે કરકરા પક્ષીને લેગ માઉન્ટ પ્રકારના GSM-GPS ટ્રાન્સમીટર લગાવી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં 19 ઇમ્પોર્ટેડ બર્ડ એરિયા આવેલા છે જેમાં કુલ 609 જાતિના પક્ષીઓનો વસવાટ છે. વિશ્વના જોવા મળતી કુંજ પક્ષીની 15 પ્રજાતિઓ પૈકી ત્રણ પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે જેમાંથી કુંજ અને કરકરાની બે પ્રજાતિઓ આઇયુસીએન રેડ લિસ્ટમાં લિસ્ટ કન્સર્ન્ડ અનુસૂચિમાં સામેલ છે, જ્યારે ભારતમાં વન્યપ્રાણી અધિનિયમ ધારા 1972ની અનુસૂચિ-4માં કાયદાકીય સુરક્ષા આપવામાં આવેલી છે.

રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્યામલ ટીકાદર જણાવે છે કે વિશ્વમાં કરકરા પક્ષીની સંખ્યા 2.30 લાખ થી 2.61 લાખ છે જ્યારે કુંજ પક્ષીની સંખ્યા 4.91 લાખ થી 5.03 લાખ જોવા મળી છે. આ પક્ષીઓના સ્થળાંતરની રીત, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, પ્રતિદિનની ગતિવિધિ અને તેમના ભવિષ્યની યોજનાઓ માટે રાજ્ય સરકારે એક એક્શન પ્લાન બનાવી રહી છે જે આ પક્ષીઓને સંરક્ષણ આપશે.

આ પ્લાન વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીર અને ગુજરાત વન વિભાગ બનાવી રહ્યો છે. તાજેતરમાં કુંડ પક્ષીઓના સેટેલાઇટ ટેલીમેટ્રી મારફતે વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ટેગીંગ ટીમ દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ અનુભવી ટ્રેપરોની મદદથી પક્ષીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ ચાર પક્ષીઓનું ટેગીંગ કરીને ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીરના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામના કહેવા પ્રમાણે ટેગીંગના કારણે આ પક્ષીઓની તમામ પ્રકારની માહિતી જેવી કે શિયાળા દરમ્યાનના પ્રજનન સ્થળો, સ્થળાંતર અને વસવાટ સ્થળની પસંદગી મળી રહેશે કે જેનાથી આ પક્ષીઓને સુરક્ષા આપી શકાય.

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.