ટાલ પર વાળ વાવવા સુરતના ડોક્ટરે કરી બે સાધનોની શોધ

સુરતના કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડો. પ્રદીપ અટોદરિયાએ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બે નવા ડિવાઈસ(ઉપકરણો)ની શોધ કરી છે. આ ડિવાઇસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને તેમની ટાલમાં થયેલા પ્રત્યારોપણ થયેલા વાળના મૂળની સંખ્યા તથા તેની ક્વોલિટી ખૂબ જ સચોટ રીતે જાણી શકાશે. આ ઉપરાંત વાળના પ્રત્યારોપણ માટે પાડવામાં આવતા કાણાંની સંખ્યા પણ તેમની નજર સામે જ ગણાતી જોઈ શકાશે, જેથી કરીને તેમને છેતરાઈ જવાની શક્યતા પણ રહેશે નહીં.

(1) સ્માર્ટ સ્ટોરેજ ડિવાઇસ : આ ડિવાઇસ દ્વારા વાળના મૂળ ખૂબ જ સારી રીતે ગણતરીપૂર્વક ક્રોનોલોજીકલ ઓર્ડરમાં એવી રીતે ગોઠવાય છે કે જેમાં એક, બે, ત્રણ કે વધુ વાળ વાળા મૂળની સંખ્યા અને તેની ક્વોલિટી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે અને તેને લીધે વાળને નુકસાન પણ થતું નથી. તમામ વાળના મૂળને ક્રમમાં ગોઠવવામાં આવે છે અને વાળના મૂળને માત્ર એક જ વખત હેન્ડલ કરવામાં આવે છે. આ રીતે વાળ નાખવામાં પણ સરળતા રહે છે. દર્દીને આ સ્ટોરેજ ડિવાઇસના ફોટા પાડીને બતાવવાથી તેમને પોતાને ખાતરી થાય છે કે, કેટલા મૂળિયા નાખ્યાં છે. અલગ-અલગ અને કુલ વાળના મૂળિયાની ગણતરી માટે માત્ર એક ટેકનિશિયનની જરૂર છે. આનાથી પરિણામ પણ સારું મળે છે.

(2) સ્લીટ કાઉન્ટિંગ ડિવાઇસ : વાળના મૂળિયા રોપવા માટે કાણાં પાડવા જરૂરી છે. આ ડિવાઇસ ઓટોક્લેબલ છે. તે નાઇફ, નીડલ અને મલ્ટીપલ નાઇફ પકડી શકે છે અને તેમાં દરેક પ્રકારની સ્લિટ્સ શક્ય છે. સિંગલ, ડબલ અને બહુવિધ વાળના મૂળ માટેના સ્લિટ્સને અલગથી ગણી શકાય છે. આ મશીનથી કાણાં પાડતા મશીનનું ડિજિટલ કાઉન્ટર(જે દર્દીને દેખાઈ તે રીતે મૂકવામાં આવેલું હોય છે) માં કાઉન્ટ થાય છે અને દર્દી તે જોઈ શકે છે. નંબર પૂરો થવા પર બઝર તમને જાણ કરે છે. ઉપકરણનું વજન તમને સ્લિટ બનાવવામાં મદદ કરે છે. આમ એકંદરે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને છેતરાવવાની સંભાવનાઓ રહેતી નથી.

ડો. અટોદરિયાએ જણાવ્યું હતું કે, તેમનું આ સંશોધન હેર ટ્રાન્સપ્લાન્ટની ઇન્ટરનેશનલ જનરલ ISHRSમાં 2024ના જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલું છે, જે માટે તેઓ હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવે છે. આ ઉપકરણ શિખાઉ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનો માટે વરદાન છે. આ સંશોધનોને એશિયાની કોન્ફરન્સ FUE 2024 માં પણ રજૂ કરવામાં આવ્યું છે. આ સંશોધનોના પેટન્ટ કરાવવા માટે તેમણે ભારત સરકારમાં રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. અટોદરિયાએ આ પહેલાં ભારત સરકાર પાસે પોતાના બે સાધનો માટે પેટન્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં (1) વાળ રોપવા માટે એક સાથે 10 કાણાં પાડી શકે તેવું સાધન અને (2) વાળ રોપવા માટેનું ઈમ્પ્લાન્ટર સામેલ છે.

About The Author

Related Posts

Top News

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ...
Astro and Religion 
ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava...
Tech and Auto 
12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ...
World 
ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.