અમદાવાદના આસારામ આશ્રમ પર કેમ કબજો કરવા માંગે છે ગુજરાત સરકાર? જાણો શું છે યોજના

ભારતમાં રમતગમત પ્રત્યે ભરપૂર જુસ્સો જોવા મળે છે. લોકોને ક્રિકેટ, કબડ્ડી અને ફૂટબોલ સહિત લગભગ બધી જ રમતોમાં રસ છે. ગુજરાતના અમદાવાદમાં 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, આ હેતુ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે. આ ઉપરાંત, ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમત સુવિધાઓ માટે જમીન સંપાદન કરવામાં આવશે. આ જમીનો પર બનેલા આસારામના આશ્રમો પણ દૂર કરી શકાય છે.

બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો આસારામને તેનો અમદાવાદ આશ્રમ ગુમાવવો પડી શકે છે. જ્યાં આસારામનો આશ્રમ હાલમાં છે, ત્યાં શક્ય છે કે 2036માં, વિશ્વભરના રમતવીરો ઓલિમ્પિક મેડલ માટે સ્પર્ધા કરશે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી રમતગમતની સ્પર્ધા યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આસારામનો આશ્રમ પણ આ માટે તૈયાર કરાયેલા માસ્ટર પ્લાનના દાયરામાં છે.

Asaram Ashram
zeenews.india.com

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલા રિપોર્ટમાં અંદરના સૂત્રોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકાર અમદાવાદના મોટેરા સ્થિત આસારામના આશ્રમનો કબજો લઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા ત્રણ આશ્રમો દૂર કરીને, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમત સુવિધાઓ ત્યાં વિકસાવી શકાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'આસારામ આશ્રમ' ઉપરાંત, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને પણ સ્થાનાંતરિત કરી શકાય છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે, આ આશ્રમોની જમીન સંપાદન કરવા અને આ ટ્રસ્ટોને વૈકલ્પિક સ્થાન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સહિત ત્રણ સભ્યોની સમિતિ માસ્ટર પ્લાન માટે જમીન સંપાદન પ્રક્રિયામાં રોકાયેલી છે.

Asaram Ashram
youtube.com

સ્ટેડિયમની નજીકના શિવનગર અને વણજારા વાસ જેવા રહેણાંક વિસ્તારોનો પણ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ કલેક્ટર ઓફિસને જમીન સંપાદનનું કામ સોંપવામાં આવ્યું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે, પોલીસ એકેડેમીની જમીન પણ સંપાદન માટે વિચારણા હેઠળ છે, જેના પર સરકાર રમતગમતની સુવિધાઓ સ્થાપવાની યોજના ધરાવે છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 280 એકર અને નદી કિનારે 50 એકર જમીન પર સ્થાપિત કરવામાં આવશે, જ્યારે ઓલિમ્પિક વિલેજ ભાટ અને સુઘાડમાં 240 એકર જમીન પર સ્થાપિત કરવામાં આવશે.

86 વર્ષીય આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. અગાઉ તે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ હતો. ગુજરાતના એક બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન પર મુક્ત કર્યો છે. આ કેસમાં, સેશન્સ કોર્ટે જાન્યુઆરી 2023માં તેને દોષિત ઠેરાવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.