ગોળનું નામ પડે એટલે ગળપણ અને તેને પગલે ડાયાબિટીસનું જોખમ નજરે પડી જાય.પરંતુ ગોળ, ખાસ કરીને દેશી ગોળ તો ખાંડ કરતાં પણ અનેક ઘણો સારો છે. હવે રહી રહીને એ વાત વિજ્ઞાને પણ સ્વીકારી છે કે ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.
- પ્રદુષણની અસર ઓછી કરેઃ જો તમે કારખાના કે ફેક્ટરીમાં કામ કરતા હોવ, જ્યાં પ્રદુષણનું સ્તર સામાન્ય કરતાં વધુ હોય તો તમારે દરરોજ 100 ગ્રામ ગોળ ખાવો જોઇએ. જમવા સાથે કે તે પછી ગોળ ખાવાથી તમારા શરીર ઉપર પ્રદુષણની અસર ઓછી થાય છે.
- હાડકાં મજબુત બનેઃ તમારા સાંધામાં દર્દ હોય તો ગોળ સાથે આદુ ખાવાથી સારું થશે, ગોળમાં કેલ્સિયમનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ફોસ્ફરસ પણ હોય છે. આ બંને તત્વો હાડકાં મજબુત કરે છે.
- લોહીની ઉણપ દૂર કરેઃ ગોળ આયર્ન એટલે કે લોહતત્વનો મોટો સ્ત્રોત છે. જો તમારામાં હેમોલોબિન ઓછું હોય તો ગોળ ખાવાથી તેનું પ્રમાણ વધે છે.
- પેટ માટે પણ લાભકારીઃ જો તમને કબજિયાત, ગેસ કે એસિડીટીની સમસ્યા હોય તો ગોળ ખાવાથી તમને ફાયદો થાય. જો ખાટા ઓડકાર આવતા હોય તો ગોળ, સીંધવ મીઠું મેળવીને ખાવાથી આરામ થાય છે.
- શરદી- જુકામથી ફાયદોઃ શરદી- જુકામમાં ગાળો ખૂબ જ અસરકારક હોય છે. કાળા મરી અને આદુની સાથે ગોળ ખાવાથી શરદી જુકામમાં ફાયદો થાય છે. જો કોઇને ખાંસીની ફરિયાદ છે અને તો તેને ખાંડને બદલે ગોળ ખાવો જોઇએ. ગોળ આદુની સાથે ગરમ કરીને ખાવાથી ગળામાં ખણતું બંધ થાય છે.