હવે ભારતને મળશે ડેન્ગ્યૂની વેક્સીન, ICMR શરૂ કરવા જઇ રહી છે ફેઝ-3નું ટ્રાયલ

ભારતમાં દર વર્ષે સેકડો મોતો માટે જવાબદાર ડેન્ગ્યૂની વેક્સીનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. કોરોનાથી લઈને સર્વાઇકલ કેન્સરની HPV વેક્સીન પણ ભારતમાં બની ચૂકી છે. એવામાં ડેન્ગ્યૂની વેક્સીન ક્યારે આવશે, તેને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ જલદી જ ભારતને ડેન્ગ્યૂની દેશમાં નિર્મિત વેક્સીન મળવાની સંભાવના છે. ભારતમાં ડેન્ગ્યૂની વેક્સીન બની ચૂકી છે અને તેના 2 ફેઝના ટ્રાયલ પણ થઈ ચૂક્યા છે.

આ બંનેમાં મળેલી સફળતા બાદ આ વેક્સીનના ફેઝ થ્રીનું ટ્રાયલ થવાનું છે, જેને ICMR જ કરશે. તેના પહેલા ટ્રાયલમાં વેક્સીનની સેફ્ટીની તપાસ કરવામાં આવી હતી. બીજા ટ્રાયલમાં એ જોવા મળ્યું હતું કે તેનાથી એન્ડીબોડીઝ બને છે કે નહીં. હવે ત્રીજા ટ્રાયલમાં એ તપાસવામાં આવશે કે  ડેન્ગ્યૂ વિરુદ્ધ અસરકારક છે કે નહીં. ડેન્ગ્યૂની વેક્સીનના ફેઝ 3નું ટ્રાયલ ક્યારે પૂરું થશે અને ક્યારે ડેન્ગ્યૂ નિયંત્રણ માટે ભારતના લોકો માટે ઉપલબ્ધ રહેશે, તેના પર ICMRના વૈજ્ઞાનિક ડૉ. સરિતા નાયર તરફથી જાણકારી આપવામાં આવી છે. ચાલો જાણીએ.

ડેન્ગ્યૂની વેક્સીનના ફેઝ-3નું ટ્રાયલ ક્યારેય શરૂ થઈ રહ્યું છે? આ સવાલ પર તેમણે કહ્યું કે, ડેન્ગ્યૂની વેક્સીનના ફેઝ 3નું ટ્રાયલ આ વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં શરૂ થવા જઇ રહ્યું છે એટલે કે વર્ષ 2024નું બીજું ત્રિમાસિક જૂન સુધી પૂરી થવા જઇ રહ્યું છે. એવામાં જુલાઇ-ઑગસ્ટ 2024થી આ ટ્રાયલ શરૂ થવાની સંભાવના છે. આ ટ્રાયલ ક્યારે પૂરું થશે અને ક્યા ક્યા થશે? તેના પર ICMR તરફથી બતાવવામાં આવ્યું કે, આ ટ્રાયલ માટે દેશમાં 19 જગ્યાઓને ચિહ્નિત કરવામાં આવી છે. આ ટ્રાયલ માટે નામાંકન થવાથી લઈને પૂરું થવા સુધી તેમાં 3 વર્ષનો સમય લાગશે.

ભારતને ક્યાં સુધીમાં ડેન્ગ્યૂની સ્વદેશી વેક્સીન મળી જશે? તેનો જવાબ છે ICMR આ ટ્રાયલને પૂરી શક્તિથી કરવા જઇ રહ્યું છે. તે સફળ થવાની પૂરી આશા છે. બ્રાઝિલમાં આ પ્રકારની ભૂટાનન વેક્સીનના ચરણ 3ના પરીક્ષણોના પરિણામ ઉત્સાહજનક રહ્યા.

Top News

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.