આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના 2 ટકા કર્મચારીઓને છટણી કરવા જઈ રહી છે. તેનો અર્થ છે કે, લગભગ 12,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. આ છટણી ખાસ કરીને મીડિયમ અને સીનિયર લેવલના મેનેજમેન્ટને પ્રભાવિત કરશે. TCSના આ પગલાને ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી (IT) સેક્ટર માટે મોટો ઝટકો માનવામાં આવે છે. TCS દેશની સૌથી મોટી IT કંપની છે. એટલે TCSમાં થઈ રહેલા બદલાવો દેશના IT સેક્ટરને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

TCSના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (CEO) કે. કૃતિવાસને Moneycontrolને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘અમે નવી ટેક્નોલૉજી, ખાસ કરીને AI અને ઓપરેટિંગ મોડેલમાં બદલાવો પર ભાર મૂકી રહ્યા છીએ. કામ કરવાની રીતો બદલાઈ રહી છે. આપણે ભવિષ્ય માટે તૈયાર અને સ્ફૂર્તિલા રહેવાની જરૂર છે. અમે મોટા પ્રમાણમા AIનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ભવિષ્ય માટે જરૂરી સ્કિલ્સનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.

k. krithivasan
livemint.com

તેમણે વધુમાં જણાવ્યુ કે TCSએ કર્મચારીઓના વિકાસ અને કરિયર માટે ખૂબ રોકાણ કર્યું છે. કેટલીક ભૂમિકાઓમાં રી-ડિપ્લોયમેન્ટ સફળ થઈ શક્યું નથી. આ નિર્ણય લગભગ 2 ટકા બ્લોબલ વર્કફોર્સને પ્રભાવિત કરશે, ખાસ કરીને મિડલ અને સીનિયર લેવલને. આ એક મુશ્કેલ નિર્ણય છે અને CEO તરીકે મારા માટે સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક છે.

TCS નવા બજારોમાં એન્ટ્રી લઈ રહી છે, નવી ટેક્નોલૉજિમાં રોકાણ કરી રહી છે અને મોટા પાયે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સને લાગૂ કરી રહી છે. આ પ્રક્રિયામાં, કંપની સ્ટાફને ફરીથી ટ્રેઇન અને રી-ડિપ્લોય એટલે કે ફરીથી તૈનાત કરી રહી છે, પરંતુ કંપનીમાંથી લગભગ 12,000 લોકોને પણ બહાર કરવા પડશે. કંપનીનું કહેવું છે કે, છટણી પર પ્લાનિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઈ પણ પ્રકારની સેવામાં વિક્ષેપ ન પડે. TCSમાં છટણીના અવાજની અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી.

ગગન શર્મા નામના એક યુઝરે લખ્યું કે, ‘TCSની છટણી માત્ર એક કંપનીની વાત નથી, આ સમગ્ર ગ્લોબલ સર્વિસ મોડેલ તૂટવાની શરૂઆત છે. હવે પહેલા ઓટોમેટ કરો, પછી ઓપ્ટિમાઈઝનો દૌર શરૂ થઈ ગયો છે. ભારતની વસ્તી આધારિત તાકત હવે બોજ બનતી જઈ રહી છે. આગામી દાયકા નાના, પરંતુ AIથી સશક્ત ટીમોનો હશે, મોટા ડિલિવરી સેન્ટર્સનો નહીં.

tcs
peoplematters.in

TCSના નિર્ણય પર, ઇન્દ્રનીલ રોય લખે છે કે, ‘AIનું જોખમ આવવાનું નથી. તે તો પહેલાથી જ આવી ચૂક્યો છે. રવિવારે આવેલા મોટા કોર્પોરેટ સમાચારમાં TCSએ 12,000થી વધુ લોકોને છટણી કરવાનો નિર્ણય લીધો છે, જે ભારતીય IT સેક્ટર માટે મોટો ઝટકો છે. આ છટણી ખાસ કરીને મિડલ અને સીનિયર લેવલ પર થશે, જેમની સ્કિલ્સના ભવિષ્યની જરૂરિયાતો સાથે મેળ ખાતી નથી. આ એક ખૂબ જ મોટું પગલું છે.

TCSમાં છટણી પાછળ AIનો પણ હાથ માનવામાં આવે છે. ગમે તે હોય, AI પર લોકોની નો આરોપ લાગે છે કે આ લોકોની નોકરી ખાઈ શકે છે. આ સવાલ TCSના CEO કે. કૃતિવાસનને પૂછવામાં આવ્યું કે, આ નિર્ણય AIને કારણે લેવામાં આવ્યો છે? તો તેમણે સ્પષ્ટ કહ્યું કે,

AIના કારણે નથી, પરંતુ ભવિષ્ય માટે જરૂરી સ્કીલ્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ નિર્ણય છે. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કેટલાક લોકોને નવી ભૂમિકાઓમાં તૈનાત કરવા શક્ય નહોતા, એટલા માટે નહીં કે અમને ઓછા લોકોની જરૂર છે. હવે સૌથી મોટું જોખમ એ છે કે શું આ છટણી માત્ર TCS સુધી સીમિત રહેશે? TCSના આ પગલાને કારણે આગામી દિવસોમાં ભારતીય IT સેક્ટરમાં ઘણા વધુ બદલાવ જોવા મળી શકે છે.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સરકારે રીલ વાયરલ કરી, ઓરિજનલ ધૂરંધર તો PM મોદી છે

આદિત્ય ધરની ફિલ્મ ધૂંરધર બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી છે. એક અંદાજ મુજબ ફિલ્મનું કલેકશન 200 કરોડ પાર થઇ...
National 
સરકારે રીલ વાયરલ કરી, ઓરિજનલ ધૂરંધર તો PM મોદી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.