તેજસ ક્રેશ બાદ શું HAL સંકટ છવાશે? એક રિપોર્ટમાં થયો ખુલાસો, શેર પર કેટલી અસર પડશે?

શુક્રવારે દુબઈમાં એક એર શૉ દરમિયાન તેજસ Mk-1 વિમાન ક્રેશ થઇ ગયું. ક્રેશ થયા બાદ બ્રોકરેજ ElaraHAL પર પોતાનો રિપોર્ટ જાહેર કર્યો. CNBCના રિપોર્ટ મુજબ, બ્રોકરેજે જણાવ્યું હતું કે F-35 અને F-16 જેવા ફાઇટર જેટ વિશ્વભરમાં ઘણી વખત ક્રેશ થઇ ચૂક્યા છે, એટલે HALની ઓર્ડર બૂક અથવા ડિલિવરી પર આની કોઈ ખાસ નાણાકીય અસર નહીં પડે. જોકે, Tejas Mk-1Aના નિકાસમાં થોડો વિલંબ થવાની ધારણા છે. દુબઈમાં Tejas Mk-1 ક્રેશ થયા બાદ બ્રોકરેજ ફર્મ Elara CapitalHAL પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે. બ્રોકરેજે HALના શેર પર બાય રેટિંગ યથાવત રાખ્યું છે અને ટારગેટ પ્રાઇઝ 5680 રૂપિયા નક્કી કરી છે.

Elaraએ સ્પષ્ટ કહ્યું કે, ફાઇટર જેટ ક્રેશ થવું, દુનિયામાં કોઈ નવી વાત નથી. અમેરિકના F-35, F-16 અને યુરોપના યુરોફાઇટર ટાયફૂન જેવા સુપર-એડવાન્સ્ડ જેટ ઘણી વખત ક્રેશ થયા છે. આ અકસ્માતો મોટાભાગે પાઇલટની ભૂલ, ટેક્નિકલ ખરાબી અથવા ઓપરેશન દરમિયાન થાય છે. જોકે, તે કંપનીની નાણાકીય પરિસ્થિતિ અથવા સરકારી ઓર્ડર પર ખાસ અસર કરતા નથી. ભારતે HAL સાથે 97 તેજસ Mk-1A એરક્રાફ્ટ માટે ઓર્ડર આપી દીધો છે અને આ ડીલ પૂરી રીતે સુરક્ષિત છે.

HAL
livemint.com

Elaraનું માનવું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે, પરંતુ તે HALના લાંબા ગાળાના વ્યવસાય અથવા ભવિષ્યના ઓર્ડરમાં અવરોધ નહીં લાવે. કંપનીની ઓર્ડર બુક અત્યારે પણ મજબૂત છે, જેમાં હેલિકોપ્ટર અને ICH પ્રચંડ જેવા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. એવામાં રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી; HAL લાંબા ગાળે ઉત્તમ વળતર આપશે. ટૂંકા ગાળામાં શેરના ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ આ ખરીદી માટે એક સારી તક છે.

હાલ માટે HALની ઓર્ડર બુક પર કોઈ અસર થવાની અપેક્ષા નથી. 97 તેજસ Mk-1A એરક્રાફ્ટ માટે સ્થાનિક ઓર્ડર પૂરી રીતે સુરક્ષિત છે, અને વાયુસેનાનો ભરોસો યથાવત છે. ડિલિવરીનું શેડ્યૂલ પણ લગભગ એવો જ રહેશે, કોઈ મોટા ફેરફારો નહીં આવે. કંપની પાસે આટલો મજબૂત કેશ ફ્લો અને બેલેન્સ શીટ છે કે એક અકસ્માતથી કઈ બગડવાનું નથી. Elaraએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતની માગ પર કોઈ પણ જોખમ નથી.

HAL
indiatvnews.com

નિકાસ એક અલગ વાત છે. વિદેશી ખરીદદારો અને તેમના એવિએશન નિયમનકારો વધારાના પરીક્ષણ અને નિરીક્ષણ કરશે, એટલે તેજસ નિકાસ ડીલમાં થોડો વિલંબ થઈ શકે છે. પરંતુ આ માત્ર થોડા મહિનાઓની વાત હશે; લાંબા ગાળે નિકાસ પણ પાટા પર આવી જશે.

કંપનીના શેરની સ્થિતિ

HALના શેરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સના શેર BSE પર  3.27% ઘટીને 4444.80 પર ટ્રેડ થઈ રહ્યા છે. દુબઈ એર શૉમાં તેજસ ફાઇટર જેટ ક્રેશ થયા બાદ વાયુસેનાના એક અધિકારીનું મોત થયું હતું. 24 નવેમ્બરના રોજ વહેલી સવારે HALના શેર લગભગ 9% ઘટ્યા હતા. આ 7 મહિનામાં સૌથી નીચું સ્તર હતું. કંપનીના શેર શુક્રવારે 4,595 પર બંધ થયા હતા અને સોમવારે 4,205 રૂપિયા પર ખુલ્યા હતા. કંપનીએ પોતાના 52 અઠવાડિયાની ઊંચી સપાટી 5,166.00 રૂપિયા બનાવી હતી, જે 16 મે, 2025ના રોજ પહોંચી હતી. Elaraનું માનવું છે કે આ અકસ્માતથી HALના લાંબા ગાળાના વ્યવસાય અથવા ભાવિ ઓર્ડર નહીં રોકાય. પરંતુ, શોર્ટ ટર્મમાં શેરમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.