હાર્ટ ઍટેકના વધી રહેલા કેસ, શું તેનું કારણ કોરોના રસી છે? ICMR-AIIMSની સ્ટડીમાં મોટો ખુલાસો

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં હાર્ટ એટેકથી મૃત્યુના ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવી ચર્ચા ચાલી રહી છે કે યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુ કોવિડ 19 રસી સાથે સંબંધિત છે. હવે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિડ 19 રસીઓ અને યુવાનોમાં હાર્ટ એટેક સહિત અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે આ મૃત્યુનું કારણ જાણવા માટે, ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)એ મળીને 2 અલગ-અલગ સંશોધન કર્યા. આ અંગે એક સંશોધન જૂના ડેટાના આધારે કરવામાં આવ્યું હતું. જ્યારે, બીજો અભ્યાસ હજુ ચાલુ છે.

Heart-Attack,-AIIMS-ICMR-Study
aajtak.in

ICMRના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (NIE)એ મે-ઓગસ્ટ 2023 વચ્ચે સંશોધન હાથ ધર્યું હતું, જેમાં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 47 મોટી હોસ્પિટલોમાંથી ડેટા લેવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 18-45 વર્ષની વયના એવા પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ દેખાતા હતા, પરંતુ ઓક્ટોબર 2021-માર્ચ 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. આ સંશોધનનું પરિણામ એ આવ્યું કે COVID 19 રસી લેવાથી અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.

Heart-Attack,-AIIMS-ICMR-Study2
hindi.news18.com

આ બાબતે AIIMS દિલ્હી દ્વારા બીજો એક અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેમાં યુવાનોમાં અચાનક મૃત્યુનું વાસ્તવિક કારણ શોધવામાં આવી રહ્યું છે. પ્રારંભિક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે, હાર્ટ એટેકને કારણે આવા મૃત્યુ ખૂબ જ સામાન્ય છે. આ ઉપરાંત, ઘણા કિસ્સાઓમાં, ક્રોનિક રોગો અને આનુવંશિક કારણો પણ આનું કારણ બની રહ્યા છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અચાનક મૃત્યુના કારણોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

Heart-Attack,-AIIMS-ICMR-Study4
punjab.punjabkesari.in

ICMR અને AIIMSનો આ અભ્યાસ કર્ણાટકના CM સિદ્ધારમૈયાના તે નિવેદનના એક દિવસ પછી જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, કોરોના રસીની ઉતાવળમાં મંજૂરી અને વિતરણ રાજ્યમાં યુવાનોના અચાનક મૃત્યુનું કારણ હોઈ શકે છે. તેમણે કોરોના રસીની સંભવિત આડઅસરોનો અભ્યાસ કરવા માટે એક પેનલની રચનાની પણ જાહેરાત કરી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.