હવે ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ સિગારેટ-તમાકુ જેવી ચેતવણીઓ સાથે કરાશે

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ રહેલું છે, તેથી જ આના વેચાણ કરનારાઓ પેકેટ પર આરોગ્ય ચેતવણીઓ પણ લખે છે. અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના નાગપુરમાં પણ હવે સિગારેટના પેકેટની જેવી જ સમોસા, જલેબી અને ચા-બિસ્કિટ જેવી વસ્તુઓ પર સ્વાસ્થ્ય સબંધી ચેતવણીઓ છાપવાની તૈયારી ચાલી રહી છે, ખાસ કરીને એવી દિવાલો પર જે જગ્યાએથી તે નિયમિતપણે ખરીદવામાં આવે છે.

Samosa-Jalebi-Laddu-Warning

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હવે તમાકુની જેમ, ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનો પર પણ આરોગ્ય ચેતવણીઓ છાપવામાં આવશે. આ અંગે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે AIIMS નાગપુર સહિત તમામ કેન્દ્રીય સંસ્થાઓને તેલ અને ખાંડના બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. આ પોસ્ટરોમાં તમારા રોજિંદા નાસ્તામાં કેટલી ચરબી અને ખાંડ છુપાયેલી છે તે છાપેલું હશે. AIIMS નાગપુરના અધિકારીઓએ આ અંગે પરિપત્ર મળ્યાની પુષ્ટિ કરી છે. તેઓ કાફેટેરિયા સહિત ઘણા જાહેર સ્થળોએ બોર્ડ લગાવવાની તૈયારી કરી રહ્યા છે.

Samosa-Jalebi-Laddu-Warning3
aajtak.in

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના નાગપુર ચેપ્ટરના પ્રમુખ ડૉ. અમર આમલેએ જણાવ્યું હતું કે, 'આ ફૂડ લેબલિંગની શરૂઆત છે, જે સિગારેટ માટે આપવામાં આવતી ચેતવણીઓ જેટલી જ ગંભીર બની રહી છે. અમે વર્ષોથી કહી રહ્યા છીએ કે, ખાંડ અને ટ્રાન્સ ફેટ એ નવું તમાકુ છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.' સરકારી આંકડા અનુસાર, 2050 સુધીમાં 44.9 કરોડથી વધુ ભારતીયો સ્થૂળતાથી પીડાઈ શકે છે. આનાથી આપણો દેશ સ્થૂળતાનું બીજું સૌથી મોટું કેન્દ્ર બની જશે.

Samosa-Jalebi-Laddu-Warning5
news4nation.com

અધિકારીઓ કહે છે કે, આ પહેલ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવા ગંભીર રોગો સામેની લડાઈનો એક ભાગ છે, જે વધુ પડતી ખાંડ અને તેલ સાથે સંબંધિત છે. વરિષ્ઠ ડાયાબિટીસ રોગ નિષ્ણાત ડૉ. સુનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'કોઈપણ ખાવાની વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની વાત નથી, પરંતુ જો લોકોને ખબર પડે કે, એક ગુલાબ જામુનમાં 5 ચમચી ખાંડ હોઈ શકે છે, તો તેઓ ફરીથી ગુલાબ જામુન ખાતા પહેલા બે વાર વિચારશે.'

Related Posts

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.